ક્વાંટ – ગૈરનો મેળો
પુરાતન કાળથી ક્વાંટ આદિવાસીઓનું કેન્દ્રસ્થળ છે . રાઠવા સમાજના હૃદયમાં વસેલુ ક્વાંટ વડોદરાથી લગભગ ૧૦૦ કિમી અંતરે ઉત્તર - પૂર્વ દિશામાં , પંચમહાલના એક છેડા તરફ તથા મધ્યપ્રદેશની એક સરહદ પર રહેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે . આ મેળો અત્રે હોળીના પાંચમા દિવસે એટલે કે રંગપાંચમના દિવસે ભરાય છે , જેને “ ગૈરનો મેળો ” તરીકે ઓળખાય છે . આજુબાજુનાં પચાસ ગામમાંથી , મધ્યપ્રદેશમાંથી અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ અહીં આ મેળોનો આનંદ માણવા આવે છે . સાથોસાથ અનેક દેશોમાંથી ઘણા લોકો આ આદિવાસી સંસ્કૃતિનું રસ - પાન કરવા તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવે છે . આ સ્થળ પર રાઠવા સમાજના લોકો પૃથ્વી પર પોતાની હયાતીની ખુશી માણવા માટે કોઈ પણ પૂર્વતૈયારી વગર એકઠા થાય છે . અહીં આ સમાજનાં પુરુષો તથા સ્ત્રીઓ રંગબેરંગી , ભપકાદાર , વિશિષ્ટ પ્રકારની પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત જોવા મળે છે . તેઓ મેળામાં નાચવા - ગાવા લગ્નની વાતચીત કરવા , સામાનની અદલાબદલી કરવા , વર્ષ દરમિયાનમાં આનંદના સમાચારની વહેંચણી એકબીજા સાથે કરવા એકત્ર થતા હોય છે .
દરેક ગામમાંથી સ્ત્રી - પુરુષો અલગ - અલગ જૂથમાં મેળામાં આવે છે . દરેક જૂથમાં સ્ત્રીઓ એકસરખા જ રંગની અને એકસરખું જ ચિત્રણ કરેલી ઓઢણી , ચણિયો અને ચોલી પહેરે છે અને તે જ પ્રમાણે પુરુષો પણ એકસરખા જ રંગનું શર્ટ , ધોતી અને પાઘડી પહેરે છે . આ ઉપરાંત દરેક સ્ત્રી - પુરુષો ચાંદીનાં આભૂષણોથી શોભાયમાન થયેલાં જોવા મળે છે . દરેક જૂથમાં એક પુરુષ “ ગેરિયો ’ ’ બનેલો જોવા મળે છે . આ ગેરિયો મેળામાં સંપૂર્ણ આદિવાસીના પોશાકમાં એટલે કે ઝાડનાં પાંદડાંમાંથી બનાવેલો પોશાકમાં જોવા મળે છે , જેના હાથમાં તીર - કામઠું અને કમરે શાકભાજી - તુંબડુ લટકાવેલાં હોય છે . દરેક પુરુષોના આખા શરીર પર કાળા રંગનાં અને સફેદ રંગનાં ટપકાં કરેલાં હોય છે . સાથોસાથ વાંસની ટોપી , તેના ૫૨ મોરનાં પીછાં અને બળદના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેર્યો હોય છે . ત્યાર બાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીઓને રીઝવવા લોકનૃત્ય કરે છે . આમ નૃત્ય સમયે એકસરખા તાલબદ્ધ વાગતા ઘૂઘરાનો અવાજ કર્ણપ્રય હોય છે . આ મેળામાં જો કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાને ગમી જાય તો તેઓને લગ્નસંબંધમાં બાંધી દેવામાં આવે છે , જે સામાજિક જીવનને ધબકતું રાખે છે . મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને દૈવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવ - સ્થાનક મૂકી આવે છે . આ રીતે દેવ ખુશ થાય છે તેવી તેઓની માન્યતા છે . દરેક મેળાની જેમ આ મેળામાં પણ સંગીત - નૃત્યનું ખાસ મહત્ત્વ છે . પાવા , ઢોલ , તૂર , પીહો , પીહોટો જેવાં સંગીતનાં સાધનો સાથે મેળાનું દશ્ય આકર્ષક બને છે . મેળામાં સામેલ આદિવાસીઓનો રંગબેરંગી પોશાક અને સુંદર ઘરેણાં તેમને અન્યથી જુદા પાડે છે . રાઠવા આદિવાસીઓ તીરંદાજીમાં કુશળ હોય છે . રાઠવાઓ વનરાજીથી છવાયેલાં જંગલોમાં ઘાસ , વાંસ , પાંદડા અને માટીમાંથી બનાવેલાં ઘરોમાં રહે છે . હવે તો તેઓ માટીમાંથી બનાવેલી ટાઇલ્સનો ઉપયોગ કરતા થયા છે . આ લોકો માટીની દીવાલો પર પીઠોરા પેઇન્ટિંગ પણ કરે છે . આ પીઠોરા પેઇન્ટિંગ કરી તેઓ માને છે કે આ ચિત્રણ દ્વારા ઈશ્વર તેમનાં ઘરમાં વસ્યા છે . આજકાલ મોટાં મોટાં શહેરોમાં પણ ઘણી વ્યક્તિઓ પોતાના ઘરમાં આવું પીઠોરા પેઇન્ટિંગ કરાવે છે તથા આ જ આદિવાસીઓનું લોકનૃત્ય કે જેને આપણે ‘ ટીમલી ’ તરીકે ઓળખીએ છીએ , તેના વગર આપણો કોઈ પણ પ્રસંગ અધૂરો જ લાગે છે . આમ , આદિવાસીઓનાં સુંદર પીઠોરા પેઇન્ટિંગ , લોકનૃત્ય વગેરે કેટલીયે સંસ્કૃતિને આપણે આપણા જીવનમાં અપનાવી છે . ક્વાંટનો મેળો અન્ય આદિવાસી મેળા કરતાં ભિન્ન , પરંતુ સંસ્કૃતિને જાળવનારો અને ઉજાગર કરનારો મેળો છે .
આ ગેરિયો મેળામાં સંપૂર્ણ આદિવાસીના પોશાકમાં એટલે કે ઝાડનાં પાંદડાંમાંથી બનાવેલો પોશાકમાં જોવા મળે છે , જેના હાથમાં તીર - કામઠું અને કમરે શાકભાજી - તુંબડુ લટકાવેલાં હોય છે . દરેક પુરુષોના આખા શરીર પર કાળા રંગનાં અને સફેદ રંગનાં ટપકાં કરેલાં હોય છે . સાથોસાથ વાંસની ટોપી , તેના પર મોરનાં પીછાં અને બળદના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેર્યો હોય છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें