શ્રી માધવરાજી - રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ એટલે માધવપુરનો ઐતિહાસિક મેળા
માધવરાયજી મંદિર અને આજુબાજુ આવેલા પૌરાણિક અને પરમ પવિત્ર એવા ધાર્મિક તીર્થસ્થાનને લીધે માધવપુર ( ઘેડ ) એક જીવંત તીર્થધામ છે . ત્રિલોકનાં શ્રેષ્ઠ પવિત્ર તીર્થધામોમાંનું એક છે . ખુદ ભગવાને પણ નારદજીને કહેલું કે આ પૃથ્વી ઉપર માધવપુર નામે મારું તીર્થ ક્ષેત્ર છે . તે ક્ષેત્રમાં યાત્રા કરવાથી ગૌહત્યા , બ્રહ્મહત્યા , બાળહત્યા અને પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ થાય છે . ગમે તેવા પાપી મનુષ્ય પણ શ્રી માધવ પ્રભુનાં દર્શનથી શુદ્ધ થાય છે . તેના મન , કર્મ કે વચનથી સાત જન્મનાં કરેલાં પાપોનો નાશ થાય છે . ગ્રામદેવતા , શ્રી માધવરાયજી , શ્રી ત્રિકમરાયજી , શ્રી ગોપાલરાયજી અને ક્મિણીજીની દેદીપ્યમાન ભવ્ય મૂર્તિઓનાં દર્શન કરી જીવન ધન્ય બને છે . કુંદીતપુરથી રાજા લીમકની પુત્રી રુક્મિણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણ લગ્ન કરવા માટે કુમારિકા ભૂમિ શોધતાં શોધતાં માધવપુર આવ્યા . મધુવનમાં રુક્મિણીનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિ ગ્રહણ કરી માધવપુર નામનું નગર વસાવ્યું , જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે .
શ્રીકૃષ્ણ - રુક્મિણીવિવાહ માધવપુરમાં થયાનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાં પણ છે . વિક્રમ સંવત ૧૫૪૧ માં ભીમ કેશવદાસ નામના કવિએ સિદ્ધપુરમાં રહીને શ્રીમદ્ ભાગવતનું નિર્માણ આખ્યાન પદ્ધતિએ ‘ હરિલીલા ષોડશકલા ’ ’ શીર્ષકથી કર્યું . તેમાં પણ શ્રીકૃષ્ણ - રુક્િમણીવિવાહ માધવપુરમાં થયાનું ગાયું છે કે . ' દ્વારવતી ભણી સાંચરયા કેશવ બલભદ્રવીર , પુ હુતા તે માધવપુરી નગરી વસઈ સાગરતીર , તિહાં મહાનદી મધુમતીમ , અતિ ઉછવ રૂપીણીવનમાંહી , હાથ મેલાવું હરિતણું , હુઈ રુક્મિણીવિવાહ ” આથી શ્રીનો લગ્નોત્સવ દર વર્ષે ચૈત્ર સુદ ( ૯ ) રામનવમીથી ચૈત્ર સુદ ૧૩ પાંચ દિવસ સુધી ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવાય છે . શ્રી ટ્રિક્મણીને રામનવમીને દિવસે જ તેમને પિયર રુક્મિણી મઠ ( મધુવનમાં બેઠકજીની બાજુમાં ) ત્યાંના પૂજારીજી પધરાવી જાય છે . રામનવમીથી રોજ રાત્રે વાજતેગાજતે પાંચ બંદૂકની સલામી ( Guard of honour ) સાથે શ્રીનાં ફુલેકાં નીકળે છે . તેમાં કીર્તન બોલાય છે અને પાલખી આગળ દાંડિયારાસ રમાય છે . બ્રહ્મકુંડે જાય છે . ત્યાં શ્રીને ભોગ ધરાવાય છે . આરતી થાય છે અને પરત નિજ મંદિરે પધારે છે . આમ , ત્રણ દિવસ ફુલેકું નીકળે છે . બારસને દિવસે મંદિરના ચોકમાં કડછ ગામથી કડછા મેરા લોકો ઘોડા ઉપર વાજતેગાજતે મામેરું લઈને આવે છે અને મંદિરના ચોકમાં ઘોડાનાં કૌવત દેખાડવામાં આવે છે , જ્યાં મંદિર ટ્રસ્ટ તરફથી દરેક ઘોડેસવારને શ્રીની પ્રસાદીરૂપે ઉપરણો અને પ્રસાદ આપવામાં આવે છે અને દરેક લોકોને શરબત આપવામાં આવે છે . અને ૩ થી ૪ ની વચ્ચે એન્ટિક રથમાં શ્રીકૃષ્ણ ભગવાન ૨ થમાં બિરાજીને વનમાં લગ્ન માટે સિધાવે છે . રથની આગળ કીર્તન થાય છે અને દાંડિયારાસ રમાય છે . ગામની બહાર નીકળીને રિક્મણીના હરણના પ્રતીકરૂપે રથને મેળા વચ્ચે દોડાવવામાં આવે છે . આગળ પોલીસવાન પાઇલોટિંગ કરે છે . મધુવનમાં પહોંચતાં શ્રી કૃષ્ણનું પોંખણું થાય છે . શ્રીને પોંખવા તથા કન્યાદાન માટે અગાઉથી જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો તૈયાર હોય છે . ચોરી - માયરામાં વૈદિક વિધિથી શ્રી માધવરાયજીના ફૂલગોર જનકભાઈ પુરોહિત ગોત્રોચાર કરી ગોધુલિક સમયે કન્યાદાન થાય છે . ત્યાં પછી શ્રી માધવ - રુક્મિણીજીને ચોરીમાં પધરાવવામાં આવે છે . ત્યાં અગ્નિની સાક્ષીએ પંચયજ્ઞ , સપ્તપદી , જવ - તલ હોમવા વગેરે વિધિ કરી ચોરીફેરા સંપન્ન થાય છે . કૃષ્ણ - રુક્મિણીને કંસાર આપવામાં આવે છે . લોકો શ્રીના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે . આ લગ્નોત્સવ ( માધવ - રુક્મિણી ) અલૌકિક હોય છે . આ મેળા માટેનો એક દુહો બહુ પ્રચલિત છે . ‘ માધવપુરનો માંડવો , આવે જાદવકુળની જાન , પરણે રાણી રુક્મિણી , જ્યાં વર દુલ્હા ભગવાન ”
રથની આગળ કીર્તન થાય છે અને દાંડિયારાસ રમાય છે . ગામની બહાર નીકળીને રુક્મિણીના હરણના પ્રતીકરૂપે રથને મેળા વચ્ચે દોડાવવામાં આવે છે . આગળ પોલીસવાન પાઇલોટિંગ કરે છે . મધુવનમાં પહોંચતાં શ્રી કૃષ્ણનું પોંખણું થાય છે . શ્રીને પોંખવા તથા કન્યાદાન માટે અગાઉથી જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો તૈયાર હોય છે . ચોરી - માયરામાં વૈદિક વિધિથી શ્રી માધવરાયજીના ફૂલગોર જનકભાઈ પુરોહિત ગોત્રોચાર કરી ગોધુલિક સમયે કન્યાદાન થાય છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें