सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 19, 2022 की पोस्ट दिखाई जा रही हैं

વરાણા નો મેળો

વરાણા નો મેળો  ગુજરાતની ધરોહર એટલે ‘ મેળો ’ કે જ્યાં લોકો બધીયે ચિંતાઓ કોરાણે મૂકીને આનંદિવભોર બનીને એકબીજાને મળતા હોય અને હૈયામાં આધ્યાત્મિકતાની સરવાણી વહી રહી હોય છે . આવા જ ગુજરાતના ભાતીગળ મેળામાંના એક મેળા ‘ વરાણાનો મેળો ’ ’ વિશે જાણીએ . પાટણ જિલ્લાનો વઢિયાર પંથક કાઠિયાવાડની લઘુ આવૃત્તિ કહેવાય છે . સમી તાલુકાના રણની કાંધીએ વસેલા પંથકમાં “ વરાણા ” સદીઓ પુરાણા આઈ ખોડિયારના તીર્થધામની મોટા ઓળખ છે . વરાણા ખાતે પ્રતિ વર્ષ મહા સુદ આઠમે ભાતાગળ લોકમેળો યોજાય છે . આ મેળામાં ઢિયાર , ઝાલાવાડ , ચુંવાળ , રાધનપુર અને સાંતલપુર ગામના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે . આમ તો આ મેળો મહા સુદ બીજ - ત્રીજથી શરૂ થઈ પૂનમ સુધી ચાલુ રહે છે . સાતમથી નોમના દિવસે આ લોકમેળો પુરબહારમાં જામે છે . મેળા દરમિયાન આશરે પાંચથી સાત લાખ ભાવિકો દર્શન માટે પધારે છે . મેળામાં વિઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવનની ઝાંખી જોવા મળે છે . અહીં ભાવિકો આઈશ્રી ખોડિયા ૨ ને તલ અને સાકરની બનેલી સાંનીનું નૈવેદ્ય ધરાવે છે . આઠમના દિવસે ભક્તો લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહી માનાં દર્શન માટે ઉત્સુક બને છે . આજના આધુનિક યુગમાં વાહનોની બો