सीधे मुख्य सामग्री पर जाएं

ક્વાંટ ગૈરનો મેળો

ક્વાંટ – ગૈરનો મેળો 

પુરાતન કાળથી ક્વાંટ આદિવાસીઓનું કેન્દ્રસ્થળ છે . રાઠવા સમાજના હૃદયમાં વસેલુ ક્વાંટ વડોદરાથી લગભગ ૧૦૦ કિમી અંતરે ઉત્તર - પૂર્વ દિશામાં , પંચમહાલના એક છેડા તરફ તથા મધ્યપ્રદેશની એક સરહદ પર રહેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે . આ મેળો અત્રે હોળીના પાંચમા દિવસે એટલે કે રંગપાંચમના દિવસે ભરાય છે , જેને “ ગૈરનો મેળો ” તરીકે ઓળખાય છે . આજુબાજુનાં પચાસ ગામમાંથી , મધ્યપ્રદેશમાંથી અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ અહીં આ મેળોનો આનંદ માણવા આવે છે . સાથોસાથ અનેક દેશોમાંથી ઘણા લોકો આ આદિવાસી સંસ્કૃતિનું રસ - પાન કરવા તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવે છે . આ સ્થળ પર રાઠવા સમાજના લોકો પૃથ્વી પર પોતાની હયાતીની ખુશી માણવા માટે કોઈ પણ પૂર્વતૈયારી વગર એકઠા થાય છે . અહીં આ સમાજનાં પુરુષો તથા સ્ત્રીઓ રંગબેરંગી , ભપકાદાર , વિશિષ્ટ પ્રકારની પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત જોવા મળે છે . તેઓ મેળામાં નાચવા - ગાવા લગ્નની વાતચીત કરવા , સામાનની અદલાબદલી કરવા , વર્ષ દરમિયાનમાં આનંદના સમાચારની વહેંચણી એકબીજા સાથે કરવા એકત્ર થતા હોય છે .

દરેક ગામમાંથી સ્ત્રી - પુરુષો અલગ - અલગ જૂથમાં મેળામાં આવે છે . દરેક જૂથમાં સ્ત્રીઓ એકસરખા જ રંગની અને એકસરખું જ ચિત્રણ કરેલી ઓઢણી , ચણિયો અને ચોલી પહેરે છે અને તે જ પ્રમાણે પુરુષો પણ એકસરખા જ રંગનું શર્ટ , ધોતી અને પાઘડી પહેરે છે . આ ઉપરાંત દરેક સ્ત્રી - પુરુષો ચાંદીનાં આભૂષણોથી શોભાયમાન થયેલાં જોવા મળે છે . દરેક જૂથમાં એક પુરુષ “ ગેરિયો ’ ’ બનેલો જોવા મળે છે . આ ગેરિયો મેળામાં સંપૂર્ણ આદિવાસીના પોશાકમાં એટલે કે ઝાડનાં પાંદડાંમાંથી બનાવેલો પોશાકમાં જોવા મળે છે , જેના હાથમાં તીર - કામઠું અને કમરે શાકભાજી - તુંબડુ લટકાવેલાં હોય છે . દરેક પુરુષોના આખા શરીર પર કાળા રંગનાં અને સફેદ રંગનાં ટપકાં કરેલાં હોય છે . સાથોસાથ વાંસની ટોપી , તેના ૫૨ મોરનાં પીછાં અને બળદના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેર્યો હોય છે . ત્યાર બાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીઓને રીઝવવા લોકનૃત્ય કરે છે . આમ નૃત્ય સમયે એકસરખા તાલબદ્ધ વાગતા ઘૂઘરાનો અવાજ કર્ણપ્રય હોય છે . આ મેળામાં જો કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાને ગમી જાય તો તેઓને લગ્નસંબંધમાં બાંધી દેવામાં આવે છે , જે સામાજિક જીવનને ધબકતું રાખે છે . મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને દૈવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવ - સ્થાનક મૂકી આવે છે . આ રીતે દેવ ખુશ થાય છે તેવી તેઓની માન્યતા છે . દરેક મેળાની જેમ આ મેળામાં પણ સંગીત - નૃત્યનું ખાસ મહત્ત્વ છે . પાવા , ઢોલ , તૂર , પીહો , પીહોટો જેવાં સંગીતનાં સાધનો સાથે મેળાનું દશ્ય આકર્ષક બને છે . મેળામાં સામેલ આદિવાસીઓનો રંગબેરંગી પોશાક અને સુંદર ઘરેણાં તેમને અન્યથી જુદા પાડે છે . રાઠવા આદિવાસીઓ તીરંદાજીમાં કુશળ હોય છે . રાઠવાઓ વનરાજીથી છવાયેલાં જંગલોમાં ઘાસ , વાંસ , પાંદડા અને માટીમાંથી બનાવેલાં ઘરોમાં રહે છે . હવે તો તેઓ માટીમાંથી બનાવેલી ટાઇલ્સનો ઉપયોગ કરતા થયા છે . આ લોકો માટીની દીવાલો પર પીઠોરા પેઇન્ટિંગ પણ કરે છે . આ પીઠોરા પેઇન્ટિંગ કરી તેઓ માને છે કે આ ચિત્રણ દ્વારા ઈશ્વર તેમનાં ઘરમાં વસ્યા છે . આજકાલ મોટાં મોટાં શહેરોમાં પણ ઘણી વ્યક્તિઓ પોતાના ઘરમાં આવું પીઠોરા પેઇન્ટિંગ કરાવે છે તથા આ જ આદિવાસીઓનું લોકનૃત્ય કે જેને આપણે ‘ ટીમલી ’ તરીકે ઓળખીએ છીએ , તેના વગર આપણો કોઈ પણ પ્રસંગ અધૂરો જ લાગે છે . આમ , આદિવાસીઓનાં સુંદર પીઠોરા પેઇન્ટિંગ , લોકનૃત્ય વગેરે કેટલીયે સંસ્કૃતિને આપણે આપણા જીવનમાં અપનાવી છે . ક્વાંટનો મેળો અન્ય આદિવાસી મેળા કરતાં ભિન્ન , પરંતુ સંસ્કૃતિને જાળવનારો અને ઉજાગર કરનારો મેળો છે .

આ ગેરિયો મેળામાં સંપૂર્ણ આદિવાસીના પોશાકમાં એટલે કે ઝાડનાં પાંદડાંમાંથી બનાવેલો પોશાકમાં જોવા મળે છે , જેના હાથમાં તીર - કામઠું અને કમરે શાકભાજી - તુંબડુ લટકાવેલાં હોય છે . દરેક પુરુષોના આખા શરીર પર કાળા રંગનાં અને સફેદ રંગનાં ટપકાં કરેલાં હોય છે . સાથોસાથ વાંસની ટોપી , તેના પર મોરનાં પીછાં અને બળદના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ પર પહેર્યો હોય છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...