सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .   ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal  ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .   જૂનાગઢ :-Junagadh  જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો : Ancient Universities of India

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો :  ( 1 ) નાલંદા : Nalanda  બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો . ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુઅન - શ્તાંગ પણ અહીં આવેલ . આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે . છતાં તે ખંડેરોમાં ફરતાં ફરતાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે . નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં . તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્

ગુજરાતની ગુફાઓ : Caves of Gujarat

ગુજરાતની ગુફાઓ   : Caves of Gujarat જૂનાગઢની ગુફાઓ : જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે .  ( 1 ) બાવાપ્યારાનો ગુફા સમૂહ :- આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે . આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે . પહેલી હારમાં ચાર , બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે . તે ઈસ્વીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે .  ( 2 ) ઉપરકોટની ગુફાઓ :-  આ ગુફાઓ બે મજલામાં આવેલ છે , નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે . ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ .  ખાપરા-કોડીયાની ગૂફાઓ:-  કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય . ગુફાઓને નુકસાન થયેલ છે . કુલ 20 સ્તંભ આવેલ છે . આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે .    ખંભાલીડા ગુફા :-  રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે . તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે . વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ , પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્ત્વ અને કેટ

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat   ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે .  આદિવાસી નૃત્યો : Tribal dances  ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે .   ગરબા : Garba  ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે

નૃત્યકલા-Choreography

નૃત્યકલા-Choreography      નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે .  ભરતનાટ્યમ્-Bharatnatyam  ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે  કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style  આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવા

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat

ગુજરાતના મેળાઓ-Fairs of Gujarat 1. મોઢેરા નો મેળો. મોઢેરા (મહેસાણા) શ્રાવણ વદ અમાસ 2. બહુચરાજીનો મેળો બહુચરાજી (મહેસાણા) ચૈત્ર સુદ પૂનમ 3. શામળાજીનો કાળિયા ઠાકોર નો મેળો શામળાજી (અરવલ્લી) કારતક સુદ અગિયારસથી પૂનમ 4. ભાદરવી પૂનમનો મેળો અંબાજી (બનાસકાંઠા) ભાદરવા સુદ પૂનમ 5. ભવનાથનો મેળો ગિરનાર (જુનાગઢ) મહા વદ ૯ થી ૧૨ 6. તરણેતરનો મેળો તરણેતર (સુરેન્દ્રનગર) ભાદરવા સુદ ચોથ થી છઠ 7. ભડીયાદ નો મેળો ભડીયાદ (અમદાવાદ) રજબ માસ ની તારીખ 9 10 11 8. નકળંગ નો મેળો કોળીયાક (ભાવનગર) ભાદરવા વદ અમાસ 9. માધવપુરનો મેળો માધવપુર (પોરબંદર) ચૈત્ર સુદ નોમ થી તેરસ 10. વૌઠાનો મેળો ધોળકા (અમદાવાદ) કારતક સુદ પૂનમ 11. મીરાદાતારનો મેળો ઉનાવા (મહેસાણા) રજન માસની તારીખ 16 થી 22 12. ડાંગ દરબાર નો મેળો આહવા (ડાંગ) ફાગણ સુદ પૂનમ 13. ગોળ ગધેડાનો મેળો ગરબાડા (દાહોદ) હોળી પછીના  પાંચમા કે સાતમા દિવસે 14. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ (ગીર) કાર્તિક સુદ પૂનમ 15. ભોંગોરીયાનો મેળો કવાટ (છોટાઉદેપુર) હોળીથી રંગપાંચમ સુધી

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane

વાવાઝોડું ( ચક્રવાત ) : Hurricane વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત , સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો , ચીન અને જાપાનના કિનારે ટાઈફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે . આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે . આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે . ભારતના પૂર્વકનારે અને કચ્છ - સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે .  શું  કરવું:- ◾આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટી.વી. - રેડિયોના સમાચાર જોતા રહો .  ◾જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બૅટરી હાથવગી રાખવી .  ◾ મોબાઇલ ફોન ચાર્જ કરી લેવા . વળી પાવરબેંક જેવાં સાધનો હોય તો તેને પણ અગાઉથી ચાર્જ કરી સાથે રાખવા .  ◾ રેડિયો દ્વારા મળતી સૂચનાઓ , ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો .  ◾ અફવાઓથી દૂર રહો .  ◾ વધારાનો ખોરાક , સૂકો નાસ્તો , પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરો .  ◾ બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો .  ◾ બચાવતંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પા

પૂર સમયે રાખવાની સાચવેતીઓ-Flood protection

પૂર સમયે રાખવાની સાચવેતીઓ-Flood protection પૂર.- પુરનું સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ વિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. મોટે ભાગે લોકો પૂર ની ઘટના ને નદી સાથે જોડે છે જ્યારે નદીનું પાણી કિનારાના ભાગ ઉપરથી નજીકના જમીન વિસ્તારોને ડુબાડી દે છે. પૂરે કુદરતી ઘટના છે અને એકધારા ભારે વરસાદ નું પરિણામ છે માનવ પ્રવૃત્તિઓની જળ-પરિવાહ જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલો બાંધકામથી પુર વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે. શું કરવું:- ➖ સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુ લઈ લેવો. ➖ પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ના લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી. ➖ બાળકોને ભૂખ્યા રાખશો નહીં. ➖પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું. ➖રેડિયો, ફોન, અચૂક સાથે રાખવા. ➖સાપથી સાવધાન રહેવું તે કોરી અને સૂકી જગ્યામાં હોઈ શકે છે. તેને દૂર રાખવા વાંસ ની લાકડી સાથે રાખવી. શું ન કરવું:- ➖ પુરના પાણીથી બનાવેલો ખોરાક ખાશો નહીં. ➖ સલામત રીતે બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના બહાર ની

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન-National Park of Gujarat

રાષ્ટ્રીય ઉદ્યાન 1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1975. વિસ્તાર :258.71 ચો. કિમી. જીલ્લો -જુનાગઢ. મુખ્ય પ્રાણીઓ: સિંહ, દીપડા, ચીતલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર. 2. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1976. વિસ્તાર :34.08. ચો. કિમી. જીલ્લો :ભાવનગર. મુખ્ય પ્રાણીઓ: કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ. 3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન . સ્થાપના: 1979. વિસ્તાર:23.99 ચો. કિમી. જીલ્લો :નવસારી. મુખ્ય પ્રાણીઓ: દિપડા, ઝરખ, ચિત્તલ, ચોશિંગા. 4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન . સ્થાપના: 1982. વિસ્તાર: 162.89 ચો. કિમી. જીલ્લો: કચ્છ નો અખાત, જામનગર. મુખ્ય પ્રાણીઓ: સમુદ્રી ઘોડા, કોરલ, જેલી ફિશ, ઑકટોપસ, ઑયસ્ટર, ડૉલ્ફિન, ડુગાંગ.

મદન મોહન માલવિયાનું જીવનચરિત્ર

મદન મોહન માલવિયાનું જીવનચરિત્ર  મહામના મદન મોહન માલવીય બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક જ નહીં પરંતુ આ યુગના આદર્શ પુરૂષ પણ હતા.  તેઓ ભારતના પ્રથમ અને છેલ્લી વ્યક્તિ હતા જેમને મહામનાનું સન્માનિત પદવી આપવામાં આવ્યું હતું.  પત્રકારત્વ, હિમાયત, સમાજ સુધારણા, માતૃભાષા અને ભારત માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર આ મહાપુરુષ દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીમાં આવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા અને દેશની સેવા માટે તૈયાર કરવાનું તેમનું વિઝન હતું. દેશનું માથું ગૌરવ કરતાં ઊંચું કરી શકે છે  માલવિયાજી સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ અને આત્મત્યાગમાં અનન્ય હતા.  તે આ બધી પ્રથાઓનો ઉપદેશ તો આપતા જ નહીં. પણ પોતે પણ તેનું પાલન કરતા.  તેઓ તેમના વ્યવહારમાં હંમેશા નરમ બોલતા હતા.  કર્મ જ તેનું જીવન હતું.  ઘણી સંસ્થાઓના પિતા અને સફળ નિર્દેશક તરીકે, તેમણે પોતાની કાનૂની વ્યવસ્થાને સરળ રીતે સંપાદિત કરતી વખતે ક્યારેય ગુસ્સે અથવા કઠોર ભાષાનો ઉપયોગ કર્યો નથી.   પ્રારંભિક જીવન  માલવિયાજીનો જન્મ પ્રયાગમાં થયો હતો, જેને સ્વતંત્ર ભારતમાં અલ્હાબાદ કહેવામાં આવે છે, 25 ડિસેમ્બર 1861ના રોજ પં. બ્રજનાથ અને મૂનાદેવીને ત

જૂઠ વિશ્વાસ તોડી નાખે છે

   જૂઠ વિશ્વાસ તોડી નાખે છે - જો તમે સત્ય બોલતા હોવ તો પણ કોઈ જૂઠું માનતું નથી.    એક વખત એક છોકરો હતો જે ગામના ઘેટાંને ડુંગર પર ચરતા જોઈને કંટાળી ગયો હતો. પોતાના મનોરંજન માટે, તેણે ગાયું, "વરુ! વરુ વરુ ઘેટાંનો પીછો કરે છે!”    જ્યારે ગ્રામજનોએ ચીસો સાંભળી, ત્યારે તેઓ વરુને ભગાડવા માટે ટેકરી પર દોડી આવ્યા. પરંતુ, જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તેઓએ કોઈ વરુ જોયું ન હતું. તેમના ગુસ્સાવાળા ચહેરા જોઈને છોકરો ખુશ થઈ ગયો.    "વરુ, ન હોય ત્યારે છોકરાને બૂમો પાડીશ નહીં," ગ્રામજનોને ચેતવણી આપી, "જ્યારે ત્યાં કોઈ વરુ ન હોય!"છોકરાએ ફરી બૂમો પાડી. ગામ લોકો  ગુસ્સામાં પાછા ટેકરી પર ગયા.    પછીથી, ભરવાડ છોકરાએ ફરી એક વાર બૂમ પાડી, "વરુ! વરુ વરુ ઘેટાંનો પીછો કરે છે!” પોતાના મનોરંજન માટે, તેણે ગામલોકોને વરુને ડરાવવા ટેકરી પર દોડતા જોયા.    જ્યારે તેણે જોયું કે ત્યાં કોઈ વરુ નથી, ત્યારે તેણે કડક શબ્દોમાં કહ્યું, "જ્યારે ખરેખર વરુ હોય ત્યારે તમારા ડરી ગયેલા રુદનને બચાવો! જ્યારે વરુ ન હોય ત્યારે 'વરુ' ન ડરશો!" પરંતુ છોકરો તેમના શબ્દો પર હસ્યો કારણ કે

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિન્દુ હોવાનું માનવામાં આવે છે.  બાળપણ અને પ્રારંભિક જીવન  જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ 1827મ

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનરુજ્જીવનના પ્રણ

સિદ્ધરાજ જયસિંહ( ઈ.સ. 1094-1143)

>>સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094-1143 )  >> જન્મ : પાલનપુર સિદ્ધરાજ જયસિંહ ઈ.સ.  >> 1094 માં ગાદી પર આવ્યા .   >> સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજવી છે .   >> પિતા : કર્ણદવ સોલંકી  >> માતા : મીનળદેવી   >> પુત્રી : દેવળદેવી ( દેવળદેવી કાચનદેવી તરીકે પણ ઓળખાય છે જેને સિદ્ધરાજે દત્તક લીધી હતી . )  >> રાજ્યની ફરજો અંગે તાલીમ આપનાર : શાંતનુ મંત્રી  >> સિદ્ધરાજ જયસિંહની સિદ્ધીઓ  >> સોરઠ વિજય  >> સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા ગયેલા ત્યારે જૂનાગઠજૂનાગઠના રાજવી રા' ખેંગારે પાટણ જઈ પૂર્વનો દરવાજો તોડી નાખ્યો ઉપરાંત ત્યાં રાણકદેવી રા'ખેંગાર તેને પરણીને લઈ ગયો .  >> આથી જયસિંહે માળવાથી પાછા ફરી અંતે રા'ખેંગારના  જનાગઢ પર આક્રમણ કર્યું . લાંબા સમય સુધી લડત ચાલી રા ખેંગાર ના ભત્રીજા દેશળ તથા વિશળ ફુટી જતા સોલંકી સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કર્યો અને રાખેંગાર નો યુદ્ધમાં મૃત્યુ થયું અને રાણકદેવીને સાથે લીધા પરંતુ તે રસ્તામાં જ વઢવાણ પાસે સતી થયા .  >> જયસિંહે સોરઠમાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીન

મહારાજા સૂરજમલ

🌷મહારાજા સૂરજમલનો જન્મ 13 ફેબ્રુઆરી , 1707 ના રોજ ભરતપુર ( રાજસ્થાન ) ખાતે થયો હતો . 🌷 શ્રી સૂરજમલે 18 મી સદીમાં શાસન કર્યુ હતું . તેઓ જાટ સરદાર શ્રી બદનસિંહના પુત્ર હતા .  🌷તેઓ એક નેતા , મહાન સેનાની , એક મહાન રાજદ્વારી અને તેમના સમયના મહાન રાજનેતા હતા . 🌷તેમની રાજકીય સમજ , સ્થિર બુદ્ધિ અને સ્પષ્ટ દૃષ્ટિકોણને કારણે આધુનિક લેખકો દ્વારા તેમનું વર્ણન જાટ લોકોના પ્લેટો ’ અને ‘ જાટ ઓડીસિયસ ’ તરીકે કરવામાં આવ્યું છે .  🌷તેમણે અનેક સમુદાયોને એક કર્યા અને તેમની વચ્ચે એકતા સ્થાપી હતી 🌷તેમણે કોઈપણ સમુદાય કે જાતિને ધ્યાનમાં લીધા ધર્મોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક સ્મારકોની દેખરેખ રાખી અને  યોગ્યતા અનુસાર ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કર્યા હતા . 🌷તેઓ માનતા હતા કે માનવતા એ જ માણસનો ધર્મ ’છે .  🌷મહારાજા સૂરજમલે ‘ એક રાષ્ટ્ર પોતાનું જીવન ભારત’ની કલ્પના કરી હતી અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવા માટે હતું  . 🌷તેઓ ખેડૂતોને સમાજનો સૌથી મહત્વપૂર્ણ વર્ગ માનતા હતા અને તેમનું ખૂબ સન્માન કરતા હતા . 🌷તેમણે વ્યક્તિગત રીતે ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને ઉકેલ માટે સુધારાની શરૂઆત કરી હતી . 🌷 જયપુર રજવાડ

અંબાજીનો મેળો

  અંબાજીનો મેળો   🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો . 🌷 અહીં આવેલું અંબાજી .  🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ . 🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર . 🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ  🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી . 🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી , 🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે . 🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે  🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે . 🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે . 🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે .  🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે  🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . 🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . 🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે

પલ્લીનો મેળો ( રૂપાલ )

 પલ્લીનો મેળો ( રૂપાલ )  🌷ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફના ગામ રૂપાલમાં શ્રી વરદાયિની માતાનું દર્શનીય દેવસ્થાન આવેલું છે .  🌷ત્યાં નવદુર્ગા પૈકી “ દ્વિતીયમ્ બ્રહ્મચારિણી’’થી જેનો ઉલ્લેખ કરાયો છે તે દેવીનું પવિત્ર સ્થાન ગણાય છે .  🌷આ પ્રાચીન તીર્થ અંબાજી , બહુચરાજી અને મહાકાળી માતાનાં મંદિરો કરતાં પણ પ્રાચીન છે .  🌷આ સ્થાન અત્યંત પ્રભાવશાળી છે .  🌷માતાજીએ જુદા જુદા સમયે પોતાના ભક્તોને ચમત્કાર બતાવેલા હોવાથી અને ભક્તોની મન - ચિંતિત કામનાઓ પૂર્ણ કરેલી હોવાથી આખાયે ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે .  🌷અહીં દેશ - પરદેશથી યાત્રાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે .  🌷વરદાયિની માતાના મંદિર માટે એવું કહેવાય છે કે આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે .  🌷ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું , જેનો લંકાના રાજા રાવણ સામે યુદ્ધમાં ઉપયોગ કરી રાવણનો શ્રીરામે વધ કર્યો હતો .  🌷દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાનમાતાજીનાં દર્શન કર

નકળંગનો મેળો

નકળંગનો મેળો  ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં મેળાનું ખૂબ જ મહત્ત્વ છે . લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળી ન જાય અને લોકો એકબીજાને મળી આનંદ માણે એ માટે આપણી સંસ્કૃતિમાં મેળાનું આયોજન કરવામાં આવે છે . ફક્ત એટલા પૂરતું જ નહીં , પણ દરેક મેળા સાથે કોઈક ને કોઈક ધાર્મિક સ્થળ જોડાયેલું હોય છે તથા તેમાં કથાઓ અને વિશેષતાઓ પણ રહેલી હોય છે . આપણે અહીં એક મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ . તે ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામની વાત છે . અહીં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયાકિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે . જાણે કે દરિયો સાક્ષાત્ મહાદેવના ચરણસ્પર્શ કરવા માટે ઉત્સાહિત હોય તેમ તેનાં પાણી મંદિર સુધી દોડી આવે છે . આસપાસનાં ગામના લોકો મેળાના દિવસે ઊમટી પડે છે . ભાદરવી અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહત્ત્વ અદ્વિતીય છે . મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતીજી પાસે ગયા . કુંતીજીએ સમગ્ર હકીકત જાણીને કહ્યું કે ‘ ભાઈઓ સાથેના યુદ્ધના કારણે તમે હવે હિમાળો ગાળો અર્થાત્ હવે હિમાલયમાં સમાધિષ્ટ થાઓ . માતાની આજ્ઞા અનુસાર પાંડવો હિમાલય પહોંચ્યા , પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તે

અનાથોની માતાનો મેળો – ખંભોળજ

અનાથોની માતાનો મેળો – ખંભોળજ  રોમન કેથોલિક સંપ્રદાયનો આ એક ધાર્મિક મેળો છે , જે અનાથોની માતાના મેળાના નામે ઓળખાય છે . આણંદ જિલ્લાના ખંભોળજ ગામે આ મેળો લગભગ છેલ્લાં સિત્તોતેર વર્ષથી ભરાય છે . ઈસુને બાળકો ખૂબ જ પ્રિય હતાં . તેઓ એમ કહેતા કે , બાળકોને મારી પાસે આવવા દો , કેમકે સ્વર્ગનું રાજન તેઓનું છે . ઈસુની માતાનું નામ મિરયમ હતું , જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામ સ્થાપિત છે . દર વરસે દિવાળીના દિવસે આ મેળો ભરાય છે . તે દિવસે દેવળને શણગારવામાં આવે છે તેમજ બહારથી આવતા ભક્તજનો માટે વિશાળ મંડપ બાંધવામાં આવે છે . મેળામાં ધાર્મિક ક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે . મેળાના સમય દરમ્યાન ચર્ચમાં વિધિ થાય છે , જેને માસ કહેવામાં આવે છે . ધર્મના વડા કે ધર્મગુરુઓ ચર્ચમાં ધાર્મિક વિધિ કરે છે . ભક્તજનોથી દેવળ ઊભરાય છે . આબાલવૃદ્ધ અને બાળકો પણ તેમાં સામેલ હોય છે . પ્રાર્થનાવિધિ વખતે ધર્મગુરુ ઉપદેશ આવે છે , જેને ભક્તજનો શાંતિથી સાંભળે છે , ખ્રિસ્તપ્રસાદ લે છે , અને યથાશક્તિ દાન કરે છે . ગામ ગામના લોકો નાતજાતના ભેદ સિવાય આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે . ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવે છે . કેટલાક પોત

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો  ઐતિહાસિક , પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો જગપ્રસિદ્ધતરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલાં ત્રિનેત્રેશ્વર મહાદેવની પવિત્ર જગ્યામાં ભરાય છે . ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૦૧ કમળનાં પુષ્પો ચઢાવવાનાં હતાં . મૂર્તિ ઉપર કમળ ચઢાવતાં ૧૦૦૦ કમળ થયાં અને એક કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચઢાવ્યું તેથી તે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા . ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે કુંડ આવેલા છે ત્યાં ગંગાજીને લાવવા માટે પાંચ ઋષિઓએ ભેગા થઈને પૂજા કરી હતી , તેથી માણસો પિતૃઓના અસ્થિવિસર્જન તેમજ ધાર્મિક કાર્યો કરવા ઋષિપાંચમના દિવસે અહીં આવતા થયા . તરણેતરના મેળામાં ભરત ભરેલાં બટનિયાં મોતી , આભલાં અને ફૂમતાથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે . ત્રણ દિવસ સુધી ચાલતો આ તરણેતરનો મેળો યુવા પ્રેમીઓ માટે મિલનનું સ્થળ ગણાય છે . અહીં પ્રખ્યાત બનેવી બજાર આવેલું છે , જ્યાં બનેવીના પૈસાથી ખરીદી કરવામાં આવે છે . અહીં જુદી જુદી ગ્રામીણ રમતો પણ રમવામાં આવે છે તેમજ પશુ પ્રદર્શન પણ યોજવામાં આવે છે . આમ આ મેળો લોકોમાં આનંદનો સંચાર કરે છે

માધવપુરનો ઐતિહાસિક મેળો

શ્રી માધવરાજી - રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ એટલે માધવપુરનો ઐતિહાસિક મેળા  માધવરાયજી મંદિર અને આજુબાજુ આવેલા પૌરાણિક અને પરમ પવિત્ર એવા ધાર્મિક તીર્થસ્થાનને લીધે માધવપુર ( ઘેડ ) એક જીવંત તીર્થધામ છે . ત્રિલોકનાં શ્રેષ્ઠ પવિત્ર તીર્થધામોમાંનું એક છે . ખુદ ભગવાને પણ નારદજીને કહેલું કે આ પૃથ્વી ઉપર માધવપુર નામે મારું તીર્થ ક્ષેત્ર છે . તે ક્ષેત્રમાં યાત્રા કરવાથી ગૌહત્યા , બ્રહ્મહત્યા , બાળહત્યા અને પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ થાય છે . ગમે તેવા પાપી મનુષ્ય પણ શ્રી માધવ પ્રભુનાં દર્શનથી શુદ્ધ થાય છે . તેના મન , કર્મ કે વચનથી સાત જન્મનાં કરેલાં પાપોનો નાશ થાય છે . ગ્રામદેવતા , શ્રી માધવરાયજી , શ્રી ત્રિકમરાયજી , શ્રી ગોપાલરાયજી અને ક્મિણીજીની દેદીપ્યમાન ભવ્ય મૂર્તિઓનાં દર્શન કરી જીવન ધન્ય બને છે . કુંદીતપુરથી રાજા લીમકની પુત્રી રુક્મિણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણ લગ્ન કરવા માટે કુમારિકા ભૂમિ શોધતાં શોધતાં માધવપુર આવ્યા . મધુવનમાં રુક્મિણીનું શાસ્ત્રોક્ત વિધિથી પાણિ ગ્રહણ કરી માધવપુર નામનું નગર વસાવ્યું , જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે . શ્રીકૃષ્ણ - રુક્મિણીવિવાહ માધવપુરમાં થયાનો ઉલ્લેખ

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )

ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )  ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી અને અમદાવાદથી ૧૧૦ કિમીના અંતરે ચુંવાળ પંથકમાં બેચરાજી ( બહુચરાજી ) મુકામે ચૈત્ર મહિનાની પૂનમના રોજ ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે . ચૈત્રી પૂનમ - માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે . પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે , તેરસથી પૂનમ સુધી . પૂનમના દિવસે પગપાળા સંઘો દ્વારા અને વાહનોમાં માના ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે . મેળાની શરૂઆત પૂનમના દિવસે સવારની આરતીથી થાય છે , સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે સાડા નવ વાગ્યે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જાય છે , ત્યાંથી રાત્રે બે વાગ્યે બહુચરાજી મંદિરે પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે . બહુચરાજી વ્યંડળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઊમટી પડે છે . માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે . બહુચરાજી ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંનું સિદ્ધશક્તિપીઠ છે . અહીં દક્ષ રાજાની પુત્રી મા ભગવતી ( પાર્

ઐઠોર ગણપતિદાદાનો મેળો

ઐઠોર ગણપતિદાદાનો મેળો  ગણપતિદાદાનું પૌરાણિક મંદિર , એક દુર્લભ યાત્રાધામ ઐઠોર આદિકાળથી માનવી પોતાના જીવનની સફળતા માટે વિઘ્નોના પરિતાપમાંથી બચવા વરુણ , અગ્નિ , ગણેશ તેમજ પ્રકૃતિનાં અન્ય તત્ત્વોની પૂજા કરતો આવ્યો છે . આજે પણ સમગ્ર માનવસમુદાય આવી ધાર્મિક માન્યતાઓના બળે દેવ - દેવતાઓને પોતાના રક્ષણદાતા માને છે . દેવતાઓને રીઝવવા યજ્ઞો આજે પણ કરે છે . ભાગવત પુરાણોમાં ભૂત , પિશાચ , ડાકિની , રાક્ષસ , યક્ષ અને આત્મક ગ્રહ આપણા વિઘ્નકર્તાઓ તરીકે સ્વીકાર્ય બનેલાં છે . આ તમામ વિઘ્નકર્તા ગણોને કાબૂમાં લેવાનું કાર્ય કરનાર દેવ એટલે ગણપતિ . ગણપતિ વિઘ્ન હરનાર દેવનું સૌમ્ય સ્વરૂપ છે , જ્યારે વિનાયક એ પીડા કે ઉપાધિ લાવનાર છે જે તેમનું રૌદ્ર સ્વરૂપ છે . ઐઠોર ગામની પવિત્ર ધરતી ઉપર પુષ્પાવતી નદીના કાંઠા પર રેણુમાંથી બનાવેલું ડાબી સૂઢવાળા વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભવ્ય સ્થાન ઐઠોર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી ઇતિહાસમાં બેનમૂન સ્થાન પામ્યું છે . આ સ્થળે સૌપ્રથમ મંદિર કોણે બંધાવ્યું તેના ચોક્કસ ઉલ્લેખ મળતા નથી , પણ ૧૩ મી સદીમાં હિન્દુસ્તાનમાં ચઢાઈ કરી આવનાર ધર્માંધ શાસક અલ્લાદીન ખિલજીએ આક્રમણ દરમ્યાન આ મંદિરની સ્થાપત

ચિત્ર - વિચિત્રનો મેળો

ચિત્ર - વિચિત્રનો મેળો  ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી ૫૦ કિ.મી. દૂર ગુણભાંખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો ભરાયો હતો . ત્રણ નદીઓના સંગમ કિનારે આવેલા મહાદેવના મંદિરે મોટો મેળો ભરાયો હતો . આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ - બહેનો ઊમટી પડ્યાં હતાં . હોળી પછીના ચૌદમા દિવસે એટલે કે ફાગણ વદ ચૌદસે ભરાતો ચિત્ર - વિચિત્રનો મેળો તેના નામ પ્રમાણે વિચિત્ર છે . સાબરકાંઠા જિલ્લાની અતિ પછાત ભલીભોળી આદિવાસી પ્રજાએ આગવી લોકશૈલી અને સંસ્કૃતિ માટે મોખરાનું સ્થાન હસ્તગત કર્યું છે . મહાભારત - રામાયણમાં સર્જાયેલી ઘટનાઓનાં સ્થળો સમસ્ત ભારતમાં ઠેકઠેકાણે પથરાયેલાં પડ્યાં છે . સાબરકાંઠામાં આવું એક સ્થળ છે , જેની સાથે મહાભારતના ચિત્રવર્ય અને વિચિત્રવીર્યના પુત્રોનાં નામ સંકળાયેલાં છે . પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે , હસ્તિનાપુર ( આજનું દિલ્હી ) ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા , ચિત્રવર્ય અને વિચિત્રવર્ય , જે તેઓનાં માતા સત્યવતી ( જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતાં હતાં ) અને રાજા શાંતનુના જયેષ્ઠ પુત્ર દેવવ્રત ( મહાભારતના ભીષ્મ ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા . પાછળથી પોતાની ભૂલ તેઓ