सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 17, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ગાય - ગૌહરીનો મેળો

ગાય - ગૌહરીનો મેળો  દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે ભરાતા આ મેળાનો ઇતિહાસ ૩૦૦ વર્ષથી પણ પ્રાચીન છે . ગુજરાતના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે આ મેળો ભરાય છે . આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે . આખા વર્ષ દરમિયાન આપણા રોજિંદા જીવનમાં પશુઓનો ઉપયોગ કરીએ છીએ તો એક આખા દિવસ માટે પશુઓને શણગારીને ઉત્સવ મનાવવામાં આવે છે . આખા વર્ષ દરમિયાન આપણાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ગાયોના ટોળાની સામે સૂઈ જઈને પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે . આ મેળામાં તમામ ગાય - બળદને જુદા - જુદા રંગોથી રંગીને તેમને મોરપિચ્છથી શણગારવામાં આવે છે . ત્યાર બાદ ગામના સરપંચ ગાયની પૂજા કરીને આ મેળાની શરૂઆત કરાવે છે અને પ્રાચીન લોકમાન્યતા અનુસાર જે વ્યક્તિ કોઈ માનતા માને છે તે પૂરી કરવા માટે આ મેળામાં અચૂક ભાગ લે છે . આ મેળામાં ગાય સાથે બળદોની પણ પૂજા થાય છે . એક પાઇપ જેવા સાધનમાં દારૂગોળો ભરીને ફોડવામાં આવે છે અને તેના ધડાકાના અવાજથી ગાય અને બળદનાં ટોળાં દોડવા લાગે છે . આ મેળામાં ગામની આસપાસના ગ્રામજનો પણ ભાગ લે છે .