પલ્લીનો મેળો ( રૂપાલ )
🌷ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફના ગામ રૂપાલમાં શ્રી વરદાયિની માતાનું દર્શનીય દેવસ્થાન આવેલું છે .
🌷ત્યાં નવદુર્ગા પૈકી “ દ્વિતીયમ્ બ્રહ્મચારિણી’’થી જેનો ઉલ્લેખ કરાયો છે તે દેવીનું પવિત્ર સ્થાન ગણાય છે .
🌷આ પ્રાચીન તીર્થ અંબાજી , બહુચરાજી અને મહાકાળી માતાનાં મંદિરો કરતાં પણ પ્રાચીન છે .
🌷આ સ્થાન અત્યંત પ્રભાવશાળી છે .
🌷માતાજીએ જુદા જુદા સમયે પોતાના ભક્તોને ચમત્કાર બતાવેલા હોવાથી અને ભક્તોની મન - ચિંતિત કામનાઓ પૂર્ણ કરેલી હોવાથી આખાયે ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે .
🌷અહીં દેશ - પરદેશથી યાત્રાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે .
🌷વરદાયિની માતાના મંદિર માટે એવું કહેવાય છે કે આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે .
🌷ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો .
🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાનમાતાજીનાં દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાનાં શસ્ત્રો સંતાડી જુદાં - જુદાં વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યો હતો .
🌷ત્યાર બાદ આસો સુદ નોમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ , પાંડવો અને દ્રૌપદી માતાજીની સોનાની પલ્લી બનાવી તેના પર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો .
🌷આ તો થઈ પૌરાણિક કથા , પણ કળિયુગની કથા કંઈક અલગ છે .
🌷કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને માળવાના રાજા યશો વર્માએ અવગણના કરતાં તેની સાથે વેર બંધાતાં એમણે યશો વર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી .
🌷 સિદ્ધરાજ જયસિંહે સેના સાથે માળવા પર ચઢાઈ કરી , ભૂખથી રાજા પીડાવા લાગ્યા . એ અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર નજીક હતો .
🌷રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે સવારે ઊઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે .
🌷આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે . આમ પ્રતિજ્ઞા પૂર્ણ કરી રાજાએ યુદ્ધમાં યશો વર્માનો વધ કર્યો .
🌷 ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ ગામે આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી . તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી ,
🌷જે વડના ઝાડ નીચે હોઈ વડેચી તરીકે પણ ઓળખાય છે .
🌷આવા પવિત્ર માતાજીના સ્થાને શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવી ઘીનો ભોગ ધરાવી માતાજી સમક્ષ માનતા – બાધા પૂર્ણ કરે છે .
🌷આ પવિત્ર સ્થાને દર વર્ષે નવરાત્રિના નવમા દિવસે વરદાયિની માતાજીની નિશ્રામાં પલ્લીનો મેળો ભરાય છે .
🌷આ મેળામાં પલ્લીનાં દર્શનાર્થે આશરે દસ લાખ જેટલા ભાવિક ભક્તો ઊમટી પડે છે .
🌷પલ્લી દરમિયાન પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા આજે પણ યથાવત્ છે .
🌷અંદાજે આ પલ્લી પર ચાર લાખ કિલો ઘીનો અભિષેક થાય છે .
🌷મેળાના દિવસે આવેલા ભક્તોને ગામના સૌ કોઈ લોકો પોતાના ઘરે મહેમાન બનાવી જમાડવાની પ્રથા પ્રચલિત છે .
🌷કોઈ પણ જાતના જ્ઞાતિભેદ સિવાય આ પરંપરા જોવા મળે છે .
🌷મેળામાં આવવા - જવા માટે ગાંધીનગર , અમદાવાદ , કલોલ , મહેસાણા , કડી ડેપોમાંથી સ્પેશિયલ બસો મૂકવામાં આવે છે .
🌷પલ્લી પરના ઘીની વિશેષતા એ છે કે આ ઘીનો કપડાં પર ડાઘ રહેતો નથી .
🌷અભિષેકનું ઘી બીજા ઉપયોગમાં લેવાતું નથી .
🌷ભાવિક ભક્તો માતાજીનાં દર્શનથી પાવન થાય છે .
🌷રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું ,
🌷જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો .
🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીનાં દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાનાં શસ્રો સંતાડી જુદાં - જુદાં વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યો હતો .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें