सीधे मुख्य सामग्री पर जाएं

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી ) 

ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી અને અમદાવાદથી ૧૧૦ કિમીના અંતરે ચુંવાળ પંથકમાં બેચરાજી ( બહુચરાજી ) મુકામે ચૈત્ર મહિનાની પૂનમના રોજ ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે . ચૈત્રી પૂનમ - માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે . પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે , તેરસથી પૂનમ સુધી . પૂનમના દિવસે પગપાળા સંઘો દ્વારા અને વાહનોમાં માના ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે . મેળાની શરૂઆત પૂનમના દિવસે સવારની આરતીથી થાય છે , સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે સાડા નવ વાગ્યે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જાય છે , ત્યાંથી રાત્રે બે વાગ્યે બહુચરાજી મંદિરે પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે . બહુચરાજી વ્યંડળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઊમટી પડે છે . માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે . બહુચરાજી ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંનું સિદ્ધશક્તિપીઠ છે . અહીં દક્ષ રાજાની પુત્રી મા ભગવતી ( પાર્વતી ) ના હાથ પડેલા એવું માનવામાં આવે છે . આદ્યશક્તિ ત્રિપુરાસુંદરીનું બાલ સ્વરૂપ એટલે મા બહુચર . ચાચરના ચોકવાળી મા બહુચરા . મંદિરનો ઇતિહાસ જોઈએ તો મુખ્ય મંદિર , મંદિર ફરતે કિલ્લો અનેમુખ્ય દ્વાર તે સમયના કડીના સૂબા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડે સંવત ૧૮૩૯ માં બંધાવેલાં , તેમણે મંદિરના ખર્ચ માટે ત્રણ ગામ આપ્યાં . આ ઉપરાંત દર વર્ષે ૧૦,૫૦૦ રૂપિયા આપતા . વચ્ચેનું મંદિર મરાઠા નાના ફડનવીશે બનાવ્યું હતું . વરખડી મંદિર સંત કપિલદેવે બનાવ્યું , પછી કાલરીના રાજા તેજમલસિંહે પુનરુદ્ધાર કર્યો . મંદિર પરિસર આદ્ય સ્થાન , મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે . મુખ્ય મંદિરમાં સ્ફટિકનું બનેલું સોનાથી મઢેલું બાલમંત્ર આવેલું છે , તેની પૂજા થાય છે અને દેશવિદેશમાંથી આવતા માતાના ભક્તો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . મા બહુચર જુદાં જુદાં સ્વરૂપે પ્રગટ થયાં હતાં એવો ઇતિહાસ છે . દંડાશૂર રાક્ષસના રાજ્યની રાજધાની રાજપુરા ( હાલનું દેત્રોજ ) હતી . માએ છોકરીનું રૂપ ધારણ કરી દંડાશૂરનો વધ કરેલો . આ ઉપરાંત ભગવાન કપિલમુનિ અને કર્દમમુનિની પ્રાર્થનાથી દર્શન આપ્યાં હતાં . એક કથા અનુસાર વખડીના ઝાડ નીચે ભરવાડના છોકરાઓએ નાના તાંબાના વાસણમાં ભાતની પ્રસાદી માતાજીને અર્પી , તે સમયે ત્યાંથી રાજાએ બધા સૈનિકો માટે પ્રસાદ માગ્યો , માતાજીના ચમત્કારથી બધા સૈનિકોને ભાતનો પ્રસાદ આપ્યો તો પણ ખૂટ્યો નહીં . કાલરીના રાજા સોલંકી વજેસિંહની પુત્રી તેજમલબા મંદિરની બાજુમાં આવેલા માનસરોવર કુંડના કાંઠે બેઠાં હતાં ત્યારે તેમણે જોયું , કુંડમાં ઉતારેલી કૂતરીએ કૂતરાનું રૂપ ધારણ કર્યું . ત્યાર બાદ પોતાની ઘોડી પાણીમાં ઊતરતાં ઘોડો બની પછી પોતે કુંડમાં સ્નાન કરવાથી તેજમલબામાંથી તેજમલસિંહ બનાવી માતાજીએ પોતાના તેજસ્વી સ્વરૂપનાં દર્શન આપેલાં એવી લોકકથા પ્રચલિત છે . આ જગ્યાએ ઘણા ચમત્કારો પણ થાય છે . કડીના સૂબા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડને માની કૃપાથી પીઠના રોગમાંથી મુક્તિ મળેલી . અલાઉદ્દીન ખિલજીના સૈનિકો કૂકડાને મારીને ખાઈ ગયા , માતાજીએ સૈનિકોના પેટમાં જીવતા કૂકડા બોલાવ્યા હતા . ભક્ત જડુરામ ભટ્ટના પુત્રનાં લગ્નમાં માતાજી પોતે પધાર્યાં હતાં . માતાજીએ વલ્લભ ભટ્ટને દર્શન આપ્યાં અને તેર વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે મા સરસ્વતીના આશીર્વાદથી ‘ આંનદનો ગરબો ’ લખ્યો . કહેવાય છે કે રોજ આનંદનો ગરબો ગાવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે . મા બહુચર ઘણી બધી જ્ઞાતિની કુળદેવી હોવાથી હિંદુ ધર્મમાં ૧૬ સંસ્કારોમાં એક એવી ચૌલ ક્રિયા ( બાબરી ) ની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે . ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારી હોવાનો ઉલ્લેખ મળે છે . પુત્રપ્રાપ્તિ માટે , રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા માનતા રાખે છે , મા તેમની માનતા પૂર્ણ કરે છે . અહીં ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ ચડાવે છે . ચૈત્રી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં આવતા પગપાળા સંઘો માટે માના ભક્તો સેવાકેમ્પોનું આયોજન કરે છે . આ ઉપરાંત તાલુકા વહીવટી તંત્ર દ્વારા મેળામાં પ્રાથમિક આરોગ્ય સહિત યાત્રાળુઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે .

મા બહુચર ઘણી બધી જ્ઞાતિની કુળદેવી હોવાથી હિંદુ ધર્મમાં ૧૬ સંસ્કારોમાં એક એવી ચૌલ ક્રિયા ( બાબરી ) ની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે . ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારી હોવાનો ઉલ્લેખ મળે છે . પુત્રપ્રાપ્તિ માટે , રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા - માનતા રાખે છે , મા તેમની માનતા પૂર્ણ કરે છે . અહીં ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ ચડાવે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे