રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917 ઈ.સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે . રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી . રશિયામાં વંશપરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા . ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા . પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર , દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઈબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી . આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ , ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ . રશિયાના ખેડૂતો , ખેતદાસો , મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું . તેમની સ્થિતિ કંગાળ બની હતી . ફાધર ગૅપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા ( 22 મી જાન્યુઆરી , 1905 રવિવાર ) . આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા . કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો ' જેવાં સૂત્રો લખેલા હતા . આ નિર્દ