નૃત્યકલા-Choreography
નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે .
ભરતનાટ્યમ્-Bharatnatyam
ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે
કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style
આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે . આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે . ગુરુ પ્રહ્લાદ શર્મા , રાજારેડ્ડી , યામિની રેડ્ડી , શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે .
કથકલી : Kathakali
કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે . કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો , મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયાં . કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે , અને તેનાં પાત્રોને ઓળખાવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણ ( મુખાકૃતિ ) ને સમજવું પડે છે . આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે . કેરળના કવિ શ્રી વલ્લથોળ ( સ્થાપિત કલામંડળમાં કથકલી ) , કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ , શિવારમન વગેરેએ આ શૈલીને દેશ - વિદેશમાં નામના અપાવી છે .
કથક નૃત્ય : Kathak dance
‘ કથન કરે સો કથક કહાવે ' વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે . મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે . તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે . આ નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામોપાયજામોઅને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે . પંડિત શ્રી બિરજૂ મહારાજ , સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે .
મણિપુરી નૃત્ય : Manipuri dance
મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે . મણિપુરી નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે . મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે . આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘ કુમીન ’ પહેરવામાં આવે છે . ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ , ગુરુ બિપિન સિન્હા , નયના ઝવેરી , નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें