सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

Gujarat world heritage लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .   ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal  ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .   જૂનાગઢ :-Junagadh  જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ

ગુજરાત વર્લ્ડ હેરિટેજ સાઈડ ચોપાનેર

ચાંપાનેર 🌷વનરાજ ચાવડાએ ઈ.સ. 747 માં પોતાના મિત્ર ચાંપાની સ્મૃતિમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી હતી .  🌷ચાંપાનેર શહેર પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલું છે 🌷ચૌહાણ વંશના રાજાઓની રાજધાની ચાંપાનેર હતી .   🌷ઈ.સ .1484 માં મહમદ બેગડાએ પાવાગઢ ( ચાંપાનેર ) ના રાજા પતઈ રાવળ ( જયસિંહ ) ને હરાવી ચાંપાનેર કબ્જે કર્યુ .    🌷ચાંપાનેરને મહમદ બેગડાએ કબ્જે કર્યા બાદ તેને પોતાની રાજધાની બનાવી હતી .  🌷મહમદ બેગડાએ ચાંપાનેરનું નામ બદલીને મુહમદાબાદ રાખ્યું હતું . 🌷મહમદ બેગડો ચાંપાનેરને બીજુ મક્કા બનાવવા માંગતો હતો .   🌷મહમદ બેગડાએ ચાંપાનેરમાં જુમ્મા મસ્જિદ બનાવી હતી તથા કિલ્લાનું નિર્માણ કરાવી તેને ' જહાપનાહ ' નામ આપ્યું હતું .   🌷બેગડાએ ચાંપાનેરની ફરતે કિલ્લો બંધાવ્યો હતો .    🌷ચાંપાનેરમાં કેવડા મસ્જિદ , જુમ્મા મસ્જિદ , નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ છે . 🌷ચાંપાનેરમાં કબૂતર ખાના નામથી જાણીતું હવાખાવાનું સ્થળ છે .   🌷ચાંપાનેરમાં વડતળાવ પાસે મહમદ બેગડાના શાહી મહેલના સમચોરસ કિલ્લાના અવશેષો છે .    🌷ચાંપાનેરને શહેર - એ - મુકર્રમ ’ ના નામે પણ ઓળખવામાં આવે છે .  🌷જાણીતા સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ

ગુજરાત વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ

રાણકીવાવ   🌷રાણકીવાવનો 22 જૂન 2014 ના રોજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે .  🌷અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું   🌷રાણકીવાવનું નિર્માણ 11 મી સદીમાં ભીમદેવ પહેલાના નિધન બાદ થયું હતું .    🌷રાણકીવાવમાં કુલ 7 માળ છે . વાવની લંબાઈ 64 મીટર , પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે . તેમજ આ વાવ મારૂ – ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવી છે .    🌷આ વાવમાં દેવી દેવતાઓ તેમજ અપ્સરાની મૂર્તિઓ કંડારવામાં આવી છે .  🌷ભારતમાં આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં રાણકીવાવનો 31 મો ક્રમ છે . 🌷ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટમાં રાણકીવાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે .    🌷રાણકીવાવનો ઉલ્લેખ ઈ.સ. 1304 માં જૈન મુનિ મરુંગાસૂરી દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિમાં જોવા મળે છે .  🌷રાણકીવાવને ઈ.સ. 2016 માં Cleanest Iconic Place નો એવોર્ડ મળ્યો હતો . 

ગુજરાત વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા

ધોળાવીરા  🌷ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિરબેટમાં આવેલું છે .    🌷સૌપ્રથમ ઈ.સ .1967 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યાં હતા . »   🌷ઈ.સ.1967-68ના વર્ષ દરમિયાન જગપતિ જોષીએ ધોળાવીરાનું આરંભિક મોજણી કાર્ય હાથ ધરતા આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી શકાયું .   🌷ઈ.સ .1991 ના સમય ગાળામાં વ્યવસ્થિત રીતે ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણના શ્રી રવીન્દ્રસિંહ બિષ્ટ અને તેમના સાથીદારોએ ઉત્ખનન કાર્યનો આરંભ કર્યો . ધોળાવીરા ત્રણ વિભાગમાં વહેંચાયેલ નગર છે .   🌷ધોળાવીરાનો વિસ્તાર 775 મીટર પૂર્વ - પશ્ચિમ અને 600 મીટર ઉત્તર - દક્ષિણ છે .    🌷ધોળાવીરામાં નગર આયોજન સંરક્ષણની દૃષ્ટિએ ચારે દિશાએ નગરના ચાર દરવાજા હતા .  🌷ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે   🌷ધોળાવીરામાંથી વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઈનબોર્ડ મળી આવ્યું છે .  🌷અહીંથી વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે .  🌷આજથી 4000 વર્ષો પૂર્વે હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે .    🌷ધોળાવીરાનું વિશાળ સ્નાનાગાર અને