>>સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094-1143 )
>>જન્મ : પાલનપુર સિદ્ધરાજ જયસિંહ ઈ.સ.
>>1094 માં ગાદી પર આવ્યા .
>>સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજવી છે .
>> પિતા : કર્ણદવ સોલંકી
>>માતા : મીનળદેવી
>> પુત્રી : દેવળદેવી ( દેવળદેવી કાચનદેવી તરીકે પણ ઓળખાય છે જેને સિદ્ધરાજે દત્તક લીધી હતી . )
>>રાજ્યની ફરજો અંગે તાલીમ આપનાર : શાંતનુ મંત્રી
>>સિદ્ધરાજ જયસિંહની સિદ્ધીઓ
>>સોરઠ વિજય
>>સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા ગયેલા ત્યારે જૂનાગઠજૂનાગઠના રાજવી રા' ખેંગારે પાટણ જઈ પૂર્વનો દરવાજો તોડી નાખ્યો ઉપરાંત ત્યાં રાણકદેવી રા'ખેંગાર તેને પરણીને લઈ ગયો .
>>આથી જયસિંહે માળવાથી પાછા ફરી અંતે રા'ખેંગારના જનાગઢ પર આક્રમણ કર્યું . લાંબા સમય સુધી લડત ચાલી રા ખેંગાર ના ભત્રીજા દેશળ તથા વિશળ ફુટી જતા સોલંકી સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કર્યો અને રાખેંગાર નો યુદ્ધમાં મૃત્યુ થયું અને રાણકદેવીને સાથે લીધા પરંતુ તે રસ્તામાં જ વઢવાણ પાસે સતી થયા .
>>જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીની નિમણૂક કરી હતી .
>>સોરઠની જીત મેળવીને વિજય પ્રસ્થાન કરી ત્રૈલોક્યગંડ બિરૂદ ધારણ કર્યું . તથા સોરઠના વિજયની યાદમાં સિદ્ધચક્રવર્તી બિરૂદ ધારણ કર્યું .
>>સોરઠ જીત્યા બાદ જયસિંહે સોમનાથની યાત્રા કરી ઉપરાંત મીનળદેવીની આજ્ઞાથી સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરી નાખ્યો .
>>જૂનાગઢના વિજયના લીધે વર્ષ ઈ.સ. 1114 થી સિંહ સવંત શરૂ કર્યું .
>> માળવા પરનો વિજય
>>સિદ્ધરાજ જયસિંહ સોમનાથની યાત્રાએ ગયા ત્યારે માળવાના રાજા નરવર્માએ ગુજરાત પર ચઢાઈ કરી . પરંતુ અંતે શાંતુ ( જયસિંહના મંત્રી ) મંત્રીની સમજાવટથી તે પાછો ફર્યો .
>>સિદ્ધરાજે પાટણ આવીને માળવા પર ચઢાઈ કરી . નરવર્માના ઉત્તરાધિકારી યશોવર્માને કેદ કર્યા તથા ધારાનગરીનો દુર્ગ કબજે કર્યો .
>>માળવાના વિજયથી જયસિંહને અવંતીનાથનું બિરૂદ મળ્યું .
>>માળવાના દંડક તરીકે તેમણે પોતાના મહામાત્ય દાદકના પુત્ર મહાદેવની નિમણૂક કરી .
>>માળવાના પૂર્વ રાજવી ભોજરાજાનો ગ્રંથભંડાર પણ જયસિંહ પોતાની સાથે પાટણ લાવ્યો . અને તેના ગ્રંથ ભોજવ્યાકરણ પરથી પ્રભાવિત થઈને હેમચંદ્રાચાર્ય એ સિદ્ધહેમ શબ્દાનુશાસન ' નામે નવો વ્યાકરણનો ગ્રંથ રચ્યો .
>>બર્બરક પર વિજય
>> બર્બરક અલૌકિક શક્તિ ધરાવતો હતો .
>> તે આવેલા શ્રીસ્થલ ( સિદ્ધપુર ) તીર્થના ઋષિઓને રંજાડતો હતો .
>> સિદ્ધરાજે તેને હરાવ્યો અને બર્બરકે તેની સેવામાં રહેવાનું સ્વીકાર્યું .
>>બર્બરકને હરાવી સિદ્ધરાજ ‘ બર્બરક જિષ્ણુ ’ કહેવાયા .
>>શાકભરીના ચહમાન પર વિજય
>>શાકંભરીના ચહમાન રાજા અજયરાજ પોતાની સત્તા વિસ્તારતો હતો .
>>અજયરાજના પુત્ર અર્ણોરાજનો જયસિંહ સામે પરાજય થયો .
>>અંતે સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવી ( જે દતક પુત્રી હતા ) ના લગ્ન અર્ણોરાજ સાથે કર્યા . અને કાંચનદેવીના પુત્ર સોમેશ્વરને પોતાની પાસે રાખી તેનો ઉછેર કર્યો .
>>સિદ્ધરાજ જયસિંહનું કળા સ્થાપત્ય
>>સરસ્વતી નદી કિનારે રૂદ્ર મહાલયનું બાંધકામ પૂરું કરાવ્યું ( બાંધકામની શરૂઆત મૂળરાજ −1 એ કરી હતી . )
>>શ્રીસ્થલ હવે સિદ્ધરાજના નામથી સિદ્ધપુર તરીકે ઓળખાયું .
>> દુર્લભ સરોવર જળાશયને વિશાળ ભવ્ય જળાશય બનાવ્યું . તેના કાંઠે 1008 શિવાલય બંધાવ્યા . હવે તેનું નામ સહસ્ત્રલિંગ તળાવ તરીકે પ્રસિદ્ધ થયું .
>>ડભોઈનો કિલ્લો સિદ્ધરાજે બંધાવેલો . જેમાં ચાર દરવાજા છે . તે ચારેય દિશાઓમાં છે . જેની પૂર્વમાં હિરાભાગોળ છે .
>>ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજે બંધાવેલ છે . તે સુરેન્દ્રનગરમાં છે .
>>સિદ્ધરાજ જયસિંહના સમયમાં સાહિત્ય ઉત્થાન
>> હેમચંદ્રાચાર્ય એ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ લખ્યો તે વ્યાકરણનો ગ્રંથ હતો આ ગ્રંથ તૈયાર થતા આખા નગરમાં શ્રીકર હાથીની અંબાડી પર ફેરવવા મો આવ્યો હતો.
>>‘ શ્રીપાલ ’ તેના દરબાર નો પ્રખ્યાત કવિ હતો . તે પ્રજ્ઞાચક્ષુ હતો . તેને સિદ્ધરાજ પોતાનો લઘુ બંધુ માનતો તથા ‘ ભાઈ ’ કહીને સંબોધન કરતો .
>>શ્રીપાલે વૈરોચન પરાજય ' નામનો ગ્રંથ લખ્યો હતો .
>>ઉપરાંત આ સમય દરમિયાન વાગ્ભટે – ‘ વાગ્ભટાલંકાર ’ ગ્રંથ લખ્યો હતો .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें