વૌઠાનો મેળો
દોસ્તો , તમને મેળો ગમે છે ને ? હા ગમતો જ હશે . મેળો એટલે રંગબેરંગી ફુગ્ગાઓ અને રમકડાંનો જ હોય એવું નથી . તમે એવા મેળાઓ જોયા હશે , જેમાં રમકડાં , ઘરવપરાશની વસ્તુઓ સાથોસાથ માટી કે ચિનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ મળતી હશે , કેમ ખરું ને ? ચાલો ત્યારે , આજે હું એક એવા મેળાની તમને મુલાકાત કરાવું જે ઇતિહાસને રજૂ કરે છે , શ્રજ્ઞા ટકાવી રાખે છે , અને પશુઓની લે - વેચ થતી હોય ... તમને તો નવાઈ લાગી હશે ખરું ને ? કે પશુઓનો મેળો પણ મેળો , તો હા , હું આજે તમને જે મેળાનો પરિચય કરાવવાનો છું તે પશુઓનો મેળો છે જેમાં ખાસ કરીને ઊંટ અને ગધેડાની લે - વેચ થતી હોય છે . અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી આઠ કિ.મી દૂર આવેલા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસથી “ વૌઠાનો મેળો ભરાય છે . આ મેળાની વિશેષતા એ છે કે આ મેળો સપ્ત સંગમસ્થાને એટલે કે સાત નદીઓના સંગમસ્થાને યોજાય છે . આમ , તો આ વૌઠાના મેળો જ્યાં યોજાય છે ત્યાં સાબરમતી અને વાત્રક એમ મુખ્ય બે નદીઓ જ મળે છે , પરંતુ તે પૂર્વે સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી , મેશ્વો માંજમ અને શેઢી નદીઓ મળે છે . આમ , આ બધી નદીઓ ભેગીમળી સાત નદીઓનો સંગમ થાય છે . ભાલપ્રદેશ અને નળાકાંઠાના લોકો તેમજ ઠાકોર , રાણા , દરબાર , કાછિયા પટેલ અને રાજપૂત કોમના લોકો પાલ એટલે કે “ છાવણી ’ ’ નાખી બે - ત્રણ દિવસ રહે છે , અને સાત નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરે છે . અહીં ભરાતા મેળામાં આ સાત નદીઓના સંગમસ્થાને પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ છે . ઇતિહાસની દષ્ટિએ માનવામાં આવે છે કે મહાભારતના સમયે પાંડવોએ એક વર્ષનો ગુપ્તવાસ વિરાટ નગરી ધોળકામાં વિતાવ્યો હતો , જે દરમિયાન કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમયગાળામાં ત્રિકાળજ્ઞાની સહદેવની સલાહથી સાત નદીઓનું સંગમસ્થાન ધરાવતા વાઠા ખાતે યુધિષ્ઠિરનું રાજતિલક કરવામાં આવ્યું હતું , જેથી હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત કરી શકાય . આ શુભ મુહૂર્તને સાચવી લેવા માટે પાંડવો દ્વારા આ સ્થાને રેતીનું સિંહાસન બનાવવામાં આવ્યું હતું , જેની ઉપર મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ કરવામાં આવ્યો હતો . અહીં શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી . આ તો થઈ ઇતિહાસની વાત પણ હવે જાણીએ આ વૌઠાના મેળાનું આકર્ષણ ... વાઠાનો મેળો અતિહાસિક મહત્ત્વ ધરાવે છે , એની સાથોસાથ ઊંટની પણ મોટી ગુજરી ભરાય છે જેના ખરીદ અને વેચાણ માટે રાજ્ય અને રાજ્ય બહારથી વેપારીઓ આવે છે . આ મેળાનું બીજું આકર્ષણ તે ગધેડાનું બજાર છે . અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે આવે છે . અહીં ગધેડાના ગળે અને પીઠ પર લાલ , પીળો , ગુલાબી અને કેસરી રંગ લગગવવામાં આવે છે , જે મેળાની પ્રતીતિ કરાવે છે . હવે આ વૌઠાના મેળાની શ્રદ્ધા વિશે વાત કરીએ અહીં આ મેળામાં અસંખ્ય શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડે છે અને મેળો ચાલે એટલા દિવસ તંબુ બાંધીને આ સાત નદીઓના સંગમના તટે રહે છે અહીં તંબુ બાંધીને રહેતા પરિવારજનો રેતીમાં ખાડો કરીને પુનમના દિવસે દીવો મૂકે છે , જેને ' વાવ ' ગોપાવી તરીકે ઓળખવામાં આવે છે માન્યતા પ્રમાણે જે લોકોએ માનતા માની હોય તે પરિવાર પૂનમે તંબુની બહાર નદીની રેતીમાં ખાડો કરીને દીવો મૂકે છે . આમ , આ મેળાનું ઐતિહાસિક અને શ્રદ્ધાની દૃષ્ટિએ ખુબ જ મહત્ત્વ છે તો બાળદોસ્તો તમને આ મેળા વિશે જાણીને નવાઈ પણ લાગી હશે ને ? અને વળી આનંદ પણ થયો હશે . તો જરૂર આ મેળાની મુલાકાત લઈ અનુભવ કરો જ કરો .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें