ડાંગ દરબાર - એક આકર્ષણ
આપણે આ એક ડાંગ દરબાર - એક આકર્ષણના કાલ્પનિક પ્રવાસમાં ડાંગ દરબારની મુલાકાતે જઈએ . ગત ફાગણ માસ - હોળીમાં આ ડાંગ દરબારનો અનેરો ઉત્સવ ઊજવાયો હતો . ડાંગની સંસ્કૃતિ એક વૈશિષ્યપૂર્ણ અને ઐતિહાસિક મહત્તા ધરાવનારી સંસ્કૃતિ છે , જેના વિશે જાણવામાં તથા માણવામાં આપને ખૂબ જ રસ પડશે . અન્ય જિલ્લાઓમાં ઊજવાતા ઉત્સવો અને મેળાઓની જેમ જ ડાંગ જિલ્લાના આહવામથકે ડાંગ દરબારની ઉજવણી એ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્રબિન્દુ છે . આ ઉત્સવ આદિવાસી અને ડાંગી પ્રજા ખૂબ જ ઉત્સાહથી મન મૂકીને ઊજવે છે . જંગલોમાં પર્વતોની વચ્ચે , કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીતરિવાજો અનોખાં હોય છે . તેના મેળાઓ પણ અદ્ભુત અને વિચિત્ર કહી શકાય તેવા હોય છે . આપણે તો માણવો છે ડાંગ દરબારને . લોકકલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધતામાં એકતા ધરાવતી ‘ આપણા દેશની અનોખી સંસ્કૃતિએ આખા વિશ્વમાં ( Whole world ) અચરજ ફેલાવ્યું છે ત્યારે આપણી પરંપરાગત લોકસંસ્કૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે . ગુજરાતમાં ગણીગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે , જેમાં ડાંગ દરબારનું સ્થાન અગ્રેસર કહી શકાય . ડાંગ દરબારનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે ડાંગ પ્રદેશમાં હોળીના પર્વનું મોટું માહાત્મ્ય છે . ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળીના દિવસો દરમ્યાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે .
સને ૧૯૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો જ કરતા હતા . એ જ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા . ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ , નાયકો , ભાઈબંધો , પોલીસ પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી . દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોને હેતુ ડાંગી રાજાઓ , નાયકો તથા લોકો એક જ જગ્યાએ એકઠા થાય તે હતો . આહવાની આજુબાજુનાં ગામોના લાખો આદિવાસીઓ આ સાત દિવસની અવિધ માટે ચાલતાં ડાંગ દરબારમાં એકત્ર થતા . લગભગ ૩૦૦ જેટલાં ગામોમાંથી આદિવાસી પ્રજા ખાસ ડાંગ દરબારમાં આવતી . આ દરબાર તેમની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરતો . વર્તમાન સમયમાં પણ આ ક્રમ ચાલુ છે , પરંતુ આજે ડાંગના આદિવાસી રાજાઓ બેસે છે જરૂર , પણ ફરિયાદોનું નિવારણ જિલ્લા કલેક્ટર જ કરે છે . ડાંગ દરબારમાં ડાંગી રાજાઓ , નાયકો તેમજ ભાઈબંધો રંગબેરંગી પોશાકમાં સુસજ્જ થઈને આવે છે જે લોકાર્પણનું કેન્દ્ર બને છે . સમગ્ર ડાંગી પ્રજા આદિવાસી સંસ્કૃતિની સુરાવલિઓના મધુર અને કર્ણપ્રિય સંગીતમાં મુગ્ધ થઈને સમગ્ર દરબારને ઉલ્લાસમય વાતાવરણમાં પરિવર્તિત કરી દે છે . અહીના આદિવાસીઓ તેમની વિશિષ્ટતા અનુસાર તેમના હસ્તકલાના નમૂનાઓ અને સજાવટની વસ્તુઓ નાશિક , સુરત કે પશ્ચિમના દેશોમાંથી આવતા પ્રવાસીઓ શોખથી ખરીદે છે . વિવિધ જૂથો પોતાની નૃત્યકલા , વાદ્યકલા અને સંગીતકળાનું પ્રદર્શન કરે છે . આ મેળાની શરૂઆત વડીલોની હાજરીમાં બોનફાયર પ્રગટાવીને કરવામાં આવે છે . પછી કહાલિયા ’ અને ‘ તાડપુર ’ જેવાં વાઘોના સૂરોથી વાતાવરણ મધુર અને આહ્લાદક બને છે . ડાંગ દરબારમાં દેશ - વિદેશના સહેલાણીઓ આદિવાસી સંસ્કૃતિને જાણવા અને માણવા માટે આવે છે . ઉત્સવપ્રિય ડાંગી આદિવાસી પ્રજા માટે મહત્ત્વનો ઉત્સવ “ ડાંગ દરબાર ” જ છે . ડાંગના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝાંખી કરાવતી ડાંગની આ ધરોહર તથા સંસ્કૃતિ તથા આ પ્રદેશની અઢળક વનસંપદાના જતન માટે જીવ ગુમાવનારા ડાંગી આદિવાસીઓને તેમના પરિવારજનો તથા પ્રજાજનોની બલિદાન અને શૌર્યની ગાથાને કેમ ભૂલી શકાય ? અંગ્રેજો સામે ટક્કર ઝીલનારા આદિજાતિના આ શૂરવીરોને યાદ કરી બિરસા મુંડાને સ્મરણાંજલિ આપવી ઘટે . આ ડાંગ દરબારના રંગ - ઉપવન ખાતે યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ન માણીએ તો ડાંગ દરબારનો પ્રવાસ અધૂરો ગણાય . આ કાર્યક્રમમાં ખાસ કરીને મહારાષ્ટ્રના લાવણી નૃત્ય , રાજસ્થાનનું તેરા નાલ , ડાંગનું પાવરી નૃત્ય અને ડાંગી નત્ય સાથે રાસ - ગરબાની રમઝટ દિલને ડોલાવી મૂકે તેવી હોય છે . આ પ્રસંગે જુદી જુદી યોજના હેઠળ લાભાર્થીઓને રિવોલ્ડિંગ ફંડમાંથી ચેકોનું વિતરણ પણ કરવામાં આવે છે . ઘણા રાજવીઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી ડાંગ દરબારમાં જાહેર સન્માન કરવામાં આવે છે .
ડાંગના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝાંખી કરાવતી ડાંગની આ ધરોહર તથા સંસ્કૃતિ તથા આ પ્રદેશની અઢળક વનસંપદાના જતન માટે જીવ ગુમાવનારા ડાંગી આદિવાસીઓને તેમના પરિવારજનો તથા પ્રજાજનોની બલિદાન અને શૌર્યની ગાથાને કેમ ભૂલી શકાય ? અંગ્રેજો સામે ટક્કર ઝીલનારા આદિજાતિના આ શૂરવીરોને યાદ કરી બિરસા મુંડાને સ્મરણાંજલિ આપવી ઘટે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें