સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.( 1824-1883 ) અને આર્યસમાજ
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ( ઈ.સ. 1824 ) સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો . તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું . એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતાં જોઈને તેમને સ્વામી દયાનંદ સરસ્વતી લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા . મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો . તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો . 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો , સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા . તેમણે મથુરામાં સ્વામી વિજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું . તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ( 1875 ) , તેમાં તેમણે ફક્ત દસ નિયમો અને વેદો તરફ પાછા ફરો ' જેવાં સૂત્રો આપ્યાં . જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતાં તેમનું દેહાવસાન ( 30 ઓકટોબર , 1883 - દિવાળીના દિવસે થયું .
ઉપદેશ
તેમની પ્રખર વિદ્વત્તા અને ચિંતને તેમને ભારતની બધી જ સમસ્યાઓનો ઉકેલ વેદધર્મમાં શોધવા પ્રેર્યા અને તેમણે ‘ વૈદ તરફ પાછા વળો ’ નું સૂત્ર આપ્યું . તેમને વેદોમાં ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં દર્શન થયાં .
તેમના ઉપદેશનો સાર આ પ્રમાણે હતો . પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વૈદમાં સમાયેલું છે . તેથી વેદનું અધ્યયન તે જ સાચું અધ્યયન છે . વેદ - અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યનો છે . મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ વેદમાં પડલો છે . વૈદિક સમયમાં માનવસંસ્કૃતિ પૂર્ણાવસ્થાએ પહોંચી હતી અને વર્ણાશ્રમ ધર્મમાં સમાજરચનાનાં બધાં જ શ્રેષ્ઠ તત્ત્વો રહેલાં છે . છતાં ચાર વર્ણનો આધાર જન્મ નહિ પણ ગુણકર્મ હોવો જોઈએ . જેનામાં જે વર્ણના ગુણ હોય તેને તે વર્ણનો અધિકાર મળવો જોઈએ . આર્યના વૈદિક ધર્મના દરવાજા બધા ધર્મના લોકો માટે ખુલ્લા હોવા જોઈએ તેમજ શુદ્ધીકરણથી કોઈપણ વ્યક્તિને આ ધર્મમાં પ્રવેશ મળવો જોઈએ . સ્વામી દયાનંદ સરસ્વતીએ ‘ સત્યાર્થપ્રકાશ ' નામના તેમના ગ્રંથમાં આ બધા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરી છે . સ્વામી દયાનંદે તે સમયના પ્રચલિત ધર્મોમાં પેસી ગયેલા સડાઓ , વહેમો તથા અંધશ્રદ્ધાયુક્ત માન્યતાઓનું સ્પષ્ટ રીતે ખંડન કર્યું . તેમણે વેદોમાંથી આધાર આપીને મૂર્તિપૂજાનો સખત વિરોધ કર્યો . તેમણે બાળવિવાહ તથા શાતિપ્રથાનો પણ વિરોધ કર્યો . કન્યાકેળવણી , વિધવાવિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તરફેણ કરી .
આર્યસમાજની પ્રવૃત્તિઓ
સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વિચારોનો ફેલાવો કરવા માટે આર્યસમાજની સ્થાપના કરી . આ સંસ્થા દ્વારા હિંદુઓને સંગઠિત કરવા તથા પશ્ચિમની સંસ્કૃતિના પ્રહારો સામે હિંદુ ધર્મનું રક્ષણ કરવા તેમણે પ્રયત્નો કર્યા . તેમણે ધર્માંતર કરાયેલા હિંદુઓને હિંદુ ધર્મમાં ફરી લાવવાની ' શુદ્ધિ ચળવળ ' શરૂ કરી . આ ઉપરાંત , આર્યસમાજે બાળલગ્ન વિરોધ , વિધવાવિવાહને ઉત્તેજન , કન્યાકેળવણી , દલિતોદ્ધાર વગેરેની ઝુંબેશ આરંભીને સમાજ - સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી . તેમણે દરિદ્રનારાયણની સેવાનો આદર્શ રજૂ કર્યો . જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો આપીને તેમણે માનવની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ રજૂ કર્યો . તેઓના પ્રભાવના કારણે તેમના અનુયાયીઓમાં સંયમ , ત્યાગ , લોકસેવા અને ધર્મનિષ્ઠાના ગુણો કેળવાયા હતા .
સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ , પંડિત ગુરુદત્ત , સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી . લાલા હંસરાજે ઈ.સ. 1889 માં લાહોરમાં ‘ દયાનંદ એંગ્લો - વૈદિક કૉલેજ'ની સ્થાપના કરી . સ્વામી શ્રદ્ધાનંદે ઈ.સ. 1902 માં હરદ્વાર પાસે ‘ કાંગડી ગુકુળ સ્થાપ્યું . આર્ય - સમાજે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાંગડીના ગુરુકુળ મારફત ઉચ્ચ કેળવણી તથા કન્યાકેળવણીનો ફેલાવો કરવાનું અતિ મહત્ત્વનું કાર્ય કર્યું . આ ઉપરાંત સ્ત્રીઓની તેમજ દલિત વર્ગોની સ્થિતિ સુધારવામાં પણ તેઓએ ઘણું નોંધપાત્ર કાર્ય કર્યું હતું . હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें