सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 16, 2022 की पोस्ट दिखाई जा रही हैं

સિદ્ધપુરનો મેળો

 સિદ્ધપુરનો મેળો  ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું સિદ્ધપુર નગર એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે . લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીના કિનારે દર વર્ષે કાર્તિકી પૂનમે કાત્યોકનો મેળો ભરાય છે . કાત્યોકનો મેળો રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઊઠે છે . સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણવિધિ કરી ધન્યતા અનુભવે છે . આ મેળામાં ગોઠવાતાં ઊંટબજાર , શેરડીબજાર , મનોરંજનને લગતી જુદી - જુદી ચીજોની દુકાનો , બાળકોને મનોરંજન આપતાં સાધનો , અશ્વબજાર તેમજ અલગ - અલગ દુકાનો આકર્ષણ જમાવે છે . વિશ્વપ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે , જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એક જ વાર ખૂલતું હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ઉત્તરક્રિયા , માતૃતર્પણ , દશા શ્રાદ્ધ , અસ્થિવિસર્જન , એકાદશી શ્રાદ્ધ , નારાયણ બલિ જેવાં અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે . આ મેળામાં હૈયેહૈયું દળાય એટલી લોકોની ભીડજોવા મળે છે . આ મેળામાં ઊંટ અને અશ્વોની લે - વેચ માટે અલગ બજાર ભરાય છે . આ મે