सीधे मुख्य सामग्री पर जाएं

પલ્લીનો મેળો ( રૂપાલ )

 પલ્લીનો મેળો ( રૂપાલ ) 

🌷ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફના ગામ રૂપાલમાં શ્રી વરદાયિની માતાનું દર્શનીય દેવસ્થાન આવેલું છે .

 🌷ત્યાં નવદુર્ગા પૈકી “ દ્વિતીયમ્ બ્રહ્મચારિણી’’થી જેનો ઉલ્લેખ કરાયો છે તે દેવીનું પવિત્ર સ્થાન ગણાય છે .

 🌷આ પ્રાચીન તીર્થ અંબાજી , બહુચરાજી અને મહાકાળી માતાનાં મંદિરો કરતાં પણ પ્રાચીન છે .

 🌷આ સ્થાન અત્યંત પ્રભાવશાળી છે . 

🌷માતાજીએ જુદા જુદા સમયે પોતાના ભક્તોને ચમત્કાર બતાવેલા હોવાથી અને ભક્તોની મન - ચિંતિત કામનાઓ પૂર્ણ કરેલી હોવાથી આખાયે ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે . 

🌷અહીં દેશ - પરદેશથી યાત્રાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે . 

🌷વરદાયિની માતાના મંદિર માટે એવું કહેવાય છે કે આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે . 

🌷ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો . 

🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાનમાતાજીનાં દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાનાં શસ્ત્રો સંતાડી જુદાં - જુદાં વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યો હતો .

 🌷ત્યાર બાદ આસો સુદ નોમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ , પાંડવો અને દ્રૌપદી માતાજીની સોનાની પલ્લી બનાવી તેના પર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો . 

🌷આ તો થઈ પૌરાણિક કથા , પણ કળિયુગની કથા કંઈક અલગ છે . 

🌷કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને માળવાના રાજા યશો વર્માએ અવગણના કરતાં તેની સાથે વેર બંધાતાં એમણે યશો વર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી .

🌷 સિદ્ધરાજ જયસિંહે સેના સાથે માળવા પર ચઢાઈ કરી , ભૂખથી રાજા પીડાવા લાગ્યા . એ અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર નજીક હતો .

 🌷રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે સવારે ઊઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે . 

🌷આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે . આમ પ્રતિજ્ઞા પૂર્ણ કરી રાજાએ યુદ્ધમાં યશો વર્માનો વધ કર્યો .

🌷 ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ ગામે આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી . તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી , 

🌷જે વડના ઝાડ નીચે હોઈ વડેચી તરીકે પણ ઓળખાય છે . 

🌷આવા પવિત્ર માતાજીના સ્થાને શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવી ઘીનો ભોગ ધરાવી માતાજી સમક્ષ માનતા – બાધા પૂર્ણ કરે છે . 

🌷આ પવિત્ર સ્થાને દર વર્ષે નવરાત્રિના નવમા દિવસે વરદાયિની માતાજીની નિશ્રામાં પલ્લીનો મેળો ભરાય છે . 

🌷આ મેળામાં પલ્લીનાં દર્શનાર્થે આશરે દસ લાખ જેટલા ભાવિક ભક્તો ઊમટી પડે છે . 

🌷પલ્લી દરમિયાન પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા આજે પણ યથાવત્ છે . 

🌷અંદાજે આ પલ્લી પર ચાર લાખ કિલો ઘીનો અભિષેક થાય છે . 

🌷મેળાના દિવસે આવેલા ભક્તોને ગામના સૌ કોઈ લોકો પોતાના ઘરે મહેમાન બનાવી જમાડવાની પ્રથા પ્રચલિત છે . 

🌷કોઈ પણ જાતના જ્ઞાતિભેદ સિવાય આ પરંપરા જોવા મળે છે . 

🌷મેળામાં આવવા - જવા માટે ગાંધીનગર , અમદાવાદ , કલોલ , મહેસાણા , કડી ડેપોમાંથી સ્પેશિયલ બસો મૂકવામાં આવે છે . 

🌷પલ્લી પરના ઘીની વિશેષતા એ છે કે આ ઘીનો કપડાં પર ડાઘ રહેતો નથી . 

🌷અભિષેકનું ઘી બીજા ઉપયોગમાં લેવાતું નથી . 

🌷ભાવિક ભક્તો માતાજીનાં દર્શનથી પાવન થાય છે . 

🌷રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , 

🌷જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો . 

🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીનાં દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાનાં શસ્રો સંતાડી જુદાં - જુદાં વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યો હતો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...