ભારતની પ્રાચીન વિદ્યાપીઠો :
( 1 ) નાલંદા : Nalanda
બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો . ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુઅન - શ્તાંગ પણ અહીં આવેલ . આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે . છતાં તે ખંડેરોમાં ફરતાં ફરતાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે . નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં . તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ - વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા . આમાંનો માત્ર યુઅન - વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો . 7 મી સદીમાં યુઅન - શ્માંગે મુલાકાત લીધી હતી . મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા . વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા . વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાધવામાં આવ્યા હતા . વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યાં હતાં . ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવતાં . અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ ’ તરીકે ઓળખાતો હતો . ઈ.સ.ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી .
( 2 ) તક્ષશિલા : Taxila
વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી . તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું . આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું . અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા . ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા . દંતકથાનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે . 7 મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું . વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું . શિક્ષક પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા . છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતા . વારાણસી , રાજગૃહ , મિથિલા અને ઉજ્જૈન જેવાં દૂરનાં નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઊમટતા .વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા . કૌશલના રાજા પ્રસેનજિત , વ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે . તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું . સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા . અહીં વેદ , શસ્ત્રક્રિયા , ગજવિદ્યા , ધનુર્વિદ્યા , વ્યાકરણ , તત્ત્વજ્ઞાન , યુદ્ધવિદ્યા , ખગોળ , જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું . ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણકયે અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું . પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી .
( 3 ) વારાણસી ( કાશી ) : Varanasi (Kashi)
વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે . ઈ.સ. પૂર્વે 7 મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું . ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું . એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્ત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા . વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે . ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી . આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્ત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું . ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી . પંજાબનાં વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડયું , ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કશ્મીર જઈને વસ્યાં હતાં . અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા . સમ્રાટ અશોકના અશ્રયથી વારાણસીનો સારનાથમઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો .
( 4 ) વલભી : Valbhi
ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું . વલભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો . 7 મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા . વલભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું . સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધવિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભીના અગ્રણી આચાર્યો હતા . દૂરદૂરના ગંગા - યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા . ચીની પ્રવાસી ઇત્સિંગે નોધ્યું છે કે વલભી પૂર્વભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી . વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું ( ઈ.સ. 480 થી ઈ.સ. 775 સુધી ) વલભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રય દાતાઓ હતા . એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા , સનાતની હતા , છતાં આ સંસ્થાને મદદ કરતા હતા . ઈ . સ . 775 માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી , અહીં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં . વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા . આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહિ , પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી . આ વિદ્યાપીઠમાં દેશ - પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા . સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી . એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું . આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે . ભારતીય વિદ્યા , કલાઓ અને જ્ઞાન - વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ હતી .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें