सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 18, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો  જૂનાગઢ પાસે ગરવા ગિરિનારાયણની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવનું અદ્ભુત નૈગિક વનરાજી હરિયાળી ગિરિકંદરા વચ્ચે સ્વયંભૂ શિવમંદિર આવેલું છે . અનંતકાળથી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી અમાવસ્યા સુધી ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક “ ભવનાથના મેળો’’નું ભવ્ય આયોજન થાય છે . આમ જ કાર્તિક સુદ અગિયારસથી પૂનમ ગિરિનારાયણ ( ગિરનાર ) ની ૩૩ કિ.મી અંતરની અતિકપરી પુણ્યનું ભાથું બાંધવા પગપાળા લીલી પરિક્રમા યોજાય છે . દેવપોઢી અગિયારસ ( દેવદિવાળી ) એ સવારે ૪ વાગ્યે શાસ્ત્રોક્ત પૂજન - અર્ચના સાથે શરૂ થતી આ પરિક્રમા ૧૦ કિ.મી.નું અંતર કાપી “ જીણાબાવાની મઢી''ના ઉતાર ( પડાવ ) એ પહોંચી ત્યાં તમામ યાત્રિકો રોકાય , પોતાનું ભોજન બનાવે અને મધ્યરાત્રિ સુધી ધૂન - ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે . બીજા દિવસજ ‘ ‘ મારવેલા’’ના બનાવે કિ.મી. ૧૦ પડાવ કરી ભોજન - ભજન ને રાત્રિરોકાણ કરી ત્રીજા દિવસે પગપાળા ચાલી ૧૧ કિ.મી ‘ ‘ બોરદેવી’’ના ઉતારે રાત્રિરોકાણ કરી સવારે ભવનાથનું ૧૨ કિ.મી.ની પદયાત્રા શરૂ કરવાની . કોઈ રાત્રે થાકી જાય તે બીજા દિવસે ભવનાથ પહોંચી પોતાની યાત્રા સંપન્ન કરે છે .