सीधे मुख्य सामग्री पर जाएं

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

 સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે ‘ ઉત્સવ પ્રિયા ખલુ માનવા ’ ’ એટલે કે બધા માણસોને ઉત્સવ પ્રિય હોય છે . એમાંય ગુજરાતીઓ તો ખૂબ જ આનંદી સ્વભાવના હોય છે . ઉત્સવો તેમની એક આગવી ઓળખ બની ગયા છે . આજે આપણે આવા જ એક ઉત્સવની વાત કરીશું , જે ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે મેળા સ્વરૂપે ઊજવાય છે . પુરાતન કાળમાં ડાકોરની આસપાસનો આખો વિસ્તાર ખાખરિયા વન તરીકે ઓળખાતો હતો . ગાઢ જંગલવાળો આખો વનવિસ્તાર રળિયામણો હોવાથી ઋષિમુનિઓ તપ કરવા અહીં આવતા . એક દંતકથા મુજબ ડંકઋષિ નામના એક ઋષિ અહીં તપ કરતા હતા . એક દિવસ તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને ડંકઋષિને વરદાન માંગવા કહ્યું . ડંકઋષિએ તો વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં . તેમણે ભગવાનને કહ્યું , “ ભગવાન તમે અહીં મારી પાસે જ રહો . ’ આથી ભગવાન પોતનું વચન પાળવા પોતાની હયાતી સ્વરૂપે એક શિવલિંગ અહીં મૂકતા ગયા , જે ડંકનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ થયું , જેને કારણે આ આખોય વનવિસ્તારવનવિસ્તારડંકપુર નામે ઓળખાવા લાગ્યો . હાલનું આ ડાકોર શ્રીકૃષ્ણના પરમ ભક્ત વિજયાનંદ બોડાણાને આભારી છે . બીજી એક દંતકથા મુજબ ભક્ત બોડાણા પોતાના હાથમાં તુલસીનાં કૂંડાં લઈને દર છ મહિને ભગવાનનાં દર્શન કરવા ડાકોરથી દ્વારિકા પગપાળા જતા . ૭૨ વર્ષની ઉંમર સુધી આ સિલસિલો ચાલુ રાખ્યો . પછી ભગવાને બોડાણાને કહ્યું કે હવે તમારે અહીં આવવાની જરૂર નથી . તમે ગાડું લઈને આવજો , હું તમારી સાથે ડાકોર આવીશ . એટલે બોડાણાજી ગાડું લઈને દ્વારિકા ગયા . ત્યાં ગૂગળી બ્રાહ્મણોએ તેમના ગાડાને અટકાવ્યું . અને તેમની ભગવાનને સાથે લઈ જવાની વાત પર હસી ઉડાવી . બ્રાહ્મણોએ મંદિરના દરવાજાઓને તાળાં મારી દીધાં . ભગવાને બધાં તાળાં તોડી નાંખી ઊંઘી રહેલા બોડાણાને જગાડી પોતાને ડાકોર લઈ જવા કહ્યું . બોડાણાની સાથે ભગવાન ગાડામાં બેસી ડાકોર આવવા નીકળ્યાં . પછી થાકેલા બોડાણાને આરામ કરવાનું કહી ભગવાને ગાડું હંકાર્યું . બીજા દિવસે સવારે ઉમરેઠથી થોડે દૂર સીમળજ ગામ આગળ બિલેશ્વર પાસે લીમડાના વૃક્ષ પાસે ભગવાને ગાડું ઊભું કર્યું . ભગવાને તે લીમડાની ડાળને પકડતાં તેમના સ્પર્શથી તે મીઠી થઈ ગઈ હતી . દ્વારિકાના ગૂગળીઓ બોડાણાનો પીછો કરતાં ડાકોર આવી પહોચ્યા . આથી ભગવાને પોતાની મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડવા બોડાણાને કહ્યું . બોડાણાએ મૂર્તિ તળાવમાં સંતાડી દીધી . ગૂગળીઓની સાથે આવેલા સૈનિકોમાંથી એકે બોડાણાની તરફ ભાલાનો પ્રહાર કર્યો . માથામાં સખત થા વાગવાથી બોડાણા મૃત્યુ પામ્યા , પણ ગૂગળીઓ તો હઠ લઈને બેઠા કે મૂર્તિ લઈને જ જઈશું . છેવટે નક્કી થયું કે બોડાણાની પત્ની ગંગાબાઈ મૂર્તિની ભારોભાર સોનું ગૂગળીઓને આપે તો તેઓ મૂર્તિ ડાકોરમાં રહેવા દેશે . ગંગાબાઈ પાસે તો સોનાની એક વાળી સિવાય કંઈ નહોતું . આથી તોલાતી વખતે ભગવાન ગંગાબાઈની સવા વાલ વજનની વાળી જેટલા વજનમાં હલકા થયા . એટલે શરત મુજબ ગૂગળીઓએ મૂર્તિ ડાકોરમાં જ રાખવી પડી . નિઃસ્વાર્થ ભક્તિવાળા માણસોના હૃદયકમળમાં ભગવાનનો વાસ થાય છે . એ ભક્ત બોડાણા અને ગંગાબાઈએ સિદ્ધ કરી બતાવ્યું . તેમના પ્રતાપે ડાકોર તીર્થધામ બની ગયું . દૂર દૂરથી ભગવાનનાં દર્શને લોકો આવવા લાગ્યા . ડાકોરની વસ્તી વધવા લાગી . ડાકોરવાસીઓ અનન્ય ભક્તિભાવથી રોજ વિધિ વિધ પ્રકારના ઉત્સવ કરવા લાગ્યા . ઠેર ઠેરથી ભક્તોની ભજનમંડળીઓ યાત્રાધામમાં આવવા લાગી . થોડા સમયમાં જ ડાકોર દૂર દૂરના પ્રદેશ સુધી સુપ્રસિદ્ધ થઈ ગયું . ડાકોરનું રણછોડરાયજીનું હાલનું આ મંદિર ઈ . સ . ૧૭૭૨ માં એક લાખ રૂપિયાના ખર્ચે શ્રી ગોપાલ જગન્નાથ તામ્બવેકરે બંધાવ્યું હતું . તેમાં બારબારરાશિ પ્રમાણે દરેક બાજુ બાર બાર પગથિયાં છે . આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે . ઊંચામાં ઊંચો મિનારો નેવું ફૂટનો છે . તેના ચોવીસે મિનારા સોનાના વરખથી મઢેલા છે . તેમાં કાળા રેતાળ પથ્થરની સવા ત્રણ ફૂટ ઊંચી અને દોઢ પહોળી પ્રતિમા છે . મુખ્ય ઘુમ્મટની અંદરની દીવાલો પર તૈલી ચિત્રો છે , જે શ્રીકૃષ્ણના જીવનચરિત્રને દર્શાવે છે . ખેડા જિલ્લાના આ પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનું અનેરું મહત્ત્વ છે . દર વરસે દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ડાકોરના ઠાકોરનાં દર્શન કરવા આવતા હોય છે . ઘણા બધા તો પગપાળા આવે છે . આ ભાવિક ભક્તોની સેવાનો લહાવો લેવા સંખ્યાબંધ સ્વયંસેવકો દ્વારા રસ્તામાં ઠેર ઠેર વિસામા ઊભા કરવામાં આવે છે . અહીં તેમની નિશુલ્ક નિઃસ્વાર્થભાવે પૂરા ભાવપૂર્વક ભોજન - પાણી , દવા - માલિશ વગેરે સેવા કરવામાં આવે છે . જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ રસ્તાની આજુબાજુ ઠેર ઠેર શૌચાલયો , સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવે છે . શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા વધારાની બસોની અને અલાયદા બસસ્ટોપની પણ સુવિધા કરવામાં આવે છે . જિલ્લા પોલીસ વહીવટી તંત્ર પણ સુરક્ષાને ધ્યાને લઈને બાજનજરે ખડે પગે રહે છે . મેળાના દિવસે આખું ડાકોર દર્શનાર્થીઓથી ઊભરાય જાય છે . ગલીએ ગલીએ ‘ જય રણછોડ માખણચોર’ના નારા ગુંજી ઊઠે છે . એટલું જ નહિ , પણ ઠેર ઠેર વિવિધ પ્રકારની વસ્તુઓ , રમકડાં અને ખાણી - પીણીની ચીજવસ્તુઓના સ્ટોલના લીધે મેળાની જમાવટ જાય છે . આસો સુદ પૂનમ શરદ પૂનમ કે જેને માણેકઠાળી પૂનમ કહે છે ત્યારે પણ અહીં ડાકોરમાં મેળો ભરાય છે એથી તેને માણેકઠારી પૂનમનો મેળો પણ કહે છે . મેળાનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ઉત્સવ ગોલોત્સવનું આયોજન કરવામાં આવે છે તે છે . જ્યાં સતત બે દિવસ સાંજના સમયથી મોડી રાત સુધી સમગ્ર જિલ્લાના શ્રેષ્ઠ કળાકારો દ્વારા ઉત્તમોત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકકળા રજૂ કરવામાં આવે છે અને ડાકોરના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવે છે , જે દરેક માટે એક યાદગાર ઉત્સવ બની રહે છે . રણછોડરાયજીનાં પાવન દર્શનની સાથે સાથે મેળાનો ભરપૂર આનંદ લૂંટવાનો લહાવો દરેકે એક વાર તો લેવો જ જોઈએ . .

ડાકોરનું રણછોડરાયજીનું હાલનું આ મંદિર ઈ . સ . ૧૭૭૨ માં એક લાખ રૂપિયાના ખર્ચે શ્રી ગોપાલ જગન્નાથ તામ્બવેકરે બંધાવ્યું હતું . તેમાં બાર રાશિ પ્રમાણે દરેક બાજુ બાર બાર પગથિયાં છે . આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે . ઊંચામાં ઊંચો મિનારો નેવું ફૂટનો છે . તેના ચોવીસે મિનારા સોનાના વરખથી મઢેલા છે . તેમાં કાળા રેતાળ પથ્થરની સવા ત્રણ ફૂટ ઊંચી અને દોઢ પહોળી પ્રતિમા છે .

પૂનમના મેળાનું અનેરું મહત્ત્વ છે . દર વરસે દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ડાકોરના ઠાકોરનાં દર્શન કરવા આવતા હોય છે . ઘણા બધા તો પગપાળા આવે છે . આ ભાવિક ભક્તોની સેવાનો લહાવો લેવા સંખ્યાબંધ સ્વયંસેવકો દ્વારા રસ્તામાં ઠેર ઠેર વિસામા ઊભા કરવામાં આવે છે . અહીં તેમની નિશુલ્ક નિઃસ્વાર્થભાવે પૂરા ભાવપૂર્વક ભોજન - પાણી , દવા – માલિશ વગેરે સેવા કરવામાં આવે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे