सीधे मुख्य सामग्री पर जाएं

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane

વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત , સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો , ચીન અને જાપાનના કિનારે ટાઈફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે . આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે . આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે . ભારતના પૂર્વકનારે અને કચ્છ - સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે . 

શું  કરવું:-

◾આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટી.વી. - રેડિયોના સમાચાર જોતા રહો . 

◾જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બૅટરી હાથવગી રાખવી . 

◾ મોબાઇલ ફોન ચાર્જ કરી લેવા . વળી પાવરબેંક જેવાં સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી સાથે રાખવા . 

◾ રેડિયો દ્વારા મળતી સૂચનાઓ , ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો . 

◾ અફવાઓથી દૂર રહો . 

◾ વધારાનો ખોરાક , સૂકો નાસ્તો , પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરો . 

◾ બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો . 

◾ બચાવતંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પાલન કરો . 

◾ શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું . 

◾ સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા આશ્રયસ્થાનમાં આશ્રય લીધો હોય ત્યારે , ત્યાંના વ્યવસ્થાપકોએ આપેલી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને તેમની સૂચના સિવાય તે સ્થાન ન છોડો .

◾ પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહિ . જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકશે . 

 શું ન કરવું : -

◾રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ના લેશો . 

◾અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય , વરસાદ બંધ થઈ જાય , પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર ના નીકળશો . અચાનક પવન કે વરસાદ ત્રાટકી શકે છે . 

◾વીજળીના થાંભલા , લટકતા છૂટા વાયરને અડકશો નહિ તથા તેનાથી દૂર રહેશો . 

◾જાહેરાતનાં મોટાં પાટિયાં ( હોર્ડિંગ્સ ) કે મોટાં વૃક્ષો પાસે આશ્રય ના લેશો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .