सीधे मुख्य सामग्री पर जाएं

શામળાજીનો મેળો

શામળાજીનો મેળો

 હું તો ગઈ’તી મેળે ... ’ , ‘ હાલો રે હાલો મેળે જઈએ ... ’ , મેળા સાથે સંકળાયેલી આપણી સંસ્કૃતિનાં દર્શન કરાવતાં કેટલાંય ગીત અને ગરબા ગુજરાતમાં છે . 

‘ મેળો ' શબ્દ કોને પડતાં જ દુહા , છંદ , રાસ , નૃત્યો , ગ્રામવૈભવ , ધર્મસંસ્કૃતિ , લોકવારસો , પરંપરા , શ્રદ્ધા , ઉત્સાહ , અનેકવિધ દશ્યો નજરે ખડાં થઈ જાય છે . 

જ્યારે મનોરંજનનાં અન્ય કોઈ માધ્યમો નહોતા ત્યારે મેળો લોકજીવનમાં મોજ - મસ્તી અને પરંપરાનું જતન કરતું એકમાત્ર સાધન હતું . 

લોકસંસ્કૃતિના ધબકાર સમાન લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી . 

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે.

આ મેળાઓ મુખ્યત્વે દેવી - દેવતાઓ , સંતો , મહંતો અને પીરના મેળાઓ હોય છે . 

એટલે કે મોટા ભાગના મેળાઓ ધર્મોત્સવ માટે ઊજવાતા મેળાઓ છે . 

આજે મનોરંજનનાં અનેક સાધનો હોવા છતાં લોકોના મનમાંથી લોકમેળાઓ અને લોકઉત્સવોનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી . 

કેટલાક મેળાઓનાં નામ પણ તમે કદાચ સાંભળ્યાં નહીં હોય .

 ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે પવિત્ર યાત્રાધામ શામળાજી આવેલું છે . 

શામળાજી પાસેથી નૅશનલ હાઈવે પસાર થાય છે . શામળાજી મુખ્યત્વે વૈષ્ણવોનું ધાર્મિક સ્થળ છે . 

તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે . 

આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમૂનો છે .

આશરે ૧૫૦૦ વર્ષ પહેલાંના અવશેષો ધરાવતી અરવલ્લી , સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યની સુપ્રસિદ્ધ એક ભવ્ય નગરી તીર્થભૂમિ શામળાજી યાત્રાધામમાં કળિયાદેવ માટે કારતક માસમાં યોજાતો આ ભાતીગળ લોકમેળો એક નવલું નજરાણું બની રહે છે . 

પૌરાણિક કથા પ્રમાણે સંવત ૧૭૨૮ માં શામળાજ પર આક્રમણ થયું . ઈડરના મહારાજા અને બીજા ઠાકોરોએ વીરતાથી તેઓને સામનો કર્યો , શામળાજીના મંદિરમાં લશ્કર પ્રવેશ્યું . મૂર્તિઓ તોડવા માંડી . અંદર દાખલ થઈને ગુડજીનું નાક છું એ સાથે જ ચમત્કાર સર્જાયો . ગરુડજના છૂંદાયેલા નાકમાંથી અસંખ્ય ભમરા પ્રગટ્યા .

લશ્કરના સૈનિકો પર ભમરા તૂટી પડ્યા . તેમનાં અંગો પર ચોંટીને ડંખ દેવા લાગ્યા . ડંખની પીડાથી સૈનિકો ચિત્કારી ઊઠ્યા . ચીસ પાડીને જીવ બચાવવા મંદિરમાંથી ભાગ્યા  

સૈન્યબળવિહોણા આ રાજપૂતો અને ઠાકોરોએ તીર્થની મૂર્તિઓ પર્વતોની કંદરામાં છુપાવી દીધી . 

કરાકતુજ તળાવમાંથી એક આદિવાસી યુવાનને હળ ચલાવતાં જે મૂર્તિ હાથ લાગી એ જ કાળિયો ઠાકર .

 એ જ ભગવાન શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કારતક પૂનમે કરવામાં આવે છે . 

બે સપ્તાહ સુધી ચાલનારો આ મેળો નવેમ્બર મહિનામાં યોજાય છે . ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં લગભગ બે અઠવાડિયાં સુધી ઊજવાતા આ ભવ્ય મેળાનું આયોજન પ્રસિદ્ધ શામળાજીના મંદિર ખાતે કરવામાં આવે છે . શામળાજ મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે . ૧૦ મી કે ૧૧ મી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર સ્થાપત્ય કળા - કારીગરીનો ઉત્તમ નમૂનો છો . શામળાજીનું જે મુખ્ય મંદિર છે તે ભગવાન કૃષ્ણના નામ શામળશા શેઠ પરથી પડ્યું છે તેવું માનવામાં આવે છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે . મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં જોવા મળે છે . મેળાની મોસમ આવતાં , અંતરમાં આનંદનો અબીલ - ગુલાલ ઊડવા માંડે છે . મેળો માનવહૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ છે . ધાર્મિક સ્થળોએ , નદીકિનારે ૐ નદીઓના સંગમસ્થાન પર યોજાતા મેળાઓમાં દેવદર્શનની સાથે - સાથે સાંસંબંધીઓનું મિલન થાય છે પિતૃઓનું તર્પણ કરાય છે બાધા - આખડીઓની શ્રદ્ધાને બળ મળે છે . લોકનૃત્યોની રમઝટ જામે છે . કુંવારાં યુવાન હૈયાંઓને જોડીદાર અને હટાણા માટેનાં હાટ મળી જાય છે . મેળામાં આદિવાસી સંસ્કૃતિનો જાણે કે બગીચો ખીલી ઊઠે છે . નૃત્યની સાથે ગીતના સૂર અને લોકવાદ્યોના તાલ ભળે છે પછી આદિવાસી યુવા હૈયાં હેલે ન ચઢે તો જ નવાઈ ! શામળાજીમાં ભરાતો ખૂબ પ્રાચીન મેળો ગણાય છે . બે અઠવાડિયાં સુધી ચાલતો અને એક હજાર વર્ષ જૂનો મનાતો આ મેળો સમયગાળાની દૃષ્ટિએ અને લોકસમૂહની રીતે ગુજરાતના સૌથી મોટા મેળા પૈકીનો એક ગણાય છે . શામળાજીના મેળાની કેટલીક વિશિષ્ટતામાં કાર્તકી અગિયારસના દિવસથી ડુંગરી ભીલો કાળિયા ઠાકરને મળવા નાચતાં - ગાતાં - વાજિંત્રો વગાડતાં બોલે છેઃ ‘ હાલ કસૂરી હાલ રે .. રણઝણિયું રે પંજળિયું વાગે શામળાજીના મેળે ... રણઝળિયું રે પંજળિયું વાગે ,
ડોસા દોટો કાઢે ... રણઝણિયું રે પંજળિયું વાગે , માર્ટિયાર મૂછો મરડે ... રણઝણિયું રે પંજણિયું વાગે , ડોસીઓ ડોળા કાઢે ... રણઝણિયું રે પેજળિયું વાગે " આ રીતે ગાતાં - નાચાતાં અને શામળા બાવીસી ' " નો જયજયકાર કરતા માનવમહેરામણ મેળો મહાલવા માટે ઊમટી પડે છે . આ પવિત્ર જગ્યામાં નાગધરાના જળનું સ્નાન અને શામળિયાનાં દર્શનનું ખૂબ જ મહત્ત્વ છે શામળિયાની ધોળી ધજાઓ લઈ અનેક મંડળીઓ ભજનની રમઝટ બોલાવતી નદીના પટમાં રાવટી નાખે છે . અહીં ચગડોળ - ચકરડી , હાટ - બાટ ભરાય છે અને લોકો આનંદ - ઉલ્લાસથી મેળો મહલે છે . મુખ્ય મંદિર પાસે મેશ્વો નદીમાં મોટો ઘૂનો છે તેમાં કારતક સુદ ચૌદસના રોજ નાહવાથી ભૂતનો વળગાડ હોય તો હટી જાય તેવી માન્યતા પ્રવર્તે છે . કારતક સુદ પૂનમે અહીં શામળાજીના મેળા તરીકે મોટો મેળો ભરાય છે તેમજ માહી પૂનમ અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે . આ મેળામાં પશુઓની લે - વેચ થાય છે . યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ છે અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં ‘ હાલ રે છોરી હાલને શામળાજીના મે .... ! ’ પ્રચલિત લોકગીત સૌ કોઈના હોઠે રમી રહ્યું છે . અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહિત રાજયના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા શામળાજીમાં કાળિયાદેવ માટે કારતક માસમાં યોજાતો ભાતીગળ લોકમેળો એક નવલું નજરાણું બની રહે છે . કારતક માસ બેસતાં જ આ પંથકમાં હાલ રે ... છોરી હાલ ને ... શામળાજીના મેળે રણઝણિયું રે પંજણિયું વાગે ... આ પ્રચલિત ગીત સૌ કોઈના હોઠે રમતું થઈ જાય છે આ લોકમેળાનું આગવું આકર્ષણ વર્ષો પછી આજે પણ અકબંધ રહેવા પામ્યું છે . દર વર્ષે કારતક માસમાં કારતક સુદ અગિયારસથી માંડી કારતક સુદ પૂનમ સુધીનો પાંચ દિવસીય ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાય છે . આમ તો તે પછી કારતક વદ અગિયારસ અને છેક અમાસ સુધી આ મેળાનો પ્રવાહ ચાલુ જ રહે છે . કારતક માસ બેસતાં આ પંથકમાં ખાસ કરીને યુવા વર્ગમાં જાણે એક નવી જ ચેતનાનો સંચાર થતો હોય છે અને કાર્તિકી પૂર્ણિમાના મેળાને માણવા માટેનો એક નોખો થનગનાટ પણ નજરે ચઢવા માંડે છે આદિવાસીઓ જેને પોતાના ઇષ્ટદેવ માને છે એવા શામળાજીના કાળિયા ઠાકરનું હેતથી સ્મરણ કરી પોતાની આગવી અને ૧૩ નોખી સંસ્કૃતિની પરંપરા મુજબ આ લોકમેળો મહાલવા આબાલવૃદ્ધ સૌ કોઈ ઊમટી પડે છે અને સૌ કોઈના હોઠ પર ' હાલ રે છોરી હાલ ને શામળાજીના મેળે રણઝણિયુ રે પેંજળિયુ વાગે ... આ ગીતનું સ્મરણ થતું જોવા મળ્યું છે . આ લોકમેળામાં આ વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા તૈયાર કરાતા દેશી આદુ , હળદર અને શેરડી જેવા વિવિધ પાકો તૈયાર થઈ જતા હોઈ ખાસ કરી શેરડી , આદુ , હળદરનું આ લોકમેળામાં ધૂમ વેચાણ થાય છે . નજીકના રાજસ્થાન અને છેક મહારાષ્ટ્ર પ્રાંતમાંથી પણ દર્શનાર્થીઓ આ લોકમેળો માણવા ઊમટી પડે છે

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...