सीधे मुख्य सामग्री पर जाएं

નારાયણ ગુરુ :- Narayan Guru.

નારાયણ ગુરુ :- Narayan Guru.

પછાત જાતિઓ અને પીડિત જાતિઓના ઉત્કર્ષ માટે આજીવન સેવા કરનાર તથા માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ આપનાર નારાયણ ગુરુનો જન્મ કેરલના એમ્પર્ગ ગામમાં ( ઈ.સ. 1856 ) થયો હતો . માતા - પિતાની પવિત્રતા અને આદર્શોના સંસ્કાર નારાયણ ગુરુને વારસામાં મળ્યા . નારાયણ ગુરુએ લોકોને ‘ એક જ જ્ઞાતિ , એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ' ઉપદેશ આપ્યો . તેમણે લોકોને ઊંચ - નીચના ભેદભાવ , જ્ઞાતિભેદ વગેરે નાબૂદ કરવા અનુરોધ કર્યો . નારાયણ ગુરુ કિશોરવયથી જ અધ્યાત્મવૃત્તિવાળા હતા . ઘર છોડી , સખત સાધના કરીને સમાજના નીચલા સ્તરના લોકોની સેવાના ક્ષેત્રે તેઓ સક્રિય બન્યા હતા . તેમણે તમામ લોકોને શિક્ષણ લેવા અનુરોધ કર્યો . તેઓ નિરક્ષરતાને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા . તેમણે અસ્પૃશ્યોને ભણતા કર્યા . તેમણે સમાન હક અપાવી સામાન્ય માનવજીવન જીવતા કર્યા . તેઓ કન્યાકેળવણી માટે ખાસ જાગૃત અને પ્રયત્નશીલ હતા . તેમણે ‘ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ્ ' નામની સંસ્થાની સ્થાપના ( ઈ.સ. 1903 ) કરી . તેઓ મુક્તિ માટે શિક્ષણ , એકતા માટે સંગઠન અને ગરીબી નાબૂદી તથા આર્થિક આબાદી અર્થે ઉદ્યોગોના વિકાસને આવશ્યક ગણતા . વિખવાદો અને સાંપ્રદાયિક તત્ત્વોથી દૂર રહે લોકોને સમજાવતા . આંતરરાષ્ટ્રીય ભાઈચારા માટે પ્રચાર કર્યો અને દેશ - વિદેશમાં અધ્યાત્મવાદી સુધારક તરીકે નામના મેળવી . રવીન્દ્રનાથ ટાગોરે નારાયણ ગુરુને પોતાના યુગના મહાન સંત અને સુધારક તરીકે ગણાવ્યા છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .