24 ફેબ્રુઆરી, 1739ના દિવસે મહમંદ શાહ અને નદિરશાહ વચ્ચે ‘કરનાળનું યુદ્ધ' થયું હતું. મહમંદ શાહ મુઘલ શાસક હતા. તેમના સમયમાં ભારતમાં સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો હતો. નદિરશાહ ઈરાનના શાસક હતા. નદિરશાહને ઈરાનના નેપોલિયન'ના નામથી પણ ઓળખવામાં આવે છે. નદિરશાહ દિલ્હીમાં 50 દિવસથી પણ વધારે સમય રહ્યા હતા અને ત્યાં લગાતાર લૂંટફાટ કરી હતી. તેઓ પ્રસિદ્ધ મુઘલ રાજસિંહાસન મયુરાસન (તખ્ત-એ-હાઉસ) તથા મુઘલ તાજમાં લગાવેલ વિશ્વનો સૌથી કિંમતી હીરો ‘કોહીનુર' પોતાની સાથે લઈ ગયા હતા.