सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 20, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ડાંગ દરબાર - એક આકર્ષણ

ડાંગ દરબાર - એક આકર્ષણ  આપણે આ એક ડાંગ દરબાર - એક આકર્ષણના કાલ્પનિક પ્રવાસમાં ડાંગ દરબારની મુલાકાતે જઈએ . ગત ફાગણ માસ - હોળીમાં આ ડાંગ દરબારનો અનેરો ઉત્સવ ઊજવાયો હતો . ડાંગની સંસ્કૃતિ એક વૈશિષ્યપૂર્ણ અને ઐતિહાસિક મહત્તા ધરાવનારી સંસ્કૃતિ છે , જેના વિશે જાણવામાં તથા માણવામાં આપને ખૂબ જ રસ પડશે . અન્ય જિલ્લાઓમાં ઊજવાતા ઉત્સવો અને મેળાઓની જેમ જ ડાંગ જિલ્લાના આહવામથકે ડાંગ દરબારની ઉજવણી એ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્રબિન્દુ છે . આ ઉત્સવ આદિવાસી અને ડાંગી પ્રજા ખૂબ જ ઉત્સાહથી મન મૂકીને ઊજવે છે . જંગલોમાં પર્વતોની વચ્ચે , કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીતરિવાજો અનોખાં હોય છે . તેના મેળાઓ પણ અદ્ભુત અને વિચિત્ર કહી શકાય તેવા હોય છે . આપણે તો માણવો છે ડાંગ દરબારને . લોકકલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધતામાં એકતા ધરાવતી ‘ આપણા દેશની અનોખી સંસ્કૃતિએ આખા વિશ્વમાં ( Whole world ) અચરજ ફેલાવ્યું છે ત્યારે આપણી પરંપરાગત લોકસંસ્કૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે . ગુજરાતમાં ગણીગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે , જેમાં ડાંગ દરબારનું સ્થાન અગ્રેસર કહી શકાય . ડાંગ દરબારનો ઇતિહાસ

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક  ગુજરાતના મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકામાં ઊંઝાથી પાંચ કિલોમીટરના અંતરે ઉનાવા ગામમાં આવેલી હજરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતીક બનેલી છે . ઇસ્લામિક કૅલેન્ડર વર્ષ પ્રમાણે પ્રથમ માસ મોહરમના ૨૯ મા દિવસની રાત્રિએ ચાંદ દેખાતાં આ દરગાહનો ઉર્સ શરૂ થાય છે . આ ઉર્સ મુબા ૨ ક પંદર દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે . ગુજરાતમાં ઘણાં ધાર્મિક સ્થળો એવાં છે કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના મનની મુરાદ પૂરી કરવા ઊમટી પડે છે અને તેમાંની એક જગ્યા એટલે હજરત સૈયદ અલી મીરા દાતારનો દરબાર . હજરત સૈયદ અલી મીરા દાતારનો જન્મ અમદાવાદના ખાનપુર વિસ્તારના સૈયદવાડામાં થયો હતો . મીરા દાતારનો જન્મ રમઝાન માસની ચાંદરાતે થયો હતો . જ્યારે તેઓ મહોરમના ૨૯ મા દિવસે શહીદ થવા તેમની આ શહીદીના માનમાં હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક ઊજવવામાં આવે છે . તેમને ‘ મીરા દાતાર ’ ’ તરીકે ઓળખવામાં આવે છે , કારણ કે ‘ મીરા’નો અર્થ થાય છે ‘ બહાદુર ’ અને ‘ દાતાર’નો અર્થ થાય છે ‘ આપનાર ’ . ઉર્સ દરમિયાન ચાલતી વિવિધ વિધિઓ , જેમકે કુરાન શરીફનું પઠન , ગુંસલ , નિશાન ચ

ક્વાંટ ગૈરનો મેળો

ક્વાંટ – ગૈરનો મેળો  પુરાતન કાળથી ક્વાંટ આદિવાસીઓનું કેન્દ્રસ્થળ છે . રાઠવા સમાજના હૃદયમાં વસેલુ ક્વાંટ વડોદરાથી લગભગ ૧૦૦ કિમી અંતરે ઉત્તર - પૂર્વ દિશામાં , પંચમહાલના એક છેડા તરફ તથા મધ્યપ્રદેશની એક સરહદ પર રહેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે . આ મેળો અત્રે હોળીના પાંચમા દિવસે એટલે કે રંગપાંચમના દિવસે ભરાય છે , જેને “ ગૈરનો મેળો ” તરીકે ઓળખાય છે . આજુબાજુનાં પચાસ ગામમાંથી , મધ્યપ્રદેશમાંથી અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ અહીં આ મેળોનો આનંદ માણવા આવે છે . સાથોસાથ અનેક દેશોમાંથી ઘણા લોકો આ આદિવાસી સંસ્કૃતિનું રસ - પાન કરવા તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવે છે . આ સ્થળ પર રાઠવા સમાજના લોકો પૃથ્વી પર પોતાની હયાતીની ખુશી માણવા માટે કોઈ પણ પૂર્વતૈયારી વગર એકઠા થાય છે . અહીં આ સમાજનાં પુરુષો તથા સ્ત્રીઓ રંગબેરંગી , ભપકાદાર , વિશિષ્ટ પ્રકારની પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત જોવા મળે છે . તેઓ મેળામાં નાચવા - ગાવા લગ્નની વાતચીત કરવા , સામાનની અદલાબદલી કરવા , વર્ષ દરમિયાનમાં આનંદના સમાચારની વહેંચણી એકબીજા સાથે કરવા એકત્ર થતા હોય છે . દરેક ગામમાંથી સ્ત્રી - પુરુષો અલગ - અલગ જૂથમાં મેળા

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો  સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે ‘ ઉત્સવ પ્રિયા ખલુ માનવા ’ ’ એટલે કે બધા માણસોને ઉત્સવ પ્રિય હોય છે . એમાંય ગુજરાતીઓ તો ખૂબ જ આનંદી સ્વભાવના હોય છે . ઉત્સવો તેમની એક આગવી ઓળખ બની ગયા છે . આજે આપણે આવા જ એક ઉત્સવની વાત કરીશું , જે ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે મેળા સ્વરૂપે ઊજવાય છે . પુરાતન કાળમાં ડાકોરની આસપાસનો આખો વિસ્તાર ખાખરિયા વન તરીકે ઓળખાતો હતો . ગાઢ જંગલવાળો આખો વનવિસ્તાર રળિયામણો હોવાથી ઋષિમુનિઓ તપ કરવા અહીં આવતા . એક દંતકથા મુજબ ડંકઋષિ નામના એક ઋષિ અહીં તપ કરતા હતા . એક દિવસ તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને ડંકઋષિને વરદાન માંગવા કહ્યું . ડંકઋષિએ તો વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં . તેમણે ભગવાનને કહ્યું , “ ભગવાન તમે અહીં મારી પાસે જ રહો . ’ આથી ભગવાન પોતનું વચન પાળવા પોતાની હયાતી સ્વરૂપે એક શિવલિંગ અહીં મૂકતા ગયા , જે ડંકનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ થયું , જેને કારણે આ આખોય વનવિસ્તારવનવિસ્તારડંકપુર નામે ઓળખાવા લાગ્યો . હાલનું આ ડાકોર શ્રીકૃષ્ણના પરમ ભક્ત વિજયાનંદ બોડાણાને આભારી છે . બીજી એક દંતકથા મુજબ ભક્ત બોડાણા પોતાના હાથમાં તુલસીનાં ક

ગોળ - ગધેડાનો મેળો

ગોળ - ગધેડાનો મેળો  દાહોદ વિસ્તારના આદિવાસીઓમાં ચૂલના મેળાની જેમ અતિ પ્રસિદ્ધ એવો ‘ ગોળ - ગધેડા’નો મેળો ભરાય છે . આ મેળો પણ તેની આગવી વિશિષ્ટતા ધરાવતો મેળો છે . હોળી પછીના પાંચમા , સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં ‘ ગોળ - ગેધેડા’નો મેળો ભરાય છે . આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો સ્ત્રી - પુરુષ ઢોલ વગાડતાં વગાડતાં અને આનંદથી નાચતાં - ગાતાં આવે છે . પૌરાણિક યુગના સ્વયંવરની યાદ તાજી કરાવતો આ ગોળ - ગધેડાનો આદિવાસી સિવાયના અન્ય સમાજે પણ એકાદ વખત તો જોવા જેવો છે . મેળાના મેદાનની મધ્યમમાં ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો સમક્ષિતિજ લાંબો સ્તંભ ઊભો કરવામાં આવે છે . તેના ઉપર વીંધ પાડી માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર - પાંચ ફૂટનાં બે આડાં લાકડાંના કટકા બેસાડવામાં આવે છે . તે થાંભલાની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે . દૂરથી જોતાં આનો આકાર ઈશુના ક્રૉસ સ્તંભ જેવો લાગે છે . આ સ્તંભની આજુબાજુ યુવાન કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે . બે - ત્રણ જુવાનડા કન્યાઓના આ ટોળાની વચમાં થઈને થાંભલે ચડે છે . થાંભલે ચઢનાર યુવાનને