सीधे मुख्य सामग्री पर जाएं

સ્વામી વિવેકાનંદ :-Swami Vivekanand

સ્વામી વિવેકાનંદ :- Swami Vivekananda ( 1863-1902 ) 

રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા . વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી , 1863 માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીની કૂખે થયો હતો . તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ , હરબર્ટ સ્પેંસર , શૈલી , હંગેલ અને વર્ડ્સવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો . તેમના સમયના ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી . નવેમ્બર , 1880 માં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા . રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો . પ્રશ્ન હતો , “ શું આપે ઈશ્વરને જોયા છે ? ઉત્તર ‘ હા’માં આપ્યો .

 સ્વામી વિવેકાનંદે ( 1891 ) કોઈની પણ સાથે લીધા વિના કહ્યા વિના ભારતની યાત્રા કરી , યાત્રામાં તેમને ભારતની ગરીબી , ભૂખમરો , દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો . બે વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભાગોમાં ફરતા રહ્યા . આથી ભારતના પ્રશ્નોથી તેઓ જાણકાર બન્યા . ત્યારબાદ ( 1893 ) શિકાગોમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો . વિશ્વધર્મપરિષદના સભ્યોને ‘ ભાઈઓ અને બહેનો ’ ( Brothers and Sisters ) શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા અને ત્યારથી સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના તરફ અને જે દેશમાંથી તે આધ્યાત્મિક સંદેશો લાવ્યા હતા તે ભારત તરફ કેન્દ્રિત થયું . વિશ્વના દેશોએ હવે ભારતને કોઈ નવી જ દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું . તેનો યશ સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે . તેઓ સાચે જ નૂતન ભારતના સંદેશવાહક ' હતા . તેમણે વિદ્વત્તા , છટાદાર વકતૃત્વશક્તિ , આધ્યાત્મિક તેજ અને અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો . આથી વિશ્વધર્મ - પરિષદમાં હાજર રહેલા સભ્યો તથા અમેરિકાના લોકો તેમની ઉપર મુગ્ધ થઈ ગયા . તે પછી સ્વામી વિવેકાનંદે વિવિધ દેશો , ગ્રીસ , તુર્કસ્તાન , મિસર , ચીન તેમજ જાપાનના પ્રવાસ દરમિયાન પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમજ પોર્વાત્ય સંસ્કૃતિનાં અનેક પાસાંઓનો અનુભવ મેળવ્યો અને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં કેટલાંક ઉમદા તત્ત્વોનો સ્વીકાર કર્યો તથા તેમનો ભારતીય સંસ્કૃતિનાં ઉમદા તત્ત્વો સાથે મેળ બેસાડીને તેમણે પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો . આ દેશમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો . સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના તથા સેવાભાવનાનો પ્રચાર કરવા માટે ‘ રામકૃષ્ણ મિશન ' નામની સંસ્થાની સ્થાપના કરી .

 ઉપદેશ

 સ્વામી વિવેકાનંદે ભારતના લોકોને તેમના પ્રાચીન આધ્યાત્મિક વારસાને સમજવાનો તથા અપનાવવાનો ઉપદેશ આપ્યો . તેઓ વહેમ , અંધશ્રદ્ધા અને મંત્રતંત્રને દુર્બળતાનું સ્વરૂપ માનતા . તેમણે લોકોને નિર્બળતા અને આળસથી મુક્ત થવા અનુરોધ કર્યો અને પ્રગતિના પંથે આત્મવિશ્વાસ સાથે પ્રયાણ કરવાનો બોધ આપ્યો , તેમણે તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો . તેમણે સમાજસેવા અને સમાજસુધારાનો ઉપદેશ આપ્યો . તેમણે શિક્ષિત યુવાનોને પોતાના દેશમાં બંધુજનોની અજ્ઞાનતા અને ગરીબાઈ દૂર કરવાનો અનુરોધ કર્યો . આમ તેમનો ધર્મ ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો ધર્મ બન્યો . તેમણે ભારતની યુવા પેઢીમાં ભારતના ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય વિશે શ્રદ્ધા જાગ્રત કરી તથા તેમનામાં સ્વાભિમાનની ભાવના નિરૂપી તેઓ સ્પષ્ટ માનતા હતા કે , જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ અથવા નિરાધાર બાળકોના મુખમાં રીટીનો ટુકડો મૂકી શકે નહિ , તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે , ‘ ‘ પહેલાં અન્ન પછી ધર્મ ' તેઓ મનુષ્યમાત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા હતા . તેમના મત મુજબ માનવસેવા એ જ પ્રભુસેવા છે ” તેઓ યુવાનોને કહેતા કે તિ , ગવ્રત , વ્યવનિયોધતા ( “ ઊઠો , જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો . ” ) તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ , અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી ( Roses in December ) જોવા મળે છે . આ સંદર્ભે રવીન્દ્રનાથ ટાગોરે તેમને ‘ ‘ હિંદની સર્જન પ્રતિભા ’ ગણાવતાં લખ્યું છે કે , “ જો કોઈ ભારતને સમજવા ઇચ્છે છે તો તેણે સ્વામી વિવેકાનંદને વાંચવા ( સમજવા ) જોઈએ . " સુભાષચંદ્ર બોઝે નોંધ્યું છે કે , “ તેમનામાં બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા ' ' ગાંધીજીએ કહ્યું છે કે , “ સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી , તેમના નામમાં જ પ્રેરણા છે ’ અમેરિકા પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ ‘ તોફાની હિંદુ ’ ના નામથી પ્રસિદ્ધ થયા . ટૂંકમાં ભારતના નવજાગરણમાં વિવેકાનંદનો સિંહફાળો રહેલો છે . ગણનની પ્રવૃત્તિઓ

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .