ભવનાથનો મેળો
જૂનાગઢ પાસે ગરવા ગિરિનારાયણની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવનું અદ્ભુત નૈગિક વનરાજી હરિયાળી ગિરિકંદરા વચ્ચે સ્વયંભૂ શિવમંદિર આવેલું છે . અનંતકાળથી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી અમાવસ્યા સુધી ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક “ ભવનાથના મેળો’’નું ભવ્ય આયોજન થાય છે . આમ જ કાર્તિક સુદ અગિયારસથી પૂનમ ગિરિનારાયણ ( ગિરનાર ) ની ૩૩ કિ.મી અંતરની અતિકપરી પુણ્યનું ભાથું બાંધવા પગપાળા લીલી પરિક્રમા યોજાય છે . દેવપોઢી અગિયારસ ( દેવદિવાળી ) એ સવારે ૪ વાગ્યે શાસ્ત્રોક્ત પૂજન - અર્ચના સાથે શરૂ થતી આ પરિક્રમા ૧૦ કિ.મી.નું અંતર કાપી “ જીણાબાવાની મઢી''ના ઉતાર ( પડાવ ) એ પહોંચી ત્યાં તમામ યાત્રિકો રોકાય , પોતાનું ભોજન બનાવે અને મધ્યરાત્રિ સુધી ધૂન - ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે . બીજા દિવસજ ‘ ‘ મારવેલા’’ના બનાવે કિ.મી. ૧૦ પડાવ કરી ભોજન - ભજન ને રાત્રિરોકાણ કરી ત્રીજા દિવસે પગપાળા ચાલી ૧૧ કિ.મી ‘ ‘ બોરદેવી’’ના ઉતારે રાત્રિરોકાણ કરી સવારે ભવનાથનું ૧૨ કિ.મી.ની પદયાત્રા શરૂ કરવાની . કોઈ રાત્રે થાકી જાય તે બીજા દિવસે ભવનાથ પહોંચી પોતાની યાત્રા સંપન્ન કરે છે . ગિરનાર તીર્થક્ષેત્રમાં “ પરબ વાવડી ’ ’ સંત દેવીદાસ અને અમર દેવીદાસ તેમજ “ સતાધાર આપાગીગા’’ની ધાર્મિક જગ્યામાં અષાઢ સુદ બીજ ‘ ‘ અષાઢી બીજ’’ના રોજ ધાર્મિક ભાતીગર મેળાનું આયોજન થાય છે . સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને પિતૃમોક્ષ સ્થળ પ્રાંચી ( પિપળા ) માં ચૈત્ર સુદ તેરસ / ચૌદસ એમ બે દિવસનો અને વેરાવળના જાલેશ્વરમાં સાગર ખેડૂતોનો રામદેવપીરનો મેળો યોજાય છે . ભવનાથ મેળામાં અગિયારસથી મહશિવરાત્રિ સુધી ભારતભરમાંથી સાધુ - સંતો અને અલૌકિક મૂર્તિઓ તેમ જ ગિરનારની ગુફાઓમાં તપ કરતા સાધુઓ અને દિગબંર( નાગા બાવા ) સાધુઓ પોતાના નામી પંચનાથ અખાડામાં પધારે છે . અને હર - હર મહાદેવના બુલંદ નારાઓ સાથે ભગવાન ભવનાથ મહાદેવની પૂજા આરતી થાય છે . ભારત ક્ષેત્રમાં ફક્ત - ભવનાથનો મેળો જ ધાર્મિક રીતે ઊજવાય છે . મેળામાં દરેક સંતોના અખડાઓ અને જ્ઞાતિની ધાર્મિક જગ્યામાં અન્ન ક્ષેત્રો દ્વારા લોકોને ફલાહાર , ભોજન , ચા , નાસ્તા જેવી સંગીન વ્યવસ્થા કરી દાતાશ્રીઓ ધન્યતા અનુભવે છે . આ તમામ જગ્યાએ આપણી સંસ્કૃતિને ઉજાગર કરતાં ભજન કીર્તન અને ધૂનની સતત રમઝટ બોલાતી રહે છે . રાત્રિ પડતાં કોઈ કોઈ જગ્યાએ લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને અન્ય કલાકારોના લોકડાયરા દ્વારા ભગવાન શિવનો મહિમા લોકોને પીરસાય છે . ભવનાથના ભાતીગળ મેળામાં “ નાગા બાવા ” આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે . નાગા બાવાઓ પોતાના સ્થાને ચલમોની ચુસકી લગાવી “ બમ બમ ભોલે ’ ’ જેવા ઉચ્ચા નારાઓ લગાવે છે . દેશ - વિદેશથી પધારેલા ધાર્મિક લોકો આ બાવાઓને વીંટળાઈને સતત આશીર્વારૂપી શબ્દો મેળવી ધન્ય બને છે . વર્ષોનાં વર્ષોથી ગુફાઓમાં જપ - તપ કરતા ૨૦-૨૫ ફૂટથી વધારે જટા - દાઢી ધરાવતા અતિ દિવ્ય મૂર્તિઓનાં દર્શનનો લાભ મેળવે છે . આ દિવ્ય મૂર્તિઓ પોતાની તપસ્વી શક્તિથી તલવારબાજી અન્ય ખેલકૂદની તરકીબો દ્વારા લોકોને અભિભૂત કરી દે છે . મહા વદ નોમના મહામુહૂર્તે ભગવાન ભવનાથ મહાદેવના મંદિર પર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવા નાગા બાવાઓ હાથીની અંબાડી પર બેસીને જાય છે . જાતજાતનાં વાઘો - વાજિંત્રો ને અનેક જાતના શંખનાદો કરે છે . આ પુરાતન સ્થળે મુચકુંદ , ભર્તૃહરિ અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે . લોકોના ઉતારા માટે વિશાળ તંબુઓ બાંધવામાં આવે છે તેમજ સરકાર તરફથી દવા , પાણી , ઇમરજન્સી વાહનવ્યવહાર તેમજ સલામતીની સંગીન વ્યવસ્થા કરવામાં આવે છે . દરેક વિભાગના અધિકારી - કર્મચારી સતત ખડે પગે ફરજ બજાવી લોકોની સેવા કરે છે . સ્કંદપુરાણમાં ઉલ્લેખાયેલી દંતકથા મુજબ શિવ - પાર્વતી રથમાં બેસી આકાશમાં જતાં હતાં ત્યારે માતાજીનું દિવ્ય આભૂષણ ભવનાથ મંદિર પાસે પડ્યું એથી આ ક્ષેત્રને ‘ ‘ વસ્ત્ર પૂતક્ષેત્ર ’ ’ તરીકે ગણવામાં આવે છે . મહાશિવરાત્રિની રાત્રે નીકળતી નાગા બાવાની રવેડીમાં તલવારબાજી અને અંગકસરતની તરકીબો અને શંખોના અવનવા નાદથી જનમેદની શિવમય બની શિવતાંડવ કરવા લાગે છે . રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ દામોદરકુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મંદિરે રાત્રે ૧૨ કલાકે પહોંચતાં સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હરહર મહાદેવના નારા સાથે “ મૃગીકુંડ ” માં મહાસ્નાન કરે છે . ધાર્મિક નિશ્ચિત કરેલી પરંપરા મુજબ પ્રમુખ અખાડાના સાધુઓ પ્રથમ સ્નાન કરે , ત્યાર બાદ બીજાઓ સ્નાન કરી શકે છે . દંતકથા મુજબ મૃગીકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે . ભવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરિનારાયણ ( ગિરનાર ) માં ભર્તૃહરિ , ગોપીચંદ , અશ્વત્થામા અતર્યામી રહે છે . મહાશિવરાત્રિની રાત્રે ગિરનારના મહાન તપસ્વી સિદ્ધો મૃગીકુંડમાં નહાવા પડે છે ત્યાંથી ફરી બહાર નીકળતા નથી . તે સિદ્ધિના તપના બળે પોતાના સ્થળે પહોંચે છે . આમ , જૂનાગઢ અને ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથ મેળામાં તાદેશ થઈ ઝળહળી ઊઠે છે .
મહાશિવરાત્રિની રાત્રે નીકળતી નાગા બાવાની રવેડીમાં તલવારબાજી અને અંગકસરતની તરકીબો અને શંખોના અવનવા નાદથી જનમેદની શિવમય બની શિવતાંડવ કરવા લાગે છે . રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ દામોદરકુંડ વગેરે સ્થળે પરિભ્રમણ કરી ભવનાથ મંદિરે રાત્રે ૧૨ કલાકે પહોંચતાં સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હરહર મહાદેવના નારા સાથે “ મૃ ગીકુંડ’’માં મહાસ્નાન કરે છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें