सीधे मुख्य सामग्री पर जाएं

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.( 1824-1883 ) અને આર્યસમાજ

 આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ( ઈ.સ. 1824 ) સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો . તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું . એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતાં જોઈને તેમને સ્વામી દયાનંદ સરસ્વતી લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા . મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો . તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો . 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો , સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા . તેમણે મથુરામાં સ્વામી વિજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું . તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ( 1875 ) , તેમાં તેમણે ફક્ત દસ નિયમો અને વેદો તરફ પાછા ફરો ' જેવાં સૂત્રો આપ્યાં . જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતાં તેમનું દેહાવસાન ( 30 ઓકટોબર , 1883 - દિવાળીના દિવસે થયું . 

ઉપદેશ 

તેમની પ્રખર વિદ્વત્તા અને ચિંતને તેમને ભારતની બધી જ સમસ્યાઓનો ઉકેલ વેદધર્મમાં શોધવા પ્રેર્યા અને તેમણે ‘ વૈદ તરફ પાછા વળો ’ નું સૂત્ર આપ્યું . તેમને વેદોમાં ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં દર્શન થયાં . 
તેમના ઉપદેશનો સાર આ પ્રમાણે હતો . પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વૈદમાં સમાયેલું છે . તેથી વેદનું અધ્યયન તે જ સાચું અધ્યયન છે . વેદ - અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યનો છે . મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ વેદમાં પડલો છે . વૈદિક સમયમાં માનવસંસ્કૃતિ પૂર્ણાવસ્થાએ પહોંચી હતી અને વર્ણાશ્રમ ધર્મમાં સમાજરચનાનાં બધાં જ શ્રેષ્ઠ તત્ત્વો રહેલાં છે . છતાં ચાર વર્ણનો આધાર જન્મ નહિ પણ ગુણકર્મ હોવો જોઈએ . જેનામાં જે વર્ણના ગુણ હોય તેને તે વર્ણનો અધિકાર મળવો જોઈએ . આર્યના વૈદિક ધર્મના દરવાજા બધા ધર્મના લોકો માટે ખુલ્લા હોવા જોઈએ તેમજ શુદ્ધીકરણથી કોઈપણ વ્યક્તિને આ ધર્મમાં પ્રવેશ મળવો જોઈએ . સ્વામી દયાનંદ સરસ્વતીએ ‘ સત્યાર્થપ્રકાશ ' નામના તેમના ગ્રંથમાં આ બધા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરી છે . સ્વામી દયાનંદે તે સમયના પ્રચલિત ધર્મોમાં પેસી ગયેલા સડાઓ , વહેમો તથા અંધશ્રદ્ધાયુક્ત માન્યતાઓનું સ્પષ્ટ રીતે ખંડન કર્યું . તેમણે વેદોમાંથી આધાર આપીને મૂર્તિપૂજાનો સખત વિરોધ કર્યો . તેમણે બાળવિવાહ તથા શાતિપ્રથાનો પણ વિરોધ કર્યો . કન્યાકેળવણી , વિધવાવિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તરફેણ કરી . 

આર્યસમાજની પ્રવૃત્તિઓ 

સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વિચારોનો ફેલાવો કરવા માટે આર્યસમાજની સ્થાપના કરી . આ સંસ્થા દ્વારા હિંદુઓને સંગઠિત કરવા તથા પશ્ચિમની સંસ્કૃતિના પ્રહારો સામે હિંદુ ધર્મનું રક્ષણ કરવા તેમણે પ્રયત્નો કર્યા . તેમણે ધર્માંતર કરાયેલા હિંદુઓને હિંદુ ધર્મમાં ફરી લાવવાની ' શુદ્ધિ ચળવળ ' શરૂ કરી . આ ઉપરાંત , આર્યસમાજે બાળલગ્ન વિરોધ , વિધવાવિવાહને ઉત્તેજન , કન્યાકેળવણી , દલિતોદ્ધાર વગેરેની ઝુંબેશ આરંભીને સમાજ - સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી . તેમણે દરિદ્રનારાયણની સેવાનો આદર્શ રજૂ કર્યો . જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો આપીને તેમણે માનવની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ રજૂ કર્યો . તેઓના પ્રભાવના કારણે તેમના અનુયાયીઓમાં સંયમ , ત્યાગ , લોકસેવા અને ધર્મનિષ્ઠાના ગુણો કેળવાયા હતા .
સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ , પંડિત ગુરુદત્ત , સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી . લાલા હંસરાજે ઈ.સ. 1889 માં લાહોરમાં ‘ દયાનંદ એંગ્લો - વૈદિક કૉલેજ'ની સ્થાપના કરી . સ્વામી શ્રદ્ધાનંદે ઈ.સ. 1902 માં હરદ્વાર પાસે ‘ કાંગડી ગુકુળ સ્થાપ્યું . આર્ય - સમાજે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાંગડીના ગુરુકુળ મારફત ઉચ્ચ કેળવણી તથા કન્યાકેળવણીનો ફેલાવો કરવાનું અતિ મહત્ત્વનું કાર્ય કર્યું . આ ઉપરાંત સ્ત્રીઓની તેમજ દલિત વર્ગોની સ્થિતિ સુધારવામાં પણ તેઓએ ઘણું નોંધપાત્ર કાર્ય કર્યું હતું . હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे