सीधे मुख्य सामग्री पर जाएं

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો 
દોસ્તો , તમને મેળો ગમે છે ને ? હા ગમતો જ હશે . મેળો એટલે રંગબેરંગી ફુગ્ગાઓ અને રમકડાંનો જ હોય એવું નથી . તમે એવા મેળાઓ જોયા હશે , જેમાં રમકડાં , ઘરવપરાશની વસ્તુઓ સાથોસાથ માટી કે ચિનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ મળતી હશે , કેમ ખરું ને ? ચાલો ત્યારે , આજે હું એક એવા મેળાની તમને મુલાકાત કરાવું જે ઇતિહાસને રજૂ કરે છે , શ્રજ્ઞા ટકાવી રાખે છે , અને પશુઓની લે - વેચ થતી હોય ... તમને તો નવાઈ લાગી હશે ખરું ને ? કે પશુઓનો મેળો પણ મેળો , તો હા , હું આજે તમને જે મેળાનો પરિચય કરાવવાનો છું તે પશુઓનો મેળો છે જેમાં ખાસ કરીને ઊંટ અને ગધેડાની લે - વેચ થતી હોય છે . અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી આઠ કિ.મી દૂર આવેલા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસથી “ વૌઠાનો મેળો ભરાય છે . આ મેળાની વિશેષતા એ છે કે આ મેળો સપ્ત સંગમસ્થાને એટલે કે સાત નદીઓના સંગમસ્થાને યોજાય છે . આમ , તો આ વૌઠાના મેળો જ્યાં યોજાય છે ત્યાં સાબરમતી અને વાત્રક એમ મુખ્ય બે નદીઓ જ મળે છે , પરંતુ તે પૂર્વે સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી , મેશ્વો માંજમ અને શેઢી નદીઓ મળે છે . આમ , આ બધી નદીઓ ભેગીમળી સાત નદીઓનો સંગમ થાય છે . ભાલપ્રદેશ અને નળાકાંઠાના લોકો તેમજ ઠાકોર , રાણા , દરબાર , કાછિયા પટેલ અને રાજપૂત કોમના લોકો પાલ એટલે કે “ છાવણી ’ ’ નાખી બે - ત્રણ દિવસ રહે છે , અને સાત નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરે છે . અહીં ભરાતા મેળામાં આ સાત નદીઓના સંગમસ્થાને પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ છે . ઇતિહાસની દષ્ટિએ માનવામાં આવે છે કે મહાભારતના સમયે પાંડવોએ એક વર્ષનો ગુપ્તવાસ વિરાટ નગરી ધોળકામાં વિતાવ્યો હતો , જે દરમિયાન કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમયગાળામાં ત્રિકાળજ્ઞાની સહદેવની સલાહથી સાત નદીઓનું સંગમસ્થાન ધરાવતા વાઠા ખાતે યુધિષ્ઠિરનું રાજતિલક કરવામાં આવ્યું હતું , જેથી હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત કરી શકાય . આ શુભ મુહૂર્તને સાચવી લેવા માટે પાંડવો દ્વારા આ સ્થાને રેતીનું સિંહાસન બનાવવામાં આવ્યું હતું , જેની ઉપર મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ કરવામાં આવ્યો હતો . અહીં શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી . આ તો થઈ ઇતિહાસની વાત પણ હવે જાણીએ આ વૌઠાના મેળાનું આકર્ષણ ... વાઠાનો મેળો અતિહાસિક મહત્ત્વ ધરાવે છે , એની સાથોસાથ ઊંટની પણ મોટી ગુજરી ભરાય છે જેના ખરીદ અને વેચાણ માટે રાજ્ય અને રાજ્ય બહારથી વેપારીઓ આવે છે . આ મેળાનું બીજું આકર્ષણ તે ગધેડાનું બજાર છે . અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે આવે છે . અહીં ગધેડાના ગળે અને પીઠ પર લાલ , પીળો , ગુલાબી અને કેસરી રંગ લગગવવામાં આવે છે , જે મેળાની પ્રતીતિ કરાવે છે . હવે આ વૌઠાના મેળાની શ્રદ્ધા વિશે વાત કરીએ અહીં આ મેળામાં અસંખ્ય શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડે છે અને મેળો ચાલે એટલા દિવસ તંબુ બાંધીને આ સાત નદીઓના સંગમના તટે રહે છે અહીં તંબુ બાંધીને રહેતા પરિવારજનો રેતીમાં ખાડો કરીને પુનમના દિવસે દીવો મૂકે છે , જેને ' વાવ ' ગોપાવી તરીકે ઓળખવામાં આવે છે માન્યતા પ્રમાણે જે લોકોએ માનતા માની હોય તે પરિવાર પૂનમે તંબુની બહાર નદીની રેતીમાં ખાડો કરીને દીવો મૂકે છે . આમ , આ મેળાનું ઐતિહાસિક અને શ્રદ્ધાની દૃષ્ટિએ ખુબ જ મહત્ત્વ છે તો બાળદોસ્તો તમને આ મેળા વિશે જાણીને નવાઈ પણ લાગી હશે ને ? અને વળી આનંદ પણ થયો હશે . તો જરૂર આ મેળાની મુલાકાત લઈ અનુભવ કરો જ કરો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे