सीधे मुख्य सामग्री पर जाएं

બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

 *બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ* 

********* 

*પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇઃ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ*  

**********

*પીવાના પાણીની વ્યવસ્થા સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રખાશે*

(માહિતી બ્યુરો, પાલનપુર) 

           આગામી  દિવસોમાં બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લા નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એલર્ટ રહેવાની સુચના અપાઇ હતી.   

           બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને હેડક્વાર્ટર પર એલર્ટ મોડમાં રહેવાની સુચના આપતા જણાવ્યું કે, આગામી તા. ૧૪ જૂન પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ઝડપી પવન ફૂંકાવાની તેમજ વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી હોવાથી કોમ્યુનિકેશન જળવાઇ રહે તે માટે તમામ વ્યવસ્થા અત્યારથી જ કરી લેવામાં આવે. વીજ પુરવઠો ખોરવાય તેવી સ્થિતિ સર્જાય તો અત્યારથી જ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરી રાખવી, ભારે પવનને કારણે વીજ પોલને નુકશાન થાય તો તેના સમારકામ અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રાખવા. તમામ સરકારી કચેરીઓમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે પાવર બેકઅપની વ્યવસ્થા રાખવા, સ્થળાંતર અને આશ્રયસ્થાનો માટે શેલ્ટર હોમની જરૂરીયાત ઉભી થાય તો સ્કુલોની ચાવીઓ હાથવગી રાખવા, વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પંપ, રસ્તાઓ પરના વૃક્ષો દૂર કરવા જે.સી.બી., ટ્રેક્ટર, ક્રેન સહિતના સાધનો તૈનાત રાખવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. 

           કલેક્ટરશ્રીએ ધાનેરા રેલ નદીના વહેણ વિસ્તારમાં આવતા ગામોના સરપંચશ્રીઓ, તલાટીઓ અને ગામલોકોને અગાઉથી જાણ કરવા તથા નદીની સ્થિતિ વિશે દર બે કલાકે એનાઉન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. તેમણે તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના પુરતા સ્ટોક સાથે મેડીકલ ઓફિસરને હાજર રાખવા જણાવ્યું છે. જિલ્લામાં ૧ એસ.ડી.આર.એફ. ની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ત્રણ દિવસ માટે યોજાનાર શાળા પ્રવશોત્સવ બિપોરજોય વાવાઝોડાના કારણે ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે એટલે કે, તા. ૧૨ અને ૧૩ ના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે.  

           પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પોલીસના જવાનો BSF  અને SDRF સાથે સંકલનમાં રહી કામગીરી કરશે. લોકોને બિપોરજોય વાવાઝોડા અંગે અગાઉથી જાણકારી આપવા માટે પોલીસ ઓડીયો ક્લીપ બનાવીને તેનો પ્રચાર-પ્રસાર કરશે. તેમણે મહેસુલી તંત્ર સાથે રહીને પોલીસના વાહનો લોકોના સ્થળાંતર માટે ઉપયોગમાં લેવામાં આવે તેની સુચના આપી હતી. રસ્તાઓ ખુલ્લા કરવા માટે પોલીસ વિભાગ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરશે. 

            આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એન.પંડ્યા, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, BSF અધિકારીઓ સહિત તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના અધિકારીઓ જોડાયા હતાં.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे