सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાત વર્લ્ડ હેરિટેજ સાઈડ ચોપાનેર

ચાંપાનેર

🌷વનરાજ ચાવડાએ ઈ.સ. 747 માં પોતાના મિત્ર ચાંપાની સ્મૃતિમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી હતી . 

🌷ચાંપાનેર શહેર પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલું છે

🌷ચૌહાણ વંશના રાજાઓની રાજધાની ચાંપાનેર હતી .
 
🌷ઈ.સ .1484 માં મહમદ બેગડાએ પાવાગઢ ( ચાંપાનેર ) ના રાજા પતઈ રાવળ ( જયસિંહ ) ને હરાવી ચાંપાનેર કબ્જે કર્યુ . 
 
🌷ચાંપાનેરને મહમદ બેગડાએ કબ્જે કર્યા બાદ તેને પોતાની રાજધાની બનાવી હતી . 

🌷મહમદ બેગડાએ ચાંપાનેરનું નામ બદલીને મુહમદાબાદ રાખ્યું હતું .

🌷મહમદ બેગડો ચાંપાનેરને બીજુ મક્કા બનાવવા માંગતો હતો .
 
🌷મહમદ બેગડાએ ચાંપાનેરમાં જુમ્મા મસ્જિદ બનાવી હતી તથા કિલ્લાનું નિર્માણ કરાવી તેને ' જહાપનાહ ' નામ આપ્યું હતું .
 
🌷બેગડાએ ચાંપાનેરની ફરતે કિલ્લો બંધાવ્યો હતો . 
 
🌷ચાંપાનેરમાં કેવડા મસ્જિદ , જુમ્મા મસ્જિદ , નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ છે .

🌷ચાંપાનેરમાં કબૂતર ખાના નામથી જાણીતું હવાખાવાનું સ્થળ છે .
 
🌷ચાંપાનેરમાં વડતળાવ પાસે મહમદ બેગડાના શાહી મહેલના સમચોરસ કિલ્લાના અવશેષો છે . 
 
🌷ચાંપાનેરને શહેર - એ - મુકર્રમ ’ ના નામે પણ ઓળખવામાં આવે છે . 

🌷જાણીતા સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ ચાંપાનેરમાં થયો હતો . 

🌷ઇ.સ .2004 માં યુનેસ્કોએ ચાંપાનેરને " વિશ્વ ધરોહર  ( વર્લ્ડ હેરિટેજ સાઇટ ) જાહેર કર્યુ હતું જે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ હતી . અને ભારતની 26 મી સાઈટ હતી . 

🌷24 કલાક વીજળી આપતી જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ચાંપાનેરથી થઈ હતી જેનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું હતું . 

🌷ચાંપાનેરમાં દર વર્ષે પંચોત્સવ ઉજવવામાં આવે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .