सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

ડાંગ દરબાર - એક આકર્ષણ

ડાંગ દરબાર - એક આકર્ષણ  આપણે આ એક ડાંગ દરબાર - એક આકર્ષણના કાલ્પનિક પ્રવાસમાં ડાંગ દરબારની મુલાકાતે જઈએ . ગત ફાગણ માસ - હોળીમાં આ ડાંગ દરબારનો અનેરો ઉત્સવ ઊજવાયો હતો . ડાંગની સંસ્કૃતિ એક વૈશિષ્યપૂર્ણ અને ઐતિહાસિક મહત્તા ધરાવનારી સંસ્કૃતિ છે , જેના વિશે જાણવામાં તથા માણવામાં આપને ખૂબ જ રસ પડશે . અન્ય જિલ્લાઓમાં ઊજવાતા ઉત્સવો અને મેળાઓની જેમ જ ડાંગ જિલ્લાના આહવામથકે ડાંગ દરબારની ઉજવણી એ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્રબિન્દુ છે . આ ઉત્સવ આદિવાસી અને ડાંગી પ્રજા ખૂબ જ ઉત્સાહથી મન મૂકીને ઊજવે છે . જંગલોમાં પર્વતોની વચ્ચે , કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીતરિવાજો અનોખાં હોય છે . તેના મેળાઓ પણ અદ્ભુત અને વિચિત્ર કહી શકાય તેવા હોય છે . આપણે તો માણવો છે ડાંગ દરબારને . લોકકલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધતામાં એકતા ધરાવતી ‘ આપણા દેશની અનોખી સંસ્કૃતિએ આખા વિશ્વમાં ( Whole world ) અચરજ ફેલાવ્યું છે ત્યારે આપણી પરંપરાગત લોકસંસ્કૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે . ગુજરાતમાં ગણીગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે , જેમાં ડાંગ દરબારનું સ્થાન અગ્રેસર કહી શકાય . ડાંગ દરબારનો ઇતિહાસ

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક  ગુજરાતના મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકામાં ઊંઝાથી પાંચ કિલોમીટરના અંતરે ઉનાવા ગામમાં આવેલી હજરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતીક બનેલી છે . ઇસ્લામિક કૅલેન્ડર વર્ષ પ્રમાણે પ્રથમ માસ મોહરમના ૨૯ મા દિવસની રાત્રિએ ચાંદ દેખાતાં આ દરગાહનો ઉર્સ શરૂ થાય છે . આ ઉર્સ મુબા ૨ ક પંદર દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે . ગુજરાતમાં ઘણાં ધાર્મિક સ્થળો એવાં છે કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના મનની મુરાદ પૂરી કરવા ઊમટી પડે છે અને તેમાંની એક જગ્યા એટલે હજરત સૈયદ અલી મીરા દાતારનો દરબાર . હજરત સૈયદ અલી મીરા દાતારનો જન્મ અમદાવાદના ખાનપુર વિસ્તારના સૈયદવાડામાં થયો હતો . મીરા દાતારનો જન્મ રમઝાન માસની ચાંદરાતે થયો હતો . જ્યારે તેઓ મહોરમના ૨૯ મા દિવસે શહીદ થવા તેમની આ શહીદીના માનમાં હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક ઊજવવામાં આવે છે . તેમને ‘ મીરા દાતાર ’ ’ તરીકે ઓળખવામાં આવે છે , કારણ કે ‘ મીરા’નો અર્થ થાય છે ‘ બહાદુર ’ અને ‘ દાતાર’નો અર્થ થાય છે ‘ આપનાર ’ . ઉર્સ દરમિયાન ચાલતી વિવિધ વિધિઓ , જેમકે કુરાન શરીફનું પઠન , ગુંસલ , નિશાન ચ

ક્વાંટ ગૈરનો મેળો

ક્વાંટ – ગૈરનો મેળો  પુરાતન કાળથી ક્વાંટ આદિવાસીઓનું કેન્દ્રસ્થળ છે . રાઠવા સમાજના હૃદયમાં વસેલુ ક્વાંટ વડોદરાથી લગભગ ૧૦૦ કિમી અંતરે ઉત્તર - પૂર્વ દિશામાં , પંચમહાલના એક છેડા તરફ તથા મધ્યપ્રદેશની એક સરહદ પર રહેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે . આ મેળો અત્રે હોળીના પાંચમા દિવસે એટલે કે રંગપાંચમના દિવસે ભરાય છે , જેને “ ગૈરનો મેળો ” તરીકે ઓળખાય છે . આજુબાજુનાં પચાસ ગામમાંથી , મધ્યપ્રદેશમાંથી અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ અહીં આ મેળોનો આનંદ માણવા આવે છે . સાથોસાથ અનેક દેશોમાંથી ઘણા લોકો આ આદિવાસી સંસ્કૃતિનું રસ - પાન કરવા તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવે છે . આ સ્થળ પર રાઠવા સમાજના લોકો પૃથ્વી પર પોતાની હયાતીની ખુશી માણવા માટે કોઈ પણ પૂર્વતૈયારી વગર એકઠા થાય છે . અહીં આ સમાજનાં પુરુષો તથા સ્ત્રીઓ રંગબેરંગી , ભપકાદાર , વિશિષ્ટ પ્રકારની પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત જોવા મળે છે . તેઓ મેળામાં નાચવા - ગાવા લગ્નની વાતચીત કરવા , સામાનની અદલાબદલી કરવા , વર્ષ દરમિયાનમાં આનંદના સમાચારની વહેંચણી એકબીજા સાથે કરવા એકત્ર થતા હોય છે . દરેક ગામમાંથી સ્ત્રી - પુરુષો અલગ - અલગ જૂથમાં મેળા

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો  સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે ‘ ઉત્સવ પ્રિયા ખલુ માનવા ’ ’ એટલે કે બધા માણસોને ઉત્સવ પ્રિય હોય છે . એમાંય ગુજરાતીઓ તો ખૂબ જ આનંદી સ્વભાવના હોય છે . ઉત્સવો તેમની એક આગવી ઓળખ બની ગયા છે . આજે આપણે આવા જ એક ઉત્સવની વાત કરીશું , જે ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે મેળા સ્વરૂપે ઊજવાય છે . પુરાતન કાળમાં ડાકોરની આસપાસનો આખો વિસ્તાર ખાખરિયા વન તરીકે ઓળખાતો હતો . ગાઢ જંગલવાળો આખો વનવિસ્તાર રળિયામણો હોવાથી ઋષિમુનિઓ તપ કરવા અહીં આવતા . એક દંતકથા મુજબ ડંકઋષિ નામના એક ઋષિ અહીં તપ કરતા હતા . એક દિવસ તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને ડંકઋષિને વરદાન માંગવા કહ્યું . ડંકઋષિએ તો વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં . તેમણે ભગવાનને કહ્યું , “ ભગવાન તમે અહીં મારી પાસે જ રહો . ’ આથી ભગવાન પોતનું વચન પાળવા પોતાની હયાતી સ્વરૂપે એક શિવલિંગ અહીં મૂકતા ગયા , જે ડંકનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ થયું , જેને કારણે આ આખોય વનવિસ્તારવનવિસ્તારડંકપુર નામે ઓળખાવા લાગ્યો . હાલનું આ ડાકોર શ્રીકૃષ્ણના પરમ ભક્ત વિજયાનંદ બોડાણાને આભારી છે . બીજી એક દંતકથા મુજબ ભક્ત બોડાણા પોતાના હાથમાં તુલસીનાં ક

ગોળ - ગધેડાનો મેળો

ગોળ - ગધેડાનો મેળો  દાહોદ વિસ્તારના આદિવાસીઓમાં ચૂલના મેળાની જેમ અતિ પ્રસિદ્ધ એવો ‘ ગોળ - ગધેડા’નો મેળો ભરાય છે . આ મેળો પણ તેની આગવી વિશિષ્ટતા ધરાવતો મેળો છે . હોળી પછીના પાંચમા , સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં ‘ ગોળ - ગેધેડા’નો મેળો ભરાય છે . આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો સ્ત્રી - પુરુષ ઢોલ વગાડતાં વગાડતાં અને આનંદથી નાચતાં - ગાતાં આવે છે . પૌરાણિક યુગના સ્વયંવરની યાદ તાજી કરાવતો આ ગોળ - ગધેડાનો આદિવાસી સિવાયના અન્ય સમાજે પણ એકાદ વખત તો જોવા જેવો છે . મેળાના મેદાનની મધ્યમમાં ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો સમક્ષિતિજ લાંબો સ્તંભ ઊભો કરવામાં આવે છે . તેના ઉપર વીંધ પાડી માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર - પાંચ ફૂટનાં બે આડાં લાકડાંના કટકા બેસાડવામાં આવે છે . તે થાંભલાની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે . દૂરથી જોતાં આનો આકાર ઈશુના ક્રૉસ સ્તંભ જેવો લાગે છે . આ સ્તંભની આજુબાજુ યુવાન કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે . બે - ત્રણ જુવાનડા કન્યાઓના આ ટોળાની વચમાં થઈને થાંભલે ચડે છે . થાંભલે ચઢનાર યુવાનને

વરાણા નો મેળો

વરાણા નો મેળો  ગુજરાતની ધરોહર એટલે ‘ મેળો ’ કે જ્યાં લોકો બધીયે ચિંતાઓ કોરાણે મૂકીને આનંદિવભોર બનીને એકબીજાને મળતા હોય અને હૈયામાં આધ્યાત્મિકતાની સરવાણી વહી રહી હોય છે . આવા જ ગુજરાતના ભાતીગળ મેળામાંના એક મેળા ‘ વરાણાનો મેળો ’ ’ વિશે જાણીએ . પાટણ જિલ્લાનો વઢિયાર પંથક કાઠિયાવાડની લઘુ આવૃત્તિ કહેવાય છે . સમી તાલુકાના રણની કાંધીએ વસેલા પંથકમાં “ વરાણા ” સદીઓ પુરાણા આઈ ખોડિયારના તીર્થધામની મોટા ઓળખ છે . વરાણા ખાતે પ્રતિ વર્ષ મહા સુદ આઠમે ભાતાગળ લોકમેળો યોજાય છે . આ મેળામાં ઢિયાર , ઝાલાવાડ , ચુંવાળ , રાધનપુર અને સાંતલપુર ગામના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે . આમ તો આ મેળો મહા સુદ બીજ - ત્રીજથી શરૂ થઈ પૂનમ સુધી ચાલુ રહે છે . સાતમથી નોમના દિવસે આ લોકમેળો પુરબહારમાં જામે છે . મેળા દરમિયાન આશરે પાંચથી સાત લાખ ભાવિકો દર્શન માટે પધારે છે . મેળામાં વિઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવનની ઝાંખી જોવા મળે છે . અહીં ભાવિકો આઈશ્રી ખોડિયા ૨ ને તલ અને સાકરની બનેલી સાંનીનું નૈવેદ્ય ધરાવે છે . આઠમના દિવસે ભક્તો લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહી માનાં દર્શન માટે ઉત્સુક બને છે . આજના આધુનિક યુગમાં વાહનોની બો

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો  જૂનાગઢ પાસે ગરવા ગિરિનારાયણની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવનું અદ્ભુત નૈગિક વનરાજી હરિયાળી ગિરિકંદરા વચ્ચે સ્વયંભૂ શિવમંદિર આવેલું છે . અનંતકાળથી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી અમાવસ્યા સુધી ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ધાર્મિક - સાંસ્કૃતિક “ ભવનાથના મેળો’’નું ભવ્ય આયોજન થાય છે . આમ જ કાર્તિક સુદ અગિયારસથી પૂનમ ગિરિનારાયણ ( ગિરનાર ) ની ૩૩ કિ.મી અંતરની અતિકપરી પુણ્યનું ભાથું બાંધવા પગપાળા લીલી પરિક્રમા યોજાય છે . દેવપોઢી અગિયારસ ( દેવદિવાળી ) એ સવારે ૪ વાગ્યે શાસ્ત્રોક્ત પૂજન - અર્ચના સાથે શરૂ થતી આ પરિક્રમા ૧૦ કિ.મી.નું અંતર કાપી “ જીણાબાવાની મઢી''ના ઉતાર ( પડાવ ) એ પહોંચી ત્યાં તમામ યાત્રિકો રોકાય , પોતાનું ભોજન બનાવે અને મધ્યરાત્રિ સુધી ધૂન - ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે . બીજા દિવસજ ‘ ‘ મારવેલા’’ના બનાવે કિ.મી. ૧૦ પડાવ કરી ભોજન - ભજન ને રાત્રિરોકાણ કરી ત્રીજા દિવસે પગપાળા ચાલી ૧૧ કિ.મી ‘ ‘ બોરદેવી’’ના ઉતારે રાત્રિરોકાણ કરી સવારે ભવનાથનું ૧૨ કિ.મી.ની પદયાત્રા શરૂ કરવાની . કોઈ રાત્રે થાકી જાય તે બીજા દિવસે ભવનાથ પહોંચી પોતાની યાત્રા સંપન્ન કરે છે .

ગાય - ગૌહરીનો મેળો

ગાય - ગૌહરીનો મેળો  દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે ભરાતા આ મેળાનો ઇતિહાસ ૩૦૦ વર્ષથી પણ પ્રાચીન છે . ગુજરાતના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે આ મેળો ભરાય છે . આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે . આખા વર્ષ દરમિયાન આપણા રોજિંદા જીવનમાં પશુઓનો ઉપયોગ કરીએ છીએ તો એક આખા દિવસ માટે પશુઓને શણગારીને ઉત્સવ મનાવવામાં આવે છે . આખા વર્ષ દરમિયાન આપણાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ગાયોના ટોળાની સામે સૂઈ જઈને પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે . આ મેળામાં તમામ ગાય - બળદને જુદા - જુદા રંગોથી રંગીને તેમને મોરપિચ્છથી શણગારવામાં આવે છે . ત્યાર બાદ ગામના સરપંચ ગાયની પૂજા કરીને આ મેળાની શરૂઆત કરાવે છે અને પ્રાચીન લોકમાન્યતા અનુસાર જે વ્યક્તિ કોઈ માનતા માને છે તે પૂરી કરવા માટે આ મેળામાં અચૂક ભાગ લે છે . આ મેળામાં ગાય સાથે બળદોની પણ પૂજા થાય છે . એક પાઇપ જેવા સાધનમાં દારૂગોળો ભરીને ફોડવામાં આવે છે અને તેના ધડાકાના અવાજથી ગાય અને બળદનાં ટોળાં દોડવા લાગે છે . આ મેળામાં ગામની આસપાસના ગ્રામજનો પણ ભાગ લે છે .

સિદ્ધપુરનો મેળો

 સિદ્ધપુરનો મેળો  ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું સિદ્ધપુર નગર એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે . લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીના કિનારે દર વર્ષે કાર્તિકી પૂનમે કાત્યોકનો મેળો ભરાય છે . કાત્યોકનો મેળો રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઊઠે છે . સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણવિધિ કરી ધન્યતા અનુભવે છે . આ મેળામાં ગોઠવાતાં ઊંટબજાર , શેરડીબજાર , મનોરંજનને લગતી જુદી - જુદી ચીજોની દુકાનો , બાળકોને મનોરંજન આપતાં સાધનો , અશ્વબજાર તેમજ અલગ - અલગ દુકાનો આકર્ષણ જમાવે છે . વિશ્વપ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે , જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એક જ વાર ખૂલતું હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે ઉત્તરક્રિયા , માતૃતર્પણ , દશા શ્રાદ્ધ , અસ્થિવિસર્જન , એકાદશી શ્રાદ્ધ , નારાયણ બલિ જેવાં અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે . આ મેળામાં હૈયેહૈયું દળાય એટલી લોકોની ભીડજોવા મળે છે . આ મેળામાં ઊંટ અને અશ્વોની લે - વેચ માટે અલગ બજાર ભરાય છે . આ મે

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો  દોસ્તો , તમને મેળો ગમે છે ને ? હા ગમતો જ હશે . મેળો એટલે રંગબેરંગી ફુગ્ગાઓ અને રમકડાંનો જ હોય એવું નથી . તમે એવા મેળાઓ જોયા હશે , જેમાં રમકડાં , ઘરવપરાશની વસ્તુઓ સાથોસાથ માટી કે ચિનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ મળતી હશે , કેમ ખરું ને ? ચાલો ત્યારે , આજે હું એક એવા મેળાની તમને મુલાકાત કરાવું જે ઇતિહાસને રજૂ કરે છે , શ્રજ્ઞા ટકાવી રાખે છે , અને પશુઓની લે - વેચ થતી હોય ... તમને તો નવાઈ લાગી હશે ખરું ને ? કે પશુઓનો મેળો પણ મેળો , તો હા , હું આજે તમને જે મેળાનો પરિચય કરાવવાનો છું તે પશુઓનો મેળો છે જેમાં ખાસ કરીને ઊંટ અને ગધેડાની લે - વેચ થતી હોય છે . અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી આઠ કિ.મી દૂર આવેલા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસથી “ વૌઠાનો મેળો ભરાય છે . આ મેળાની વિશેષતા એ છે કે આ મેળો સપ્ત સંગમસ્થાને એટલે કે સાત નદીઓના સંગમસ્થાને યોજાય છે . આમ , તો આ વૌઠાના મેળો જ્યાં યોજાય છે ત્યાં સાબરમતી અને વાત્રક એમ મુખ્ય બે નદીઓ જ મળે છે , પરંતુ તે પૂર્વે સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી , મેશ્વો માંજમ અને શેઢી નદીઓ મળે છે . આમ , આ બધી નદીઓ ભેગીમળી સાત નદીઓનો સંગમ

ચૂલનો મેળો

ચૂલનો મેળો   પહેલાં અગિયારસના દિવસે દાહોદ જિલ્લાનાં ઘણાં સ્થળે આમલી અગિયારસનો મેળા ભરાય છે , તો વળી હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ચૂલનો હોળીમોટો મેળો ભરાય છે . આદિવાસીઓ માટે મેળો એવું અમૃતરૂપ છે કે જેના નામ માત્રથી આદિવાસીઓમાં આનંદ છવાઈ જાય છે . પંચમહાલ , ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ હોળીને બીજે દિવસે ચૂલનો મેળો માણે છે . બપોર સુધીમાં લોકો ધીમે ધીમે એકઠા થાય છે . આ મેળાની વિશેષતા એ છે કે , તેમાં એકાદ ફૂટ પહોળો અને પાંચથી છ ફૂટ લંબાઈનો એક ખાડો ખોદવામાં આવે છે . આ ખાડામાં બાવળનાં લાકડાંના મોટા કોલસા સળગાવીને અંગારા પાડવામાં આવે છે . આ પ્રસંગે આદિવાસી સ્ત્રી - પુરુષો હાથમાં પાણીનો લોટો લઈ ઉઘાડા પગે લાગી નાળિયેર ફોડે છે . પોતાના ઇષ્ટદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તેમના નામનું સ્મરણ કરતાં કરતાં આદિવાસીઓ અંગારા ઉપર ચાલીને સહેજ પણ દાઝ્યા વિના સલામત રીતે બહાર નીકળી જાય છે . આ પ્રસંગે લોકો પોતાનાં બાળકો અને ઢોર - ઢાંખરના રક્ષણ માટે અગ્નિદેવની બાધા ( માનતા ) રાખે છે . કેટલાક પુરુષો અને નાની વયના છોકરાઓ શરીરે હળદર ચોળે છે , આંખ

શામળાજીનો મેળો

શામળાજીનો મેળો  હું તો ગઈ’તી મેળે ... ’ , ‘ હાલો રે હાલો મેળે જઈએ ... ’ , મેળા સાથે સંકળાયેલી આપણી સંસ્કૃતિનાં દર્શન કરાવતાં કેટલાંય ગીત અને ગરબા ગુજરાતમાં છે .  ‘ મેળો ' શબ્દ કોને પડતાં જ દુહા , છંદ , રાસ , નૃત્યો , ગ્રામવૈભવ , ધર્મસંસ્કૃતિ , લોકવારસો , પરંપરા , શ્રદ્ધા , ઉત્સાહ , અનેકવિધ દશ્યો નજરે ખડાં થઈ જાય છે .  જ્યારે મનોરંજનનાં અન્ય કોઈ માધ્યમો નહોતા ત્યારે મેળો લોકજીવનમાં મોજ - મસ્તી અને પરંપરાનું જતન કરતું એકમાત્ર સાધન હતું .  લોકસંસ્કૃતિના ધબકાર સમાન લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી .  ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. આ મેળાઓ મુખ્યત્વે દેવી - દેવતાઓ , સંતો , મહંતો અને પીરના મેળાઓ હોય છે .  એટલે કે મોટા ભાગના મેળાઓ ધર્મોત્સવ માટે ઊજવાતા મેળાઓ છે .  આજે મનોરંજનનાં અનેક સાધનો હોવા છતાં લોકોના મનમાંથી લોકમેળાઓ અને લોકઉત્સવોનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી .  કેટલાક મેળાઓનાં નામ પણ તમે કદાચ સાંભળ્યાં નહીં હોય .  ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે પવિત્ર યાત્રાધામ શામળાજી આવેલું છે .

ચિંતા નો કરવી

🌷બહુ જ ચિંતા નો વિષય છે, દેશ વિકટ પરિસ્થિતી માં ચાલી રહ્યો છે....    🌷 ગાડીયો ના શો-રુમ માં જાઓ, નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકો ને છ - છ મહિના સુધી નવી ગાડીઓ ની રાહ જોવી પડી રહી છે.       🌷રેસ્ટોરેંટ માં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી. ઘણા રેસ્ટોરેંટો માં તો લાઈન લાગી હોય છે.    🌷 શાૅપિંગ માૅલ માં પાર્કિંગ ની જગ્યા નથી એટલી ભીડ લાગી હોય છે.   🌷 કેટલીયે મોબાઈલ કંપનીઓના માૅડલ આઉટ આૅફ સ્ટાૅક છે, એપ્પલ લાંચ થતાંની સાથે જ આઉટ આૅફ સ્ટાૅક થઈ રહ્યો છે.   🌷 આૅનલાઇન શાૅપિંગ ના સમય માં પણ અને વર્કિંગ -ડૅ માં બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નથી . દરરોજ જામ જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. 😎 🌷આૅનલાઈન શાૅપિંગ ઈન્ડસ્ટ્રી તેજી માં છે....   🌷 પણ લોકો કહે છે કે પેટ્રોલ ના ભાવ વધારી એમની કમર તોડી નાખી છે.   🌷 મારા ઘરમાં જ્યારે બિનજરુરી લાઈટો ચાલું હોય છે, પંખા ચાલતા હોય છે , ટી. વી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ જેવું વિજળી બિલ વધું આવે ત્યારે મારી અંતર આત્મા અંદર થી રોઈ જાય છે. 😎   🌷 જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એ.સી ચલાવી કાંબળો ઓઢીને સુવે છે  🌷ત્યારે

imp ipc

 120-A – ગુનાહિત કાવતરાની વ્યાખ્યા.  120-B – ગુનાહિત કાવતરાની શિક્ષા.  141 – ગેર કાયદેસર ની મંડળી.  142 – કાયદા વિરુદ્ભની મંડળીના સભ્ય હોવા બાબત.  146 – હુલ્લડ કરવું કે રમખાણ કરવું.  147 – હુલ્લડ માટે સજા.  159 – બખેડો.  160 – બખેડો કરવા માટે શિક્ષા.  230 – સિક્કા ની વ્યાખ્યા.  231 – ખોટા સિક્કા બનાવવા.  272 – વેચવાના ઇરાદાથી રાખેલા કે પીવાના વસ્તુઓમાં ભેળસેળ કરવા અંગે.  273 – હાનિકારક ખાદ્યપદાર્થ પદાર્થ કે પીણાંનું વેચાણ.  279 – જાહેર રસ્તા પર બેફામ પણે હંકારવું કે સવારી કરવી.  298 – ધાર્મિક લાગણીઓ દુભાવવાની ઇરાદાથી જાણીજોઈને શબ્દો બોલવા વગેરે.  300 – ખૂન.  302 – ખૂનની શિક્ષા.  304-B – દહેજ મૃત્યુ.  319 – વ્યથા.  320 – મહાવ્યથા.  321 – સ્વેચ્છાપૂર્વક વ્યથા નીપજાવવી.  322 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નીપજાવવી.  323 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવાની સજા.  324 – ભયંકર શસ્ત્રો કે સાધનો વડે સ્વેચ્છા પૂર્વક વ્યથા નીપજાવવી.  325 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવાની સજા.  326-A – એસિડ વગેરેના ઉપયોગ દ્વારા સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી. 

IPC bhag

IPC. Bhag. _________________________________  પ્રકરણ – 1. પ્રારંભિક.  પ્રકરણ– 2. સામાન્ય સ્પષ્ટીકરણ.  પ્રકરણ – 3. શિક્ષા.  પ્રકરણ – 4. સામાન્ય અપવાદો.  પ્રકરણ – 5. મદદગારી (દુષ્પ્રેરણ).  પ્રકરણ – 5(A). ગુનાહિત કાવતરું.  પ્રકરણ – 6. રાજ્ય વિરોધી ગુનાઓ.  પ્રકરણ – 7. ભૂમિદળ, નૌકાદળ, અને હવાઈ દળ સંબંધી ગુનાઓ.  પ્રકરણ – 8. જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાઓ.  પ્રકરણ – 9. રાજ્ય સેવકે કરેલા અથવા તેમનાથી સંબંધિત બનાવો.  પ્રકરણ – 9(A). ચૂંટણી સબંધિત ગુનાઓ.  પ્રકરણ –10. રાજયસેવકો નાકાયદેસરના અધિકારના તિરસ્કાર અંગે.  પ્રકરણ – 11. ખોટા પુરાવા તથા જાહેર ન્યાય વિરૂદ્ધ ના ગુનાઓ.  પ્રકરણ – 12. સિકકાઓ તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ.  પ્રકરણ – 13. તોલ અને માપ સંબંધી ગુનાઓ.  પ્રકરણ – 14. જાહેર સ્વાસ્થ્ય, સલામતી, સગવડ, સભ્યતા અને નીતિને લગતા ગુનાઓ.  પ્રકરણ – 15. ધર્મ સંબંધી ગુનાઓ.  પ્રકરણ – 16. માનવ શરીરને અસર કરતા ગુનાઓ.  પ્રકરણ – 17. મિલકત વિરુધ્ધના ગુનાઓ.  પ્રકરણ – 18. દસ્તાવેજો, સંપતિ ચીહનો અને ચલણી નોટો તથા બૅંકનોટો ને લગતા ગુનાઓ.  પ્રકરણ – 19. નોકરીના કરારના

anmol samndh

બે ભાઈઓ હતા રામભાઇ અને લક્ષ્મણભાઈ. બન્ને બાજુ બાજુના ખેતરોમાં રહેતા હતા. છેલ્લા ૪૦ વર્ષોથી સાથે ખેતી કરતા, એક બીજાના સાધનો અને ઓજાર વાપરતા, પોતાના સામાન અને મજૂરોની પણ આપ લે અચકાયા વગર કરતા.  એક બીજા સાથે આટલું સંપીને રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની ગેરસમજને કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લીધું. અંતમાં બન્નેએ એક બીજાને ના કહેવાના શબ્દો કહ્યા. તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બન્ને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો. એક દિવસ સવારે કોઈએ રામભાઇનો દરવાજો ખટખટાવ્યો. રામભાઈએ દરવાજો ખોલ્યો. તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો. “મને થોડા દિવસ માટે કામની જરૂરત છે.” સુથારએ કહ્યું. “તમારી પાસે મારા લાયક કોઈ કામ છે? શું હું તમારી મદદ કરી શકું છું?”  “હા,”  રામભાઈએ કહ્યું. “મારી પાસે તારા માટે કામ છે. ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો. તે મારો પડોશી છે. હકીકતમાં તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો કયારો હતો. બે દિવસ પહેલાં જ તેણે બુલડોઝરની મદદથી બે ખેતરની વચ્ચે તે નાળુ ખોદ્યું છે. તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે, પણ હું તેનાથ

statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી  ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી ’ નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે .  » સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર અથવા 597 ફૂટ છે .  » આ પ્રતિમા 25 મીટરની ઊંચાઈની એક પીઠિકા પર બનાવવામાં આવી છે .  સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાની વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિ.મી. દૂર નર્મદા નદીની મધ્યમાં સાધુબેટ પર કરવામાં આવ્યું છે .  > આ સ્થળ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આવે છે .  » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત સૌપ્રથમ 8 ઓક્ટોબર , 2010 ના રોજ થઈ હતી .  ત્યારબાદ 31 ઓક્ટોબર , 3 ને શ્રી સરદાર પટેલની 138 મી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો .  » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને એના બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર , 2013 દરમિયાન ‘ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એક્તા ટ્રસ્ટ ' ( SVPRET ) ની રચના કરવામાં આવી હતી .  » સ્ટેચ્યુ ઓફ યુનિ

Dadi Yatra

દાંડીયાત્રા : 12 માર્ચથી 6 એપ્રિલ , 1930 સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું . મીની સા આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો . લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો , અમદાવાદના સાબરમતી રિજન આશ્રમ ( હવે ગાંધી આશ્રમ ) થી 12 મી માર્ચ , 1930 ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ , જે પીડ પરાઈ જાણે રે " ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે , “ સૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ , દેખ ભાગે સોઈ શૂર નહિ ' એ પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયું . ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ , મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત કરી . અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે . દાંડીયાત્રામાં અસલાલી , બારેજા , નડિયાદ , આણંદ , બોરીઆવી , રાસ , જંબુસર , ભરૂચ , સુરત , નવસારી જેવાં નાના - મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને વિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી . ગાંધીજીએ ભાટ મુકામે ( 29 માર્ચ , 1930 ) કહ્યું “ કાગડા - કૂતરાના મોતે મરીશ પર

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .

રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917

રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917  ઈ.સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે . રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી . રશિયામાં વંશપરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા . ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા . પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર , દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઈબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી . આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ , ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ . રશિયાના ખેડૂતો , ખેતદાસો , મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું . તેમની સ્થિતિ કંગાળ બની હતી .  ફાધર ગૅપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા ( 22 મી જાન્યુઆરી , 1905 રવિવાર ) . આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા . કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો ' જેવાં સૂત્રો લખેલા હતા . આ નિર્દ

મૌર્યયુગ

મૌર્યયુગ  ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે . ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્ય સ્થપાયું ( ઈ.સ. પૂર્વે 321 ) . મૌર્યકાલીન ઇતિહાસ જાણવાનાં અનેક સાધનો આપણને પ્રાપ્ત થયાં છે , જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અશોકના 44 જેટલા અભિલેખો છે . આ અભિલેખોની ભાષા પાલિ છે . અશોકના શૈલલેખ ભારતમાં લેખન સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે . એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે , જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે . ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી આપે છે .  મૌર્યયુગીન ઇતિહાસ જાણવા માટેનાં અન્ય મહત્ત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યના ‘ અર્થશાસ્ત્ર ' અને મૅગેસ્યનિસ દ્વારા રચિત ‘ ઇન્ડિકા’ને ગણવામાં આવે છે . અર્થશાસ્ત્ર એ મૌર્યશાસન પર લખાયેલ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે , જેમાં શાસનના સિદ્ધાંતો , રાજ્યનું સ્વરૂપ , શાષક અને અધિકારીઓનાં કર્તવ્યો , નાગરિકોની ફરજ અને વિદેશો સાથેના સંબંધો જેવી જટિલ બાબતોને પણ સમજાવવામાં આવી છે . ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં ગ્રીક રાજદૂત મૅગેનિસ આવ્યો હતો . તેણે ‘ ઇન્ડિકા ’ નામનો એક મહત્ત્વપૂર્

ગુજરાત વર્લ્ડ હેરિટેજ સાઈડ ચોપાનેર

ચાંપાનેર 🌷વનરાજ ચાવડાએ ઈ.સ. 747 માં પોતાના મિત્ર ચાંપાની સ્મૃતિમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી હતી .  🌷ચાંપાનેર શહેર પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલું છે 🌷ચૌહાણ વંશના રાજાઓની રાજધાની ચાંપાનેર હતી .   🌷ઈ.સ .1484 માં મહમદ બેગડાએ પાવાગઢ ( ચાંપાનેર ) ના રાજા પતઈ રાવળ ( જયસિંહ ) ને હરાવી ચાંપાનેર કબ્જે કર્યુ .    🌷ચાંપાનેરને મહમદ બેગડાએ કબ્જે કર્યા બાદ તેને પોતાની રાજધાની બનાવી હતી .  🌷મહમદ બેગડાએ ચાંપાનેરનું નામ બદલીને મુહમદાબાદ રાખ્યું હતું . 🌷મહમદ બેગડો ચાંપાનેરને બીજુ મક્કા બનાવવા માંગતો હતો .   🌷મહમદ બેગડાએ ચાંપાનેરમાં જુમ્મા મસ્જિદ બનાવી હતી તથા કિલ્લાનું નિર્માણ કરાવી તેને ' જહાપનાહ ' નામ આપ્યું હતું .   🌷બેગડાએ ચાંપાનેરની ફરતે કિલ્લો બંધાવ્યો હતો .    🌷ચાંપાનેરમાં કેવડા મસ્જિદ , જુમ્મા મસ્જિદ , નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ છે . 🌷ચાંપાનેરમાં કબૂતર ખાના નામથી જાણીતું હવાખાવાનું સ્થળ છે .   🌷ચાંપાનેરમાં વડતળાવ પાસે મહમદ બેગડાના શાહી મહેલના સમચોરસ કિલ્લાના અવશેષો છે .    🌷ચાંપાનેરને શહેર - એ - મુકર્રમ ’ ના નામે પણ ઓળખવામાં આવે છે .  🌷જાણીતા સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ

ગુજરાત વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ

રાણકીવાવ   🌷રાણકીવાવનો 22 જૂન 2014 ના રોજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે .  🌷અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું   🌷રાણકીવાવનું નિર્માણ 11 મી સદીમાં ભીમદેવ પહેલાના નિધન બાદ થયું હતું .    🌷રાણકીવાવમાં કુલ 7 માળ છે . વાવની લંબાઈ 64 મીટર , પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે . તેમજ આ વાવ મારૂ – ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવી છે .    🌷આ વાવમાં દેવી દેવતાઓ તેમજ અપ્સરાની મૂર્તિઓ કંડારવામાં આવી છે .  🌷ભારતમાં આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં રાણકીવાવનો 31 મો ક્રમ છે . 🌷ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટમાં રાણકીવાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે .    🌷રાણકીવાવનો ઉલ્લેખ ઈ.સ. 1304 માં જૈન મુનિ મરુંગાસૂરી દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિમાં જોવા મળે છે .  🌷રાણકીવાવને ઈ.સ. 2016 માં Cleanest Iconic Place નો એવોર્ડ મળ્યો હતો . 

ગુજરાત વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા

ધોળાવીરા  🌷ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિરબેટમાં આવેલું છે .    🌷સૌપ્રથમ ઈ.સ .1967 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યાં હતા . »   🌷ઈ.સ.1967-68ના વર્ષ દરમિયાન જગપતિ જોષીએ ધોળાવીરાનું આરંભિક મોજણી કાર્ય હાથ ધરતા આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી શકાયું .   🌷ઈ.સ .1991 ના સમય ગાળામાં વ્યવસ્થિત રીતે ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણના શ્રી રવીન્દ્રસિંહ બિષ્ટ અને તેમના સાથીદારોએ ઉત્ખનન કાર્યનો આરંભ કર્યો . ધોળાવીરા ત્રણ વિભાગમાં વહેંચાયેલ નગર છે .   🌷ધોળાવીરાનો વિસ્તાર 775 મીટર પૂર્વ - પશ્ચિમ અને 600 મીટર ઉત્તર - દક્ષિણ છે .    🌷ધોળાવીરામાં નગર આયોજન સંરક્ષણની દૃષ્ટિએ ચારે દિશાએ નગરના ચાર દરવાજા હતા .  🌷ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે   🌷ધોળાવીરામાંથી વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઈનબોર્ડ મળી આવ્યું છે .  🌷અહીંથી વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે .  🌷આજથી 4000 વર્ષો પૂર્વે હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે .    🌷ધોળાવીરાનું વિશાળ સ્નાનાગાર અને

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) થાય છે . O વધારે ઝાડામાં ચોખાના ઓસામણ સાથે આંબલીન

બાળકના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર બાબતો .

બાળકના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર બાબતો. 🏌️લાંબો સમય ઉધરસ થાય / ઝીણો તાવ આવે / વજનમાં ઘટાડો જણાય તો ડૉક્ટરને મળી ટી.બી.ની તપાસ કરાવો.  🏌️બાળકને ડસ્ટ / ધુમાડો | ધૂળ / હવામાનમાં ફેરફાર વગેરેની એલર્જી થાય છે કે નહીં તેની નોંધ રાખો . જો શંકા પડે તો ડૉક્ટરનો સંપર્ક કરવો . 🏌️શક્ય બને ત્યાં સુધી બાળકને ઈન્જેક્શન અપાવવાનું ટાળો . કોઈક ડૉક્ટર ઈન્જેક્શન આપવાનું જણાવે તો પણ ઈન્જેક્શન ન અપાવવાનો આગ્રહ રાખો .  🏌️બાળકના વિકાસની અને રોજેરોજ શરીરના દરેક અંગની નિરીક્ષણ કરી નોંધ રાખો . 🏌️બાળકને વધુને વધુ શારીરિક શ્રમ થાય તે રીતે રમવો જ જોઈએ .  🏌️ઘરનો તાજો ગરમ ખોરાક ખાવા અને ખવડાવવાનો જ આગ્રહ રાખો .  🏌️એક સરખો ખોરાક ખાવાને બદલે ફરતો ખોરાક રાખવો જોઈએ .  🏌️બાફેલો , શેકેલો , તળેલો , કાચો તેમજ લીલાં શાકભાજી , કઠોળ , તેલિબીયાં , દૂધ , અનાજ , ફળો વગેરે . 🏌️ફૂડ પેકેટથી બાળકને બચાવો .  🏌️ઠંડા પીણા , આઈસ્ક્રીમ શક્યતઃ ઓછા.

AC નો ઉપયોગ કેવી રીતે કરવો?

🌱AC નો ઉપયોગ કેવી રીતે કરવો? 🌱જાણવા આવો 🌱AC ને 26+ ડિગ્રી પર રાખો અને જો તમે ઈચ્છો તો     પંખો ચાલુ કરો. 🌱EB તરફથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા   મોકલવામાં આવેલી ખૂબ જ ઉપયોગી માહિતી. 🌱AC નો સાચો ઉપયોગ. 🌱જ્યારથી ઉનાળો શરૂ થયો છે અને અમે નિયમિતપણે એર કંડિશનર (AC) નો ઉપયોગ કરીએ છીએ, ચાલો AC ચલાવવાની સાચી પદ્ધતિને અનુસરીએ. 🌱મોટા ભાગના લોકોને 20-22 ડિગ્રી પર AC ચલાવવાની આદત હોય છે અને જ્યારે તેઓને ઠંડી લાગે છે ત્યારે તેઓ તેમના શરીરને ધાબળાથી ઢાંકી દે છે. 🌱આનાથી ડબલ નુકસાન થાય છે, તમે કેવી રીતે જાણો    છો? 🌱શું તમે જાણો છો કે આપણા શરીરનું તાપમાન 37   ડિગ્રી સેલ્સિયસ છે? 🌱તેને માનવ શરીરની તાપમાન સહિષ્ણુતા કહેવામાં આવે  છે. જ્યારે ઓરડામાં તાપમાન ઓછું અથવા ઊંચું હોય  છે, ત્યારે શરીર છીંક, ધ્રુજારી વગેરે દ્વારા પ્રતિક્રિયા આપે  છે. 🌱જ્યારે તમે 19-20-21 ડિગ્રી પર AC ચલાવો છો, ત્યારે રૂમનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન કરતા ઘણું ઓછું હોય છે અને તે શરીરમાં હાઈપોથર્મિયા નામની પ્રક્રિયા શરૂ કરે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે, જેના કારણે શરીરના કેટલાક ભાગો પૂરતા પ્રમાણમાં નથી હોતા. ભાગ

આ વિચારને 100 તોપોની સલામી

☀️પોતાના બાળકને પ્રથમ વર્ગમાં મૂકતી વખતે એક માતા-પિતા ને આવેલો અફલાતુન વિચાર.... ☀️આ વિચારને 100 તોપોની સલામી 💣 ☀️આ વિચાર 100% પ્રેરક છે. ☀️જેમનો પુત્ર અથવા પુત્રી 2022 માં "પ્રથમ વર્ગમાં" જશે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. ☀️મિત્રો, મારું નામ મહેશ છે. મારા ભાણેજ વિમલ ના પુત્ર માટે, મેં "પ્રથમ ધોરણ" ના પ્રવેશ માટે ઘણી શાળાઓમાં ફી ની તપાસ કરી, તો રૂ. 40,000 થી રૂ. 1 લાખ સુધીની છે, અને એ નર્સરી થી UKG માટે પણ સરખીજ છે. ☀️ત્યારે મને એક વિચાર આવ્યો કે તમે તમારા બાળકોના શિક્ષણ માટે દર વર્ષે આટલા બધા પૈસા ખર્ચો છો તો પણ નોકરીની ગેરંટી કેમ નથી? જો કોઈ કહે કે છે, તોય ભારે સ્પર્ધા અને અન્ય મુશ્કેલીઓ તો છેજ. ☀️તેથી મને લાગ્યું કે જો તેને દર વર્ષે લાગનારી ફીમાંથી રિલાયન્સ, ટાટા, એલએન્ડટી, એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક, એક્સિસ, બિરલા, મીરાઈ, નીપોન, યુટીઆઈ, કેનેરા, યુનીયન, સુનદરમ, આડીબીઆઈ, , આડીએફસી, જેવી વિશ્વ વિખ્યાત કંપનીઓના म्यूचूअल फंड स्कीम्ज़ મા દર વર્ષે 1 લાખ ના યુનીટ ખરીદી લઈએ અને બાળકને "જિલ્લા પરિષદ" ની શાળામાં દાખલ કરાવીએ. જો બાળક સક્ષમ

નાળિયેર પાણી

🥥ગરમ નાળિયેર પાણી  🥥 ગરમ નાળિયેર પાણી તમને આજીવન બચાવી શકે છે. 🥥ગરમ નાળિયેર - ફક્ત કેન્સરના કોષોને જ મારી નાખે છે. 🥥કપમાં 2 થી 3 પાતળા નાળિયેર ટુકડા કાપો, ગરમ પાણી ઉમેરો, તે "આલ્કલાઇન વોટર" બની જશે, દરરોજ પીવો, તે કોઈ પણ માટે સારું છે. 🥥ગરમ નાળિયેર પાણી એક કેન્સર વિરોધી પદાર્થને મુક્ત કરે છે, જે તબીબી ક્ષેત્રમાં કેન્સરની અસરકારક સારવારમાં નવીનતમ પ્રગતિ છે. 🥥ગરમ નાળિયેરનો રસ કોથળીઓને અને ગાંઠો પર અસર કરે છે. તમામ પ્રકારના કેન્સરના ઉપાય માટે સાબિત. 🥥નાળિયેરના અર્ક સાથેની આ પ્રકારની સારવાર ફક્ત જીવલેણ કોષોને નષ્ટ કરે છે, તે સ્વસ્થ કોષોને અસર કરતું નથી. 🥥આ ઉપરાંત, નાળિયેરના રસમાં એમિનો એસિડ અને નાળિયેર પોલિફેનોલ *હાઈ બ્લડ પ્રેશરનું નિયમન કરી શકે છે, deepંડા નસના થ્રોમ્બોસિસને અસરકારક રીતે અટકાવે છે, રક્ત પરિભ્રમણને વ્યવસ્થિત કરી શકે છે અને લોહીના ગંઠાવાનું ઘટાડે છે.

વડીલોએ વાણીમાં રાખવાની તકેદારીઓ :

🧑‍🦳બાળકો સાથેના વ્યવહા ૨ માં વડીલોએ અને શિક્ષકોએ સૌ પ્રથમ તકેદારી લાવવી પડશે . વાણી સૌથી બળવાન સાધન ગણાય છે . બાળકની કેળવણીમાં વડીલનો અવાજ ઘણો ફાળો આપે છે .  🧑‍🦳દરેક સૂચના હકારાત્મક હોય તો વધુ સારું .  🧑‍🦰નકારાત્મક વિધાનો તેને હાનિકર્તા નીવડે છે . ‘ અવાજ કરશો નહીં ’ તોફાન કરશો નહીં ’  👱બાળકોને જ્યાં વિકલ્પ આપવાનો હોય ત્યાં જ વૈકલ્પિક વિધાન કરો . આપણે બાળકને વર્ગમાં જ મોકલવાં હોય તો ‘ હવે તમે વર્ગમાં જશો ’ વિધાન બરોબર ગણાય .  👱બાળકનું સ્વમાન ઘવાય , તેને નીચે ઉતારે કે લજ્જા પમાડે તેવાં વિધાનો ન કરો . 👱 બાળકને પ્રોત્સાહિત કરવાના હેતુથી પણ બીજા સાથે તુલના ન કરો . તુલના તેનામાં ઉત્સાહને બદલે ઈર્ષા જન્માવે છે .  👱બાળકોની વ્યક્તિગત વિભિન્નતાઓનો સ્વીકાર કરીને પ્રવૃત્તિઓનું આયોજન કરો .  👱તમારી વાણી દ્વારા તેમનામાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જગાડો . વારંવાર આપેલાં સૂચનો લાંબે ગાળે નિરર્થક નીવડે છે .

મોન્ટેસોરીના બાલશિક્ષણ અંગે દસ સિદ્ધાંતો :

🚴બાળક  ચેતાનાનો ફુવારો છે , તેને ઊંડાણથી સમજો. 🚴બાળશિક્ષણ એ મનુષ્ય શિક્ષણનું પહેલું સોપાન છે 🚴 બાળક આપણને અનુકૂળ બને તે કરતાં આપણે બાળકને અનુકૂળ બનવું પડશે .  🚴ઘર અને શાળામાં બાળકનું મન કોળે તેવા વાતાવરણનું સર્જન કરો .  🚴બાળકોને જાતે જ શીખવા દો .  🚴આંખ , કાન , નાક , જીભ અને ત્વચા સર્વ ઈન્દ્રિયોને કેળવણી મળે તેવું શિક્ષણ આપો . 🚴 સીમાઓથી રક્ષાયેલું હોય તેવું સ્વાતંત્ર્ય બાળકોને આપો 🚴શિક્ષણ વ્યક્તિગત અને સ્વયં ભૂલસુધારક હોવું જોઈએ .  🚴પ્રવૃત્તિઓનું પણ નિરૂપણ કરો , આરોપણ નહીં . 🚴વાતાવ૨ણના પ્રેરકબળમાં શિક્ષકો , સાધનો અને ભાવાત્મક વ્યવહારને ગણાવી શકાય .

બાલમંદિર એટલે શું ?

બાલમંદિર એટલે શું ?  🌷બાળક શાળામાં વિધિસરનું શિક્ષણ પ્રાપ્ત કરવા આવે તે પહેલાં તેને જ્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે તેને આપણે બાલમંદિર તરીકે ઓળખીએ છીએ . આ બાલમંદિરનું શિક્ષણ તેના ભાવિ વિકાસમાં ઘણું ઉપયોગી થાય તેવું વિશ્વના ઘણા કેળવણીકારો માને છે . છતાં આ બાલમંદિરનું શિક્ષણ પાઠ્યપુસ્તકમાંથી વિધિસર આપવામાં આવતું નથી .  🌷માતાપિતાથી બાળકોને થોડોક સમય છૂટું પાડીને ઘર જેવા જ વાતાવરણમાં તેની લાગણીઓ , માનસિક શક્તિઓ , શારીરિક શક્તિઓ અને સામાજિક ટેવોનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ , રમતો અને અનુભવોનું આયોજન એટલે બાલમંદિર .  🌷બાળકો આ વિશ્વનું રહસ્યમય સર્જન છે . તેના વિકાસની પ્રક્રિયાને ધીરજપૂર્વક સમજવી પડશે . બીજમાં જેમ વૃક્ષત્વ છુપાયેલું છે . તે રીતે આ સૃષ્ટિ સાથે એકરૂપ થવાની મૂળભૂત શક્તિ ઈશ્વરે તેને આપેલી છે . તેના વિકાસ માટે સૌથી પ્રેરકબળ વાતાવરણ છે . સમૃદ્ધ વાતાવરણનું સર્જન અને સમૃદ્ધ જીવનના અનુભવોનું શિક્ષણ .    🌷તેની બે વિસ્ફારિત આંખોમાં વિશ્વને પામવાની ઝંખના છે . ધસમસતા સાગરનાં મોજાંની જેમ તેનું ભીતર બહાર વ્યક્ત થવા મથે છે . તેના શિક્ષણમાં આ બે ગુણોનો વિનિયોગ કરવો જોઈએ . તેની જિ

બાળક

⛹️બાળકોને બધું આપજો તમારી કલ્પનાઓને નહીં. ➖જે કૃષ્ણમૂર્તિ ⛹️બાળકો તમારા દ્વારા અવતર્યા છે પણ તમારી સંપત્તિ નથી. ➖ખલિલ જિબ્રાન ⛹️બાળકો પ્રભુના પયગંબરો છે. ➖કવિ નાનાલાલ ⛹️બાળકો આંખ બંધ કરે અને અલોપ થઇ જાય.  ખોલે અને પૃથ્વી પર આવી જાય....... ➖સુરેશ જોશી ⛹️ બાળકો આવતી કાલના માનવનો પિતા છે. ➖વર્ડઝવર્થ

પોષણ

 પોષણ  શિયાળામાં આ 5 રસપ્રદ રીતે તમારા આહારમાં આમળાનો ઉમેરો કરો.  આમળા અથવા ભારતીય ગૂસબેરી પોષક તત્વોનો ભંડાર છે અને શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવું જોઈએ. પરંતુ તે મેળવવાની શ્રેષ્ઠ રીત કઈ છે?    ભારતીય પરિવારો તેમના હિસ્સાના આમળાનું અથાણું પસંદ કરે છે!  હવામાં એક નીપ છે, અને તેનો અર્થ એ છે કે શિયાળો અહીં ધમાકેદાર છે! તે સ્વેટર અને હોટ ચોકલેટ્સ અને હૂંફાળું મૂવી રાત્રિઓ ખૂબ જ મજેદાર છે, તે નથી? પરંતુ વર્ષનો આ સમય તેની સાથે શુષ્ક ત્વચા, શરદી અને ઉધરસ અને અન્ય મોસમી સમસ્યાઓ જેવા સ્વાસ્થ્ય સંબંધી પડકારો પણ લાવે છે. આશ્ચર્યની વાત નથી, તમારા આહારનું ધ્યાન રાખવું અને આમળા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો એ વધુ મહત્ત્વનું છે.  ભારતીય ગૂસબેરી પણ કહેવાય છે, આ ફળ વિટામિન સી અને એ, પોલિફેનોલ અને ફ્લેવોનોઈડ્સથી ભરપૂર છે. આ કારણોસર આભાર, તે તમને તમામ પ્રકારના ચેપથી બચાવવા માટે આદર્શ છે. તે જ સમયે, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઑફ ફાર્માસ્યુટિકલ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે આમળામાં મજબૂત એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્