सीधे मुख्य सामग्री पर जाएं

માધવપુરનો ઐતિહાસિક મેળો

શ્રી માધવરાજી - રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ એટલે માધવપુરનો ઐતિહાસિક મેળા

 માધવરાયજી મંદિર અને આજુબાજુ આવેલા પૌરાણિક અને પરમ પવિત્ર એવા ધાર્મિક તીર્થસ્થાનને લીધે માધવપુર ( ઘેડ ) એક જીવંત તીર્થધામ છે . ત્રિલોકનાં શ્રેષ્ઠ પવિત્ર તીર્થધામોમાંનું એક છે . ખુદ ભગવાને પણ નારદજીને કહેલું કે આ પૃથ્વી ઉપર માધવપુર નામે મારું તીર્થ ક્ષેત્ર છે . તે ક્ષેત્રમાં યાત્રા કરવાથી ગૌહત્યા , બ્રહ્મહત્યા , બાળહત્યા અને પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ થાય છે . ગમે તેવા પાપી મનુષ્ય પણ શ્રી માધવ પ્રભુનાં દર્શનથી શુદ્ધ થાય છે . તેના મન , કર્મ કે વચનથી સાત જન્મનાં કરેલાં પાપોનો નાશ થાય છે . ગ્રામદેવતા , શ્રી માધવરાયજી , શ્રી ત્રિકમરાયજી , શ્રી ગોપાલરાયજી અને ક્મિણીજીની દેદીપ્યમાન ભવ્ય મૂર્તિઓનાં દર્શન કરી જીવન ધન્ય બને છે . કુંદીતપુરથી રાજા લીમકની પુત્રી રુક્મિણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણ લગ્ન કરવા માટે કુમારિકા ભૂમિ શોધતાં શોધતાં માધવપુર આવ્યા . મધુવનમાં રુક્મિણીનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિ ગ્રહણ કરી માધવપુર નામનું નગર વસાવ્યું , જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે .
શ્રીકૃષ્ણ - રુક્મિણીવિવાહ માધવપુરમાં થયાનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ છે . વિક્રમ સંવત ૧૫૪૧ માં ભીમ કેશવદાસ નામના કવિએ સિદ્ધપુરમાં રહીને શ્રીમદ્ ભાગવતનું નિર્માણ આખ્યાન પદ્ધતિએ ‘ હરિલીલા ષોડશકલા ’ ’ શીર્ષકથી કર્યું . તેમાં પણ શ્રીકૃષ્ણ - રુક્િમણીવિવાહ માધવપુરમાં થયાનું ગાયું છે કે . ' દ્વારવતી ભણી સાંચરયા કેશવ બલભદ્રવીર , પુ હુતા તે માધવપુરી નગરી વસઈ સાગરતીર , તિહાં મહાનદી મધુમતીમ , અતિ ઉછવ રૂપીણીવનમાંહી , હાથ મેલાવું હરિતણું , હુઈ રુક્મિણીવિવાહ ” આથી શ્રીનો લગ્નોત્સવ દર વર્ષે ચૈત્ર સુદ ( ૯ ) રામનવમીથી ચૈત્ર સુદ ૧૩ પાંચ દિવસ સુધી ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવાય છે . શ્રી ટ્રિક્મણીને રામનવમીને દિવસે જ તેમને પિયર રુક્મિણી મઠ ( મધુવનમાં બેઠકજીની બાજુમાં ) ત્યાંના પૂજારીજી પધરાવી જાય છે . રામનવમીથી રોજ રાત્રે વાજતેગાજતે પાંચ બંદૂકની સલામી ( Guard of honour ) સાથે શ્રીનાં ફુલેકાં નીકળે છે . તેમાં કીર્તન બોલાય છે અને પાલખી આગળ દાંડિયારાસ રમાય છે . બ્રહ્મકુંડે જાય છે . ત્યાં શ્રીને ભોગ ધરાવાય છે . આરતી થાય છે અને પરત નિજ મંદિરે પધારે છે . આમ , ત્રણ દિવસ ફુલેકું નીકળે છે . બારસને દિવસે મંદિરના ચોકમાં કડછ ગામથી કડછા મેરા લોકો ઘોડા ઉપર વાજતેગાજતે મામેરું લઈને આવે છે અને મંદિરના ચોકમાં ઘોડાનાં કૌવત દેખાડવામાં આવે છે , જ્યાં મંદિર ટ્રસ્ટ તરફથી દરેક ઘોડેસવારને શ્રીની પ્રસાદીરૂપે ઉપરણો અને પ્રસાદ આપવામાં આવે છે અને દરેક લોકોને શરબત આપવામાં આવે છે . અને ૩ થી ૪ ની વચ્ચે એન્ટિક રથમાં શ્રીકૃષ્ણ ભગવાન ૨ થમાં બિરાજીને વનમાં લગ્ન માટે સિધાવે છે . રથની આગળ કીર્તન થાય છે અને દાંડિયારાસ રમાય છે . ગામની બહાર નીકળીને રિક્મણીના હરણના પ્રતીકરૂપે રથને મેળા વચ્ચે દોડાવવામાં આવે છે . આગળ પોલીસવાન પાઇલોટિંગ કરે છે . મધુવનમાં પહોંચતાં શ્રી કૃષ્ણનું પોંખણું થાય છે . શ્રીને પોંખવા તથા કન્યાદાન માટે અગાઉથી જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો તૈયાર હોય છે . ચોરી - માયરામાં વૈદિક વિધિથી શ્રી માધવરાયજીના ફૂલગોર જનકભાઈ પુરોહિત ગોત્રોચાર કરી ગોધુલિક સમયે કન્યાદાન થાય છે . ત્યાં પછી શ્રી માધવ - રુક્મિણીજીને ચોરીમાં પધરાવવામાં આવે છે . ત્યાં અગ્નિની સાક્ષીએ પંચયજ્ઞ , સપ્તપદી , જવ - તલ હોમવા વગેરે વિધિ કરી ચોરીફેરા સંપન્ન થાય છે . કૃષ્ણ - રુક્મિણીને કંસાર આપવામાં આવે છે . લોકો શ્રીના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે . આ લગ્નોત્સવ ( માધવ - રુક્મિણી ) અલૌકિક હોય છે . આ મેળા માટેનો એક દુહો બહુ પ્રચલિત છે . ‘ માધવપુરનો માંડવો , આવે જાદવકુળની જાન , પરણે રાણી રુક્મિણી , જ્યાં વર દુલ્હા ભગવાન ”

રથની આગળ કીર્તન થાય છે અને દાંડિયારાસ રમાય છે . ગામની બહાર નીકળીને રુક્મિણીના હરણના પ્રતીકરૂપે રથને મેળા વચ્ચે દોડાવવામાં આવે છે . આગળ પોલીસવાન પાઇલોટિંગ કરે છે . મધુવનમાં પહોંચતાં શ્રી કૃષ્ણનું પોંખણું થાય છે . શ્રીને પોંખવા તથા કન્યાદાન માટે અગાઉથી જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો તૈયાર હોય છે . ચોરી - માયરામાં વૈદિક વિધિથી શ્રી માધવરાયજીના ફૂલગોર જનકભાઈ પુરોહિત ગોત્રોચાર કરી ગોધુલિક સમયે કન્યાદાન થાય છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .