શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant શ્રીમતી ઍની બેસન્ટ નામનાં આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયૉસૉફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું ( ઈ.સ. 1893 ) . તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો . તેઓની માન્યતા હતી કે , ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે . ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે . તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા . કોઈપણ જાતના નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા . પોતાના આવા ઉદેશોનો ફેલાવો ફરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિંદુ સ્કૂલ'ની સ્થાપના કરી , જે પાછળથી ‘ બનારસ હિંદુ યુનિવર્સિટી ' ના રૂપમાં ફેરવાઈ ગઈ ( 1916 ) . શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું . તેમણે સમાજમાં ફેલાયેલાં અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા - વિવાહને પ્રોત્સાહન આપ્યું . 19 મી સદીમાં ભારતમાં જ્યારે હિંદુ ,