सीधे मुख्य सामग्री पर जाएं

બાલમંદિર એટલે શું ?

બાલમંદિર એટલે શું ? 

🌷બાળક શાળામાં વિધિસરનું શિક્ષણ પ્રાપ્ત કરવા આવે તે પહેલાં તેને જ્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે તેને આપણે બાલમંદિર તરીકે ઓળખીએ છીએ . આ બાલમંદિરનું શિક્ષણ તેના ભાવિ વિકાસમાં ઘણું ઉપયોગી થાય તેવું વિશ્વના ઘણા કેળવણીકારો માને છે . છતાં આ બાલમંદિરનું શિક્ષણ પાઠ્યપુસ્તકમાંથી વિધિસર આપવામાં આવતું નથી . 

🌷માતાપિતાથી બાળકોને થોડોક સમય છૂટું પાડીને ઘર જેવા જ વાતાવરણમાં તેની લાગણીઓ , માનસિક શક્તિઓ , શારીરિક શક્તિઓ અને સામાજિક ટેવોનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ , રમતો અને અનુભવોનું આયોજન એટલે બાલમંદિર .

 🌷બાળકો આ વિશ્વનું રહસ્યમય સર્જન છે . તેના વિકાસની પ્રક્રિયાને ધીરજપૂર્વક સમજવી પડશે . બીજમાં જેમ વૃક્ષત્વ છુપાયેલું છે . તે રીતે આ સૃષ્ટિ સાથે એકરૂપ થવાની મૂળભૂત શક્તિ ઈશ્વરે તેને આપેલી છે . તેના વિકાસ માટે સૌથી પ્રેરકબળ વાતાવરણ છે . સમૃદ્ધ વાતાવરણનું સર્જન અને સમૃદ્ધ જીવનના અનુભવોનું શિક્ષણ . 
 
🌷તેની બે વિસ્ફારિત આંખોમાં વિશ્વને પામવાની ઝંખના છે . ધસમસતા સાગરનાં મોજાંની જેમ તેનું ભીતર બહાર વ્યક્ત થવા મથે છે . તેના શિક્ષણમાં આ બે ગુણોનો વિનિયોગ કરવો જોઈએ . તેની જિજ્ઞાસાને સંતોષવાની એક પણ તક શિક્ષકોએ જતી ક ૨ વી જોઈએ નહીં . 

🌷તેને સૌથી વધારે જરૂર છે પ્રેમની , સ્વીકારની , સલામતીની અને સુરક્ષાની . માતાપિતા કે શિક્ષકોની આંખોમાં તે સલામતીની શોધ કરે છે . જ્યાં સ્વીકાર મળે ત્યાં તે પ્રફુલ્લિત રહે છે , જ્યાં સ્વીકાર નથી પામતું ત્યાં ડાળ પરથી ખરી ગયેલા પર્ણની જેમ કરમાઈ જાય છે .

 🌷જે છોડ જમીનમાં ઊંડાં મૂળ નાખી શકે તે જ આકાશ સુધી વિકસી શકે , શાળામાં બાળકનું અસ્તિત્વ રોપાવું જોઈએ , ઊંડાં મૂળ નાખીને ઊગવું જોઈએ .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .