સિદ્ધપુરનો મેળો
ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું સિદ્ધપુર નગર એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે . લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીના કિનારે દર વર્ષે કાર્તિકી પૂનમે કાત્યોકનો મેળો ભરાય છે . કાત્યોકનો મેળો રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઊઠે છે . સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણવિધિ કરી ધન્યતા અનુભવે છે . આ મેળામાં ગોઠવાતાં ઊંટબજાર , શેરડીબજાર , મનોરંજનને લગતી જુદી - જુદી ચીજોની દુકાનો , બાળકોને મનોરંજન આપતાં સાધનો , અશ્વબજાર તેમજ અલગ - અલગ દુકાનો આકર્ષણ જમાવે છે . વિશ્વપ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે , જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એક જ વાર ખૂલતું હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ઉત્તરક્રિયા , માતૃતર્પણ , દશા શ્રાદ્ધ , અસ્થિવિસર્જન , એકાદશી શ્રાદ્ધ , નારાયણ બલિ જેવાં અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે . આ મેળામાં હૈયેહૈયું દળાય એટલી લોકોની ભીડજોવા મળે છે . આ મેળામાં ઊંટ અને અશ્વોની લે - વેચ માટે અલગ બજાર ભરાય છે . આ મેળામાં શેરડીનો ખૂબ જ વેપાર થાય છે , જેથી આ મેળાને શેડિયો મેળો પણ કહેવામાં આવે છે . ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોમાં આ મેળો સાચા અર્થમાં સ્નેહ - સંબંધ અને સગપણનો મેળો બની રહે છે . આ મેળામાં ઘણા સામાજિક વ્યવહારોની પતાવટ પણ થતી હોય છે . સિદ્ધપુરને ગુજરાતના કાશી તરીકે ઓળખવામાં આવે છે . સિદ્ધપુર એટલે સિદ્ધભૂમિ , સિદ્ધક્ષેત્ર , સિદ્ધપુરને અરડેશ્વરના અવધૂત પૂ.બહ્મલીન દેવશંકર બાપાની ભક્તિભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે . ઐતિહાસિક રુદ્રમહાલય , પાંચ સ્વયંભૂ શિવલિંગ અને અનેક નાનાં - મોટાં મંદિર - મહાલયો એટલે સિદ્ધપુરની પરખ અને ઓળખ એટલે કાત્યોકનો લોકમેળો . આ દિવસોમાં બિંદુ સરોવર ખાતે સરામણનું આગવું મહત્ત્વ રહેલું છે . પૌરાણિક વાયકા મુજબ ચૌદસની રાત્રિએ દર કલાકે મોક્ષપીપળો , સરસ્વતી નદીના તટે , ગંગા , યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે . આ વિરલ પ્રાસંગિકતા વચ્ચે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણવિધિ માટે આવે છે . કાત્યોકના મેળામાં સ્વજનોના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી નદીમાં પોતાના પૂર્વજોની યાદમાં શ્રદ્ધાળુઓ દ્વારા દીવડા તરતા મૂકવામાં આવે છે . સાથે - સાથે ધાર્મિક વિધિ કરાવી બ્રાહ્મણોને ચોર્યાસી જમાડવાનું અનેરું મહત્ત્વ રહેલું છે . કારતક સુદ દસમથી પૂનમ સુધી આ પરંપરા ચાલુ રહે છે . સિદ્ધપુરના આ કાત્યોકના મેળામાં મીઠીમધુરી રસઝરતી શેરડીનો સ્વાદ ન માણો તો આ મેળો અધૂરો ગણાય છે . મેળાની શરૂઆત થતાં જ ભરૂચ , પાલજ , ભિલોડા તેમજ કરજણથી શેરડીની ટ્રકો ઊતરે છે , જેમાં ભિલોડાની લાલ શેરડી તેમજ રાજપીપળાની પીળી શેરડી વેચાય છે .
સદ્ધપુરને ગુજરાતના કાશી તરીકે ઓળખવામાં આવે છે . સિદ્ધપુર એટલે સિદ્ધભૂમિ , સિદ્ધક્ષેત્ર , સિદ્ધપુરને અરડેશ્વરના અવધૂત પૂ . બહ્મલીન દેવશંકર બાપાની ભક્તિભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે . ઐતિહાસિક રુદ્રમહાલય , પાંચ સ્વયંભૂ શિવલિંગ અને અનેક નાનાં - મોટાં મંદિર મહાલયો એટલે સિદ્ધપુરની પરખ અને ઓળખ એટલે કાત્યોકનો લોકમેળો . આ દિવસોમાં બિંદુ સરોવર ખાતે સરામણનું આગવું મહત્ત્વ રહેલું છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें