*બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ* ********* *પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇઃ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ* ********** *પીવાના પાણીની વ્યવસ્થા સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રખાશે* (માહિતી બ્યુરો, પાલનપુર) આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લા નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એલર્ટ રહેવાની સુચના અપાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને હેડક્વાર્ટર પર એલર્ટ મોડમાં રહેવાની સુચના આપતા જણાવ્યું કે, આગામી તા. ૧૪ જૂન પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઝડપી પવન ફૂંકાવાની તેમજ વરસાદ પડવાની