અંબાજીનો મેળો
🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો .
🌷 અહીં આવેલું અંબાજી .
🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ .
🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર .
🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ
🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી .
🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી ,
🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે .
🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે
🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે .
🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે .
🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે .
🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે
🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે .
🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે .
🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે મા અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું .
🌷 નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો .
🌷રાક્ષસનો વધ કર્યો તે દિવસે મા અંબાએ ‘ ગબ્બરના ગોખ’માં જ પોતાનું સ્થાનક બનાવ્યું .
🌷અહીં માઈીભક્તો મોટા અવાજે સ્તુતિનું પઠન કરી માતાજીને રીઝવે છે .
🌷ગબ્બરના ગોખનીસામે ‘ શક્રાદય ’ સ્તુતિના પાઠ કરવાનું અનોખું મહત્ત્વ છે .
🌷અહીં મા અંબાને ખાસ શણગારોથી શોભાયમાન કરવામાં આવે છે .
🌷માતાજીના શણગાર વખતે બ્રાહ્મણો ‘ સપ્તશતી’નું ગાન કરે છે .
🌷 ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાત જ નહીં , સમગ્ર દેશ અને દુનિયામાંથી ભક્તો દર્શન માટે આવે છે .
🌷મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે પોષી પૂનમની પણ ખાસ ઉજવણી કરી ‘ પ્રાગટ્ય દિવસ'ની ભક્તિમય ઉજવણી થાય છે .
🌷 ચૈત્રી અને શરદ પૂર્ણિમાએ પણ પૂજા , પાઠ અને યજ્ઞનું આયોજન નિયમિત કરવામાં આવે છે .
🌷 આ દિવસે અહીં મેળો ભરાય છે .
🌷આ દિવસે માઈભક્તો અને દર્શને આવેલા વિવિધ સંઘો દ્વારા માતાજીને રીઝવવા અને આ માટે ભવાઈ , ગરબાનું આયોજન કરવામાં આવે છે .
🌷મા અંબાના મંદિરમાં માતાજીના ભક્તોનો રાસ રજૂ કરવાનો ઉત્સાહ અનેરો હોય છે .
🌷અંબાજીના આ વૈશ્વિક લોકમેળામાં પચીસ લાખ કરતાં વધારે ભક્તો દર્શનનો લાભ મેળવે છે .
🌷 લાખો ભક્તો ... હજારો સંઘ ... અંબાજી પહોંચવાના બધા જ રસ્તા પદયાત્રિકોથી ભરચક જોવા મળે છે .
🌷યાત્રિકોને બધી સગવડ મળી રહે તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવે છે .
🌷રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખોરાક , પાણી અને સ્વાસ્થ્યને લગતી બાબતોનું ચોક્કસ આયોજન કરવામાં આવે છે .
🌷લાખોની સંખ્યામાં આવતા ભક્તોનું અને સ્થાનિક પર્યાવરણનું સંવર્ધન થઈ શકે તે માટે ખાસ આયોજન કરી તેને અમલી બનાવાય છે .
🌷મા અંબાના પવિત્ર સ્થાનમાં મૂર્તિની નહીં , પરંતુ ‘ શક્તિયંત્ર’ની પૂજા થાય છે .
🌷લાખો ભક્તોની ઉપસ્થિતિમાં ‘ આરતી ’ વખતે ભકતોને પણ દીવા આપી આરતી વખતે દરેકને આરતીમાં જોડવામાં આવે છે .
🌷એકસાથે લાખો દીવાની આરતીએ વિશ્વવિક્રમ નોંધાવ્યો છે .
🌷 અદ્ભુત ... ઐતિહાસિક અને અનોખી શ્રદ્ધા સાથેનો ભાદરવી પૂનમનો મેળો આજે અંબાજીની વૈશ્વિક ઓળખ બન્યો છે .
🌷જિલ્લાના આ મેળાએ સમગ્ર પર્ણાશા પ્રદેશ તરીકે ઓળખાતા જિલ્લાને અનોખી ઓળખ આપી છે .
🌷અંબાજીના મેળા ઉપરાંત આ જિલ્લામાં બાલારામનો મેળો , ઢીમા ધરણીધરનો મેળો , મગરવાડા કે કટાવધામના મેળાની સાથે સેંભર અને ડીસાસ્થિત સિદ્ધાંબિકાનો મેળો પણ ભરાય છે .
🌷આવા અનેક નાના - મોટા મેળાઓ ધરાવતો બનાસકાંઠા જિલ્લો ‘ ભાદરવી પૂનમના મેળા ’ માટેની આગવી ઓળખ અને ગૌરવ ધરાવે છે .
🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે
🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે .
🌷 કહેવાય છે કે મા અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું . નવ દિવસ અને નવ રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें