सीधे मुख्य सामग्री पर जाएं

ઐઠોર ગણપતિદાદાનો મેળો

ઐઠોર ગણપતિદાદાનો મેળો

 ગણપતિદાદાનું પૌરાણિક મંદિર , એક દુર્લભ યાત્રાધામ ઐઠોર આદિકાળથી માનવી પોતાના જીવનની સફળતા માટે વિઘ્નોના પરિતાપમાંથી બચવા વરુણ , અગ્નિ , ગણેશ તેમજ પ્રકૃતિનાં અન્ય તત્ત્વોની પૂજા કરતો આવ્યો છે . આજે પણ સમગ્ર માનવસમુદાય આવી ધાર્મિક માન્યતાઓના બળે દેવ - દેવતાઓને પોતાના રક્ષણદાતા માને છે . દેવતાઓને રીઝવવા યજ્ઞો આજે પણ કરે છે . ભાગવત પુરાણોમાં ભૂત , પિશાચ , ડાકિની , રાક્ષસ , યક્ષ અને આત્મક ગ્રહ આપણા વિઘ્નકર્તાઓ તરીકે સ્વીકાર્ય બનેલાં છે . આ તમામ વિઘ્નકર્તા ગણોને કાબૂમાં લેવાનું કાર્ય કરનાર દેવ એટલે ગણપતિ . ગણપતિ વિઘ્ન હરનાર દેવનું સૌમ્ય સ્વરૂપ છે , જ્યારે વિનાયક એ પીડા કે ઉપાધિ લાવનાર છે જે તેમનું રૌદ્ર સ્વરૂપ છે . ઐઠોર ગામની પવિત્ર ધરતી ઉપર પુષ્પાવતી નદીના કાંઠા પર રેણુમાંથી બનાવેલું ડાબી સૂઢવાળા વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભવ્ય સ્થાન ઐઠોર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી ઇતિહાસમાં બેનમૂન સ્થાન પામ્યું છે . આ સ્થળે સૌપ્રથમ મંદિર કોણે બંધાવ્યું તેના ચોક્કસ ઉલ્લેખ મળતા નથી , પણ ૧૩ મી સદીમાં હિન્દુસ્તાનમાં ચઢાઈ કરી આવનાર ધર્માંધ શાસક અલ્લાદીન ખિલજીએ આક્રમણ દરમ્યાન આ મંદિરની સ્થાપત્યકળાને ખંડિત કરી નુકસાનપહોંચાડેલું . ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું અનોખું અને અદકેરું મહત્ત્વ છે . મેળાઓનું જ્યાં માનવમહેરામણ ઊમટે , જ્યાં માનવોનાં મન મળે , હૈયે હૈયું મળે અને વિચારોની આપ - લે થાય , સંસ્કાર - સરિતાનાં વહેણ વહેતાં થાય , ધાર્મિકતા કેળવાય અને એટલા જ માટે થયું આ સુંદર મેળાઓનું સર્જન . આવો જ એક સુંદર મેળો એટલે ઐઠોરમાં દર વર્ષે ચૈત્ર માસની સુદ ત્રીજથી પાંચમ સુધી ત્રણ દિવસનો યોજાતો મેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો . શુકનફળનો વરતારો કાઢવાના મેળા તરીકે પ્રખ્યાત ભવ્ય ભાતીગળ ધાર્મિક લોકમેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો , જ્યાં શુકન - વરતારામાં આવનારા વર્ષનાં લેખાં - જોખાંની જાહેરાત થાય . ફૂલો , અનાજની ખરવાડ અને બત્રીસીના શુકનનું મહત્ત્વ ખૂબ જ રમ્ય પ્રભાવશાળી દેશ્ય રહે છે . નાયકભાઈઓ સારા શુકન લઈ , ભૂંગળ જેવા વાજિંત્રના સૂર રેલાવતા તેમના આગમનની દુહાઈ આપતા ગામચોરે આગમન કરે છે . ચૈત્ર સુદ ત્રીજના દિવસે બાંધેલા ઘૂઘરા સુદ - છઠ્ઠના દિવસે બપોરે છૂટે છે . ત્યાં સુધી ગામમાં કેટલીક બાબતોનો અણુજો પળાય છે . આ દિવસોમાં રાત્રિના સમયે ભવાઈ ગણપતિનો વેશ , કજોડાં , જૂઠણ જેવા વેશ શુદ્ધ માર્મિકતાથી ભજવાય છે . આગામી વર્ષફળનો વરતારો એ આ ધાર્મિક મેળાનું આગવું આકર્ષણ છે . ચોથના દિવસે નમતી બપોરે ગામચોકમાં સભા બેસે છે . નાયકભાઈઓ કથા માંડે છે . ચોક્કસ સમયે કથા પૂરી કરી સભા સારા શુકન લઈને ગણપતિદાદાના જયઘોષ સાથે ગણપતિ મંદિર તરફ પ્રસ્થાન કરે છે . વચ્ચેથી તલાટી જૈન વણિકને સભામાં સાથે લેવામાં આવે છે , જે વંશ પરંપરાગત આ હોદ્દો નિભાવે છે . આ સમયે રસ્તાની બંને બાજુ ઊભરાતી હકડેઠઠ માનવમેદની ગણપતિદાદાના જયઘોષમાં તાલ પુરાવે છે . તલાટીને લઈને સભા ગણપતિ મહારાજ કી જય .... ના સતત ગગનભેદી જયઘોષ કરતી ગણપતિ મંદિરે પહોંચી દાદાનાં દર્શન કરે છે . માળીભાઈઓ તરફથી આવેલી વિવિધ પ્રકારની છાબડીઓમાં લાવેલાં ફૂલો , ફૂલોના હાર , કઠેડી , ચંદરવો , તોરણ ગણપતિદાદાને ચઢાવવામાં આવે છે . બધા ( દાદાની મૂર્તિ સન્મુખનો ચોક ) ખરવાડમાં બેસે છે . સભામાં આવેલાં ફૂલોના પ્રકાર , રંગ , જથ્થો અને સંખ્યા , સમય વગેરે બાબતોને ધ્યાનમાં લઈ , તે ઉપરથી શુકન એટલે આગામી વર્ષફળનો વરતારો કાઢવામાં આવે છે . આ શુકન એ આ ધાર્મિક મેળાનું ખાસ મહત્ત્વનું આકર્ષણ છે , જે જોવા જાણવા અને માણવા માટે લોકો દૂર - દૂરથી મેળામાં આવે છે અને દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . એટલું જ નહીં , દર મહિનાની વદ - ચોથ ( સંકટચોથ ) ના દિવસે ઐઠોર ગણપતિદાદાનો સુંદર મેળો ભરાય છે . લોકો શુદ્ધ ભાવથી , શુદ્ધ આશયથી દાદાની ટેક , બાધા કે આખડી રાખે છે . સંકલ્પના પૂરી થતાં દાદાના મંદિરે આવી તેમાંથી છુટકારો મેળવી ધન્યતા અનુભવે છે . આ છે ઐઠોરના ગજાનંદ ગણપતિદાદાનું આગવું અદમ્યતાભર્યું મહત્ત્વ . જય ગણપતિ દાદા ....

ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું અનોખું અને અદકેરું મહત્ત્વ છે . મેળાઓનું જ્યાં માનવમહેરામણ ઊમટે , જ્યાં માનવોનાં મન મળે , હૈયે - હૈયું મળે અને વિચારોની આપ - લે થાય , સંસ્કાર - સરિતાનાં વહેણ વહેતાં થાય , ધાર્મિકતા કેળવાય અને એટલા જ માટે થયું આ સુંદર મેળાઓનું સર્જન . આવો જ એક સુંદર મેળો એટલે ઐઠોરમાં દર વર્ષે ચૈત્ર માસની સુદ ત્રીજથી પાંચમ સુધી ત્રણ દિવસનો યોજાતો મેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...