દાંડીયાત્રા : 12 માર્ચથી 6 એપ્રિલ , 1930 સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું . મીની સા આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો . લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો , અમદાવાદના સાબરમતી રિજન આશ્રમ ( હવે ગાંધી આશ્રમ ) થી 12 મી માર્ચ , 1930 ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ , જે પીડ પરાઈ જાણે રે " ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે , “ સૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ , દેખ ભાગે સોઈ શૂર નહિ ' એ પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયું .
ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ , મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત કરી . અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે . દાંડીયાત્રામાં અસલાલી , બારેજા , નડિયાદ , આણંદ , બોરીઆવી , રાસ , જંબુસર , ભરૂચ , સુરત , નવસારી જેવાં નાના - મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને વિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી . ગાંધીજીએ ભાટ મુકામે ( 29 માર્ચ , 1930 ) કહ્યું “ કાગડા - કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ કરું " આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા , પાણી છાંટી તોરણો બાંધી શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ , અજબની શ્રદ્ધા , ચેતના અને ઐક્તા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું . દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું . ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા ( 5 મી એપ્રિલ 1930 )
6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો . ગાંધીજીએ કહ્યું , ‘ ‘ મૈને નમક કા કાનૂન તોડ દિયા , ’ ’ અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતાં કહ્યું ‘ ‘ હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં ફૂલો લગાડું છું . ’ ’ તેવા શબ્દોથી સંબોધન કર્યું . શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીક્શને ‘ ‘ મહાભિનિષ્ક્રમણ ’ સાથે સરખાવે છે . દુનિયાભરના પત્રકારો , ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ , સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો . આમ , 12 મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી ; પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી . આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ . સરકારે દમનનો કોરડો વીંઝયો . લાઠીમાર , ધરપકડો , ગોળીબાર , સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટયું નહિ .
દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર , દારૂબંધી , હિન્દુ - મુસ્લિમ એકતા , અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું . દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગ્રતિના લીધે અસહકારનાં આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા . આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર , દારૂબંધી અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ , મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના - કર આંદોલન , અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ , સભાઓ અને સરસોના કાર્યક્રમો થયા . આ જાગ્રતિ તથા આંદોલનને નબળાં પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ , કારાવાસ સહિતનાં દમનકારી પગલાં લેવાયાં . આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે , પોલીસ સ્ટેશન , પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ , હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન ' સરહદના ગાંધી'ના નેતૃત્વ હેઠળનું આંદોલન , મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો , દિલ્લીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે વિકેટિંગ , સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ , સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें